EEE Virus : ફરી લોકડાઉન લાગુ! આ 4 શહેરોમાં સાંજે 6 વાગ્યા પછી બહાર જવા પર પ્રતિબંધ...
- અમેરિકામાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું
- Oxford Board of Health દ્વારા કરવામાં આવી અપીલ
- સાંજે 6 વાગ્યા પછી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ
કોવિડ-19 દરમિયાન આખી દુનિયાએ લોકડાઉન જોયું. આ સમયગાળા દરમિયાન લોકો તેમના ઘરોમાં કેદ રહ્યા હતા. આ રોગે ઘણા પરિવારોને બરબાદ કર્યા અને ઘણા લોકોની નોકરી છીનવી લીધી. અમેરિકામાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ વખતે તેના લગાવવાનું કારણ મચ્છર બન્યા છે. બુધવારે ઓક્સફર્ડ બોર્ડ ઓફ હેલ્થે (Oxford Board of Health) લોકોને અપીલ કરી હતી.
EEE Virus મચ્છરના કારણે ફેલાય છે...
ઇસ્ટર્ન ઇક્વિન એન્સેફાલીટીસ (EEE) એ વાયરલ રોગ છે જે ચોક્કસ પ્રકારના મચ્છર દ્વારા ફેલાય છે. EEE ને હાલમાં ઉભરતી બીમારી ગણવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, વાર્ષિક 6 થી 8 કેસ નોંધાય છે. હાલમાં, તેનો પ્રકોપ મોટાભાગે મેસેચ્યુસેટ્સના ચાર શહેરોમાં જોવા મળ્યો છે. જેમાં ડગ્લાસ, ઓક્સફર્ડ, સટન અને વેબસ્ટરના નામ સામેલ છે. આ શહેરોમાં સાંજના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સાંજના સમયે જ મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. આ કારણથી ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
Northeastern towns issue voluntary lockdown to prevent spread of potentially deadly mosquito-borne disease EEE https://t.co/5xVP8pYbp6 pic.twitter.com/95vF5r3176
— New York Post (@nypost) August 24, 2024
આ પણ વાંચો : Russia: જેલમાં ISIS કેદીઓએ કર્યું ફાયરિંગ, 8 ના મોત
Virus ના લક્ષણો...
ઓક્સફર્ડ બોર્ડ ઓફ હેલ્થે (Oxford Board of Health) તેની અપીલમાં લોકોને વોટિંગ કરાવ્યું. તે જાણવા માંગતા હતા કે તેના નિર્ણયને કેટલા લોકોએ ટેકો આપ્યો. સાંજે 6 વાગ્યા પછી ઘરની અંદર જ રહેવાનું જણાવ્યું હતું. રોગને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ રોગ પહેલા ઘોડાઓમાં ફેલાય છે, ત્યાંથી તે મચ્છરોમાં ફેલાય છે અને મચ્છરથી તે માણસોમાં પહોંચે છે. આ રોગના લક્ષણો એકદમ સામાન્ય છે. EEE માં તાવ, ઉલટી, ઝાડા, માથાનો દુખાવો, સખત ગરદન, હુમલા, વર્તનમાં ફેરફારનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Justib Biber ના ઘરે જન્મ્યો ચિરાગ, સોશિયલ મીડિયા ઉપર કરી જાહેરાત
સાંજે 6 વાગ્યા બાદ લોકડાઉન લાગુ...
EEE અટકાવવા માટે ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આ અંગે એમડી એડવર્ડ લિયુ કહે છે કે મચ્છર કરડવાથી બચવું એ આ રોગથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તેમણે વધુમાં કહ્યું કે સાંજનું લોકડાઉન આ રોગથી બચવાનો બીજો રસ્તો છે. આ માટે મચ્છરોની સંખ્યામાં વધારો થાય તેવું કામ ન કરવું જોઈએ અથવા તો મચ્છરો મારવા માટે દવાનો છંટકાવ કરવો જોઈએ. આ વાયરલ એન્સેફાલીટીસ માટે કોઈ ઈલાજ નથી, તેથી નિવારણ અને સહાયક સંભાળ એ એકમાત્ર ઉપાય છે.
આ પણ વાંચો : Germany :સોલિંગનમાં ફેસ્ટિવલમાં થયેલા હુમલામાં 3 ના મોત