2000 નોટ બદલવા શું કરવું? શું કોઈ ફોર્મ ભરવું પડશે? જાણો SBI એ નોટો બદલવા શું કહ્યું
હાલ સૌ કોઈના મોઢા પર એક જ વાત છે 2000 ની નોટનું શું કરવાનું? કઈ રીતે જમા થશે નોટો? શું કોઈ ફોર્મ ભરવું પડશે? એના માટે શું કોઈ આઈડી આપવું પડશે? આ તમામ સવાલો પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલેકે, એસબીઆઈએ એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રૂ. 2000ની નોટો બદલવા અથવા જમા કરાવવા માટે કોઈ ફોર્મ કે સ્લિપ કે IDની જરૂર નથી. આ અટકળો પર પૂર્ણવિરામ મુકતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેની તમામ શાખાઓ માટે માર્ગદર્શિકા જારી કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે કોઈ ફોર્મ અથવા આઈડી કાર્ડની જરૂર નથી.
વર્ષ 2016માં RBI દ્વારા દેશમાં 2000 રૂપિયાની નોટ જારી કરવામાં આવી હતી. જોકે હવે આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. આ સાથે હવે લોકો 23 મેથી બેંકોમાં 2,000 રૂપિયાની નોટ જમા અથવા બદલી શકશે. તે જ સમયે, લોકો આ પ્રક્રિયા 30 સપ્ટેમ્બર 2023 સુધી કરી શકે છે. જો કે હવે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે લોકોએ ફોર્મ ભરવું પડશે અને આઈડી કાર્ડ પણ આપવું પડશે. ચાલો જાણીએ આ દાવાની સત્યતા શું છે?
No forms, ID cards needed for exchange of Rs 2000 banknotes: SBI
Read @ANI Story | https://t.co/GE6YvmB0ls#Rs2000 #SBI #RBI #LegalTender #Currency pic.twitter.com/IyJ0u2uyR2
— ANI Digital (@ani_digital) May 21, 2023