Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : અંકલેશ્વર તાલુકાના અને ગામોમાં પૂરના પાણીમાં મકાનો ધોવાયા.. ઘરવખરીને પણ મોટું નુકસાન

અહેવાલ -દિનેશ મકવાણા -ભરુચ  ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં પૂરની સ્થિતિના પગલે અને ગામો પાણીમાં ઘરકાવ થઈ ગયા હતા અને તેમાં અંકલેશ્વરમાં સૌથી વધુ નુકસાનના અહેવાલો સામે આવ્યા છે ત્યારે અંકલેશ્વરના બોરભાઠા બેટ સહિતના ગામોમાં પૂરના પાણીમાં મકાનો ધોવાઈ જતા જમીન...
bharuch   અંકલેશ્વર તાલુકાના અને ગામોમાં પૂરના પાણીમાં મકાનો ધોવાયા   ઘરવખરીને પણ મોટું નુકસાન
Advertisement

અહેવાલ -દિનેશ મકવાણા -ભરુચ 

Advertisement

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં પૂરની સ્થિતિના પગલે અને ગામો પાણીમાં ઘરકાવ થઈ ગયા હતા અને તેમાં અંકલેશ્વરમાં સૌથી વધુ નુકસાનના અહેવાલો સામે આવ્યા છે ત્યારે અંકલેશ્વરના બોરભાઠા બેટ સહિતના ગામોમાં પૂરના પાણીમાં મકાનો ધોવાઈ જતા જમીન દોસ્ત થતા ઘરવખરી પણ તણાઈ ગઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે જેના પગલે અંકલેશ્વર પંથકમાં સૌથી વધુ નુકસાનીના અહેવાલો મળી રહ્યા છે

Advertisement

Image preview

Advertisement

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સૌથી વધુ નુકસાનીના અહેવાલો મળી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા નદીના પાણી પૂર ઝડપે આવી પહોંચતા કાચા મકાનો ધોવાઈ ગયા છે સાથે જ પાણી આવે તે પહેલા ગ્રામજનોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું પરંતુ મકાનમાં ઘરવખરી સહિત મકાનો તૂટી જતા ગામના ઘણા લોકો ઘરવિહોણા બન્યા છે સાથે જ પાણી ઓસરાતા રસ્તો પોતાના મકાન સુધી પહોંચા મકાનો ધોવાયેલા અને ઘરવખરી તણાઈ ગયેલી જોઈ સૌ કોઈ ચિંતા બની ગયા છે ઘણા વિસ્તારોના ગામોમાં લોકો દોઢ બે દિવસથી ભૂખ્યા હોવાના પણ અહેવાલો સામે આવ્યા હતા અંકલેશ્વરના બોરભાઠા બેટ જુના નવા દીવા સહિતના અનેક ગામોમાં પૂરના પાણી ફરી વરતા પુર ગ્રસ્ત લોકોએ પણ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો

Image preview

અંકલેશ્વરના કેટલાય ગામોમાં લોકો પોતાની ઘરવખરી છોડીને સુરક્ષિત સ્થળે પહોંચ્યા હતા પરંતુ તેમના ઘરમાં રહેલું અનાજ પણ નષ્ટ થઈ જતા મકાનમાં રહેલું અને બગડી ગયેલું અનાજ પણ નર્મદા નદીના કિનારે નિકાલ કરતા જોવા મળ્યા હતા પાણી પુર સ્પીડમાં આવ્યો હોવાના અહેવાલો સાથે તંત્રની પણ ગંભીર બેદરકારી હોવાના આક્ષેપો પણ ગ્રામજનો કરી રહ્યા છે કારણકે પાણી છોડવાના છે તેવી જાણ જો અગાઉથી કરી હોત તો ગ્રામજનો પોતાની સામગ્રીઓ પણ સુરક્ષિત ખસેડી ચુક્યા હોત ઘરમાં રહેલું અનાજ ખાવા લાયક રહ્યું નથી અને અત્યારે પણ મોઢામાં કોળિયો મુકાય તેવી સ્થિતિ પણ ન હોવાના કારણે કેટલાય ગામના પૂરગ્રસ્ત લોકોની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા

આ  પણ  વાંચો-PADRA: નર્મદા અને મહી નદીના પૂરે ચારે બાજુ તબાહી મચાવી, ધરતી પુત્રોને રાતા પાણીએ રડાવ્યા

Tags :
Advertisement

Trending News

.

×