માંગરોળના મોટા બોરસરા ગામે ગેસ ગળતરથી ૪ કામદારોના મોત
અહેવાલઃ ઉદય જાદવ, સુરત
સુરત જિલ્લાના માંગરોળ તાલુકા બોરસરા ગામે આવેલા નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મોટી દુર્ઘટના બની હતી. કેમિકલ વાળું ડ્રમ ખોલતા જ ગેસ ગળતરના કારણે ૪ લોકોના મોત થયા હતા.. બીજી તરફ બનાવની જાણ થતા જીપીસીબી વિભાગ ઘટના સ્થળે પહોચ્યું છે. જીપીસીબી દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ કંપનીના માલિકની અટકાયત કરવામાં આવી છે
માંગરોળ મામલતદાર પાર્થ જયસવાલે જણાવ્યું હતું કે માંગરોળના મોટા બોરસરા ગામે બપોરના ૪ વાગ્યાની આસપાસ ઘટના અંગે સમાચાર મળ્યા હતા. અહી નીલમ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીનું મટીરીયલ સ્ટોર કરવામાં આવ્યું હતું. જે કેમિકલ પાસે પાંચેક જણાએ ડ્રમનું ઢાંકણું ખોલતા ડ્રમમાંથી કેમિકલની ફ્યુમસના કારણે ૫ લોકો બેભાન થયા હતા જેથી તેઓને નજીકની સાધના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં ૫ માંથી ૪ લોકોના મોત થયા છે. એક વ્યક્તિ હજુ પણ સારવાર હેઠળ છે. આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ દ્વારા કેમિકલના સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ પોલીસ દ્વારા કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી છે.