Waqf Board ની મનમાની વિરુદ્ધ દેશમાં આ રાજ્યે કરી પ્રથમ લલકાર
- Andhra Pradesh સરકારે એક ચોંકાવનારું પગલું ભર્યું
- Andhra Pradesh સરકાર નવા બોર્ડની રચના કરશે
- Waqf Board વિરુદ્ધ કડક નિયમ તૈયાર
Waqf board dissolved : ભારત દેશમાં ફરી એકવાર Waqf Board મામલે લોકોએ હુંકાર ભર્યો છે. કારણ કે... વર્ષોથી Waqf Board દ્વારા દેશમાં ગેરકાયદેસરની જમીન જપ્ત કરવામાં આવી રહી છે. તેવા પૂરાવાઓ સાથે વ્યક્તિઓ સામે આવી રહ્યા છે. બીજી તરફ ભારતમાં સંસદમાં શિયાળુ સત્ર ચાલું રહ્યું છે. તો સંસદના શિયાળુ સત્રમાં પણ Waqf Board માં ફેરફારમાં કરવામાં આવે, તેવું પસાર કરવામાં આવ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે Andhra Pradeshની સરકારે એક ચોંકાવનારું પગલું ભર્યું છે. એટલે કે... Waqf Board વિરુદ્ધ Andhra Pradeshની સરકારે કડક નિયમ તૈયાર છે.
Andhra Pradesh સરકાર હવે નવા બોર્ડની રચના કરશે
Andhra Pradeshમાં Waqf Board માટે નાયડુ સરકારે અગાઉની જગન મોહન સરકાર દ્વારા રચાયેલ વકફ બોર્ડને ભંગ કરી દીધું છે. રાજ્યના કાયદા અને લઘુમતી કલ્યાણ મંત્રી એન. મોહમ્મદ ફારુકે કહ્યું કે શનિવારે આ સંબંધમાં આદેશ જારી કરવામાં આવ્યા છે. Andhra Pradesh સરકાર હવે નવા બોર્ડની રચના કરશે. અગાઉની સરકાર દરમિયાન લઘુમતી કલ્યાણ વિભાગ દ્વારા જારી કરાયેલ GO-47 રદ કરીને સરકારે GO-75 જારી કર્યો હતો. તેને પાછી ખેંચવા માટે ઘણા કારણો આપવામાં આવ્યા છે. જે કેટલાક કારણો સામે આવ્યા છે તે નીચે મુજબ છે.
આ પણ વાંચો: Tunnel Collapsed : Kota માં નિર્માણાધીન ટનલ ધરાશાયી; એકનું મોત, 4 લોકો ગંભીર રીતે ઘાયલ...
- GO-47 સામે તેર રિટ પિટિશન દાખલ કરવામાં આવી
- સુન્ની અને શિયા સમુદાયના વિદ્વાનોનું કોઈ પ્રતિનિધિત્વ નથી
- પૂર્વ સાંસદોને બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા ન હતા
- બાર કાઉન્સિલ કેટેગરીમાંથી જુનિયર એડવોકેટ્સની પસંદગી યોગ્ય ધોરણો વિના કરવામાં આવી
- એસ.કે. બોર્ડના સભ્ય તરીકે ખાજાની ચૂંટણી સામે ઘણી ફરિયાદો મળી
- વિવિધ કોર્ટ કેસના કારણે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ શકી ન હતી
- Waqf Board માર્ચ 2023 થી નિષ્ક્રિય છે, જેના કારણે કામ અટક્યું
આ પણ વાંચો: Maharashtra ના CM ને લઈને આવ્યું નવું અપડેટ!, મહત્વની બેઠક યોજાશે...