Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને કોર્ટ આપશે જામીન?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal) ની ન્યાયિક કસ્ટડી (judicial custody) આજે પૂર્ણ થઈ રહી છે. તેને આજે રાઉઝ એવન્યુ કોર્ટ (Rouse Avenue Court) માં રજૂ કરવામાં આવશે. માનવામાં આવે છે કે કોર્ટ આજે ફરી કેજરીવાલ (Kejriwal)...
શું આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને કોર્ટ આપશે જામીન

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal) ની ન્યાયિક કસ્ટડી (judicial custody) આજે પૂર્ણ થઈ રહી છે. તેને આજે રાઉઝ એવન્યુ કોર્ટ (Rouse Avenue Court) માં રજૂ કરવામાં આવશે. માનવામાં આવે છે કે કોર્ટ આજે ફરી કેજરીવાલ (Kejriwal) ની ન્યાયિક કસ્ટડી (Kejriwal's judicial custody) વધારી શકે છે. અગાઉ 5 જૂને કોર્ટે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 19 જૂન સુધી લંબાવી હતી.

Advertisement

કેજરીવાલની આજે થશે સુનાવણી

દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ((Delhi Chief Minister Arvind Kejriwal) ની ન્યાયિક કસ્ટડી આજે પૂર્ણ થઈ રહી છે. તેમની નિયમિત જામીન અરજી પર આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થશે. એડિશનલ સેશન્સ જજ મુકેશ કુમારે કેસમાં પોતાનો જવાબ દાખલ કરવા માટે વધુ સમય માંગ્યા બાદ સુનાવણી મુલતવી રાખી હતી. 5 જૂને અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 19 જૂન સુધી લંબાવવામાં આવી હતી. તેમણે તબીબી આધાર પર 7 દિવસના જામીન માંગ્યા હતા, પરંતુ તે અરજી ફગાવી દેવામાં આવી હતી. તેમજ જેલમાં જ તેમનો મેડિકલ ટેસ્ટ કરાવવા સૂચના આપવામાં આવી હતી. આજે અરવિંદ કેજરીવાલને જામીન મળવાની આશા છે.

21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી

અરવિંદ કેજરીવાલની 21 માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં રાખવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર કરવા માટે તેમને 21 દિવસ માટે વચગાળાના જામીન મળ્યા હતા. અગાઉ, દિલ્હીની એક અદાલતે શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર તિહાર જેલ પ્રશાસનનો જવાબ માંગ્યો હતો જેમાં તેમની પત્નીને તેમના સ્વાસ્થ્યની સ્થિતિ અને સારવાર નક્કી કરવા માટે રચવામાં આવેલા મેડિકલ બોર્ડમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી વિનંતી કરવામાં આવી હતી. દિલ્હીના મુખ્યમંત્રીએ એક નવી અરજી દાખલ કરી છે જેમાં તેમની પત્નીને વીડિયો કોન્ફરન્સ દ્વારા મેડિકલ બોર્ડમાં જોડાવાની પરવાનગીની વિનંતી કરવામાં આવી છે. ન્યાયાધીશે કહ્યું, “આરોપીએ તેની પત્નીને મેડિકલ બોર્ડમાં સામેલ થવા દેવા માટે નિર્દેશ માંગતી અરજી દાખલ કરી છે.

Advertisement

આ પણ વાંચો - Delhi Liquor Scam Case : કેજરીવાલને ન મળી રાહત, કોર્ટે વચગાળાની જામીન અરજી ફગાવી

આ પણ વાંચો - એક્ઝિટ પોલ મુજબ કોણ જીતે છે? સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલે આપી આ પ્રતિક્રિયા

Advertisement

Tags :
Advertisement

.