Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hate Speech : ભડકાઉ ભાષણ આપનારા કોણ છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી?

જુનાગઢમાં (Junagadh) ભડકાઉ ભાષણ (Hate Speech) આપવા મામલે ગુજરાત એટીએસએ (Gujarat ATS) ગઈકાલે મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની (Maulana Mufti Salman Azhari) અટકાયત કરી હતી. મુંબઈ પોલીસે મૌલના અને અન્ય બે લોકો વિરુદ્ધ IPC ની કલમ 153 (C), 505...
hate speech   ભડકાઉ ભાષણ આપનારા કોણ છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી

જુનાગઢમાં (Junagadh) ભડકાઉ ભાષણ (Hate Speech) આપવા મામલે ગુજરાત એટીએસએ (Gujarat ATS) ગઈકાલે મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની (Maulana Mufti Salman Azhari) અટકાયત કરી હતી. મુંબઈ પોલીસે મૌલના અને અન્ય બે લોકો વિરુદ્ધ IPC ની કલમ 153 (C), 505 (2), 188 અને 114 હેઠળ ગુનો નોંધ્યો છે. સલમાન અઝહરીને અગાઉ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે હવે બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈથી જુનાગઢ લાવવામાં આવી રહ્યા છે. સવારે પોલીસની ટીમ તેમને લઇને અમદાવાદ પહોંચી છે.

Advertisement

કોણ છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી?

મૌલાના મુફ્તી સલમાન અઝહરી પોતાને ઇસ્લામિક રિસર્ચ સ્કોલર તરીકે રજૂ કરે છે. સલમાન અઝહરી જામિયા રિયાઝુલ જન્નાહ, અલ-અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારુલ અમાનના સ્થાપક છે. એવું કહેવાય છે કે તેમણે કૈરોની અલ-અઝહર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. મૌલાના મુફ્તી અનેક સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય છે. તે ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરતા જોવા મળે છે. ખાસ કરીને યુવા મુસ્લિમ સમુદાય તેમને ખૂબ પસંદ કરે છે. તે ઇસ્લામિક વિદ્યાર્થીઓની ઘણી મુલાકાત લે છે. આ દરમિયાન તેઓ પોતાના ઉશ્કેરણીજનક ભાષણોને કારણે ઘણી વખત ચર્ચામાં રહ્યા હતા. જોકે, આ વખતે ગુજરાતમાં આપેલું તેમનું ભાષણ વધુ ઉશ્કેરણીજનક હતું, જેના કારણે હોબાળો થયો હતો.

Advertisement

વ્યસનમુક્તિ પર ઉપદેશ આપવાનો હતો, પણ...

પોલીસનું કહેવું છે કે ભડકાઉ ભાષણના કેસમાં ધરપકડ કરાયેલા લોકોએ સભાની પરવાનગી એમ કહીને લીધી હતી કે અઝહરી ધર્મ વિશે વાત કરશે અને વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવશે, પરંતુ તેમણે ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેનાથી સામાજિક સમરસતા બગડી શકે છે અને અન્ય ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.

છેલ્લા 1 કલાકથી તેમની પૂછપરછ

દરમિયાન ગુજરાત ATS ની ટીમ મૌલાનાને લઇને અમદાવાદ પહોંચી છે અને છેલ્લા 1 કલાકથી તેમની પૂછપરછ ચાલી રહી છે
પૂછપરછની વચ્ચે જુનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા છે. ગુજરાત ATS ખાતે ટીમ બદલવા અને જુનાગઢ પોલીસને કબજો મેળવવા માટે ATSની ટીમ મુંબઈથી અમદાવાદ આવી છે. મૌલાનાની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થયા હોવાની શક્યતા છે. હજું પણ પૂછપરછ લાંબી ચાલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો---JUNAGADH : મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણ અંગે ઈમરાન ખેડાવાલા અને મહેશગીરી બાપુએ આપી આ પ્રતિક્રિયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.