Health Minister Dr. Mansukh Mandviya: પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર રાજકોટ જિલ્લાના પ્રવાસે
Health Minister Dr. Mansukh Mandviya: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) અને મતગણતરીની તારિખો ચૂંટણી પંચ (Election Commission) દ્વારા જાહેર કરવામાં આવી છે. તો ચૂંટણી પંચ (Election Commission) ના નિદર્શ પ્રમાણે દેશના તમામ રાજ્યોનું પરિણામ 4 જુને અને અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh) અને સિક્કિમ (Sikkim) માં 2 જુને થવાનું છે. તે ઉપરાંત દેશમાં આદર્શ આચારસહિંતા પણ લાગુ કરી દેવામાં આવી છે.
- કેન્દ્રીય આરોગ્ય મંત્રી રાજકોટની મુલાકાતે
- Congress ને લઈ નાગરિકોનો વિશ્વાસ ટૂટી રહ્યો
- BJP ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો પર જીત હાંસલ કરશે
ત્યારે આજરોજ પોરબંદર (Porbandar) લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા (Health Minister Dr. Mansukh Mandaviya) રાજકોટ જિલ્લાના પ્રવાસે હતા. તેમણે રાજકોટ જિલ્લા (Rajkot) ના ધોરાજી, ઉપલેટા અને જેતપુર તાલુકાની ખાસ મુલાકાત લીધી હતી. તે ઉપરાંત તેમણે રાજકોટ જિલ્લા અને તાલુકાના વિવિધ BJP કાર્યકારો અને આગેવાનો સાથે બેઠક કરી હતી. તે ઉપરાંત તેમણે પ્રવાસ દરમિયાન નાગરિકો સાથે વાતચિત કરી પ્રશ્નોના નિરાકરણ માટે બાંહેધરી આપી હતી.
Rajkot : ઉપલેટામાં કાર્યકર્તા સાથેની બેઠક બાદ મનસુખ માંડવિયાનું નિવેદન | Gujarat First@CRPaatil @mansukhmandviya @BJP4Gujarat @BJP4India #Gujarat #rajkot #upleta #crpatil #mansukhmandaviya #Election2024 #LoksabhaElection2024 #bjp #GujaratFirst pic.twitter.com/iOvrMaiKiJ
— Gujarat First (@GujaratFirst) March 19, 2024
Congress ને લઈ નાગરિકોનો વિશ્વાસ ટૂટી રહ્યો
જોકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પ્રવાસ દરમિયાન મીડિયા મારફતે કોંગ્રેસ પર શાબ્દિક કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના મુલાકાત દરમિયાન તેમને BJP અને PM Modi પ્રત્યે લોકોનો જુસ્સો, શ્રદ્ધા અને વિશ્વાસ જોયો છે. તો Congress ને લઈ નાગરિકોનો વિશ્વાસ ટૂટી રહ્યો છે.
BJP ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો પર જીત હાંસલ કરશે
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, લોકસભા ચૂંટણી 2024 ના પરિણામમાં BJP 370+ અને NDA 400+ ની જીત હાંસલ કરશે. તો PM Modi ના નેતૃત્વમાં ફરી એકવાર BJP સરકારની કમાન સંભાળશે. કારણ કે... PM Modi ના નેતૃત્વ હેઠળ ભારતને વિકાસના એક પછી એક ઝડપથી પગથિયાં ચડી રહ્યો છે. દેશનું ભૌગોલિક અને આર્થિક માળખું બદલાઈ રહ્યું છે. તેના કારણે નાવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. તેની સાથે હું ખાતરી આપુ છું કે, આ વખતે BJP ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો પર જીત હાંસલ કરશે.
આ પણ વાંચો: ભરૂચ નગરપાલિકાની સામે જ અત્યંત જર્જરીત શોપિંગની મોટી ગેલેરી વર્ષમાં ત્રીજી વખત ધસી પડી..
આ પણ વાંચો: Gandhinagar : આખરે માની ગયા કેતન ઇનામદાર
આ પણ વાંચો: મને ખૂબ દુઃખ થયું પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો : Rohan Gupta