Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RBI : બે હજારની 97.28 ટકા નોટ પરત આવી,હજી આટલા કરોડ લોકો પાસે

RBI : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગયા વર્ષે જ 2000 રૂપિયાની નોટ (Rs 2000 bank notes) પર પ્રતિબંધ મૂક્યો હતો. આમ છતાં, અંદાજે રૂ. 7755 કરોડની કિંમતની રૂ. 2000ની નોટો તેમને પરત કરવામાં આવી નથી. RBI અનુસાર, 2000...
rbi   બે હજારની 97 28 ટકા નોટ પરત આવી હજી આટલા કરોડ લોકો પાસે

RBI : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગયા વર્ષે જ 2000 રૂપિયાની નોટ (Rs 2000 bank notes) પર પ્રતિબંધ મૂક્યો હતો. આમ છતાં, અંદાજે રૂ. 7755 કરોડની કિંમતની રૂ. 2000ની નોટો તેમને પરત કરવામાં આવી નથી. RBI અનુસાર, 2000 રૂપિયાની 97.82 ટકા નોટો તેની પાસે પહોંચી ગઈ છે. બાકીની નોટો હજુ પણ લોકો પાસે છે. કોઈએ તેમને પરત (deposit or exchange) કર્યા નથી.

Advertisement

3.65 લાખ કરોડ રૂપિયાની નોટો બજારમાં હતી

RBIએ સોમવારે કહ્યું કે 2000 રૂપિયાની નોટને (withdraw Rs 2000 notes) બંધ કરવાનો નિર્ણય 19 મે, 2023ના રોજ લેવામાં આવ્યો હતો. આ નિર્ણય લેવાના સમયે અંદાજે રૂ. 3.65 લાખ કરોડના મૂલ્યની રૂ. 2000ની નોટો ચલણમાં (circulation) હતી. લોકોને આ નોટો બેંકોમાં જમા કરાવવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. આમ છતાં માત્ર 97.82 ટકા જ નોટો પરત આવી છે. અંદાજે રૂ. 7755 કરોડની નોટો પાછી આવી નથી. RBIનો નવો ડેટા 31 મે 2024 સુધીનો છે.

Advertisement

RBI ઓફિસમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકો છો

સેન્ટ્રલ બેંકે કહ્યું કે લોકો પાસે 7 ઓક્ટોબર, 2023 સુધી 2000 રૂપિયાની નોટ બદલી કે જમા કરવાની તક હતી. તે આ કામ કોઈપણ બેંકની શાખામાં જઈને કરી શકતા હતા. આ સિવાય લોકો આ નોટો બદલવા માટે રિઝર્વ બેંકની 19 ઓફિસમાં પણ જઈ શકશે. આરબીઆઈ ઈસ્યુ ઓફિસ પણ 9 ઓક્ટોબર, 2023થી રૂ. 2000ની નોટ સ્વીકારી રહી છે. આ પૈસા તેમના ખાતામાં જમા કરવામાં આવશે.

નોટબંધીની જાહેરાત બાદ આ નોટ ચલણમાં આવી હતી

આ સિવાય લોકો કોઈપણ પોસ્ટ ઑફિસમાંથી 2000 રૂપિયાની નોટો ઈન્ડિયા પોસ્ટ દ્વારા તેમના ખાતામાં જમા કરાવવા માટે RBI ઈશ્યૂ ઑફિસમાં મોકલી શકે છે. RBIની ઈશ્યુ ઓફિસ અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે. ભારત સરકાર દ્વારા નોટબંધીની જાહેરાત બાદ 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી. નોટબંધીને કારણે તે સમયે ચલણમાં રહેલી 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થઈ ગઈ હતી.

Advertisement

આ પણ  વાંચો - PM મોદીની શેરબજારની આગાહી સાચી પડી, આ કંપનીના શેરે રોકાણકારોને એક દિવસમાં બનાવ્યા કરોડપતિ

આ પણ  વાંચો - EXIT POLL ના તારણ પછી શેર બજારમાં જબરજસ્ત ઉછાળો, સેન્સેક્સમાં 2621 પોઇન્ટનો વધારો

આ પણ  વાંચો - GST Collection: કેન્દ્ર સરકારે GSTકલેક્શનના આંકડા જાહેર કર્યા

Tags :
Advertisement

.