Chandrayaan-3: વિક્રમ અને પ્રજ્ઞાન હવે 15 દિવસ શાંતિથી ઉંઘી જશે, વાંચો અહેવાલ
ભારતના ચંદ્રયાન-3 (Chandrayaan-3) મિશને ચંદ્રના સંશોધનમાં વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. પ્રજ્ઞાન રોવરે અત્યાર સુધી ચંદ્રની સપાટી પર 100 મીટરનું અંતર સફળતાપૂર્વક કાપ્યું છે. આ સિદ્ધિ ત્યારે આવી છે જ્યારે ચંદ્ર પર ઓછા સૂર્યપ્રકાશને કારણે ભારતીય અવકાશ સંશોધન...
03:29 PM Sep 02, 2023 IST
|
Vipul Pandya
ભારતના ચંદ્રયાન-3 (Chandrayaan-3) મિશને ચંદ્રના સંશોધનમાં વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. પ્રજ્ઞાન રોવરે અત્યાર સુધી ચંદ્રની સપાટી પર 100 મીટરનું અંતર સફળતાપૂર્વક કાપ્યું છે. આ સિદ્ધિ ત્યારે આવી છે જ્યારે ચંદ્ર પર ઓછા સૂર્યપ્રકાશને કારણે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર બંનેને સ્લીપ મોડમાં મૂકવાની તૈયારી કરી રહી છે એટલે કે ચંદ્ર પર હાજર ચંદ્રયાન-3 મિશનના બંને ભાગ શાંતિથી સૂવા માટે તૈયાર છે. ભારતના પ્રથમ સૂર્ય મિશનના સફળ પ્રક્ષેપણ બાદ ઈસરોના વડા એસ સોમનાથે આ જાહેરાત કરી હતી.
ચંદ્ર પર રાત હોવાથી બંનેને "નિષ્ક્રિય" કરવામાં આવશે
ઈસરોના વડા એસ સોમનાથે શનિવારે જણાવ્યું હતું કે ચંદ્ર પર મોકલવામાં આવેલ ચંદ્રયાન-3નું રોવર અને લેન્ડર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે અને ચંદ્ર પર રાત હોવાથી બંનેને "નિષ્ક્રિય" કરવામાં આવશે. સોમનાથે કહ્યું કે લેન્ડર 'વિક્રમ' અને રોવર 'પ્રજ્ઞાન' હજુ પણ કાર્યરત છે અને "અમારી ટીમ હવે વૈજ્ઞાનિક સાધનો સાથે ઘણું કામ કરી રહી છે".
રોવર લેન્ડરથી ઓછામાં ઓછું 100 મીટર દૂર
તેમણે કહ્યું, "સારા સમાચાર એ છે કે રોવર લેન્ડરથી ઓછામાં ઓછું 100 મીટર દૂર છે અને અમે આગામી એક-બે દિવસમાં નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યા છીએ, કારણ કે ત્યાં (ચંદ્ર પર) રાત છે." આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના અવકાશ કેન્દ્રથી પ્રથમ સૌર મિશન 'આદિત્ય એલ1'ના સફળ પ્રક્ષેપણ પછી મિશન કંટ્રોલ સેન્ટરમાંથી ઈસરોના વડાએ પોતાના સંબોધનમાં આ માહિતી આપી હતી.
મિશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય પાણીની શોધ અને ચંદ્રની સપાટીની વિશેષતાઓનો અભ્યાસ કરવાનો
14 જુલાઈ, 2023 ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાયેલ ચંદ્રયાન-3, ભારતને ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ચોથો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક આવું કરનાર પ્રથમ દેશ બનાવ્યો. મિશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય પાણીની શોધ અને ચંદ્રની સપાટીની વિશેષતાઓનો અભ્યાસ કરવાનો છે.
ચંદ્ર ક્ષેત્રમાં સલ્ફરની હાજરીની પુષ્ટિ
આ પહેલા ઈસરોએ કહ્યું હતું કે ચંદ્રયાન-3 મિશનના રોવર 'પ્રજ્ઞાન' પર લગાવવામાં આવેલા અન્ય ઈન્સ્ટ્રુમેન્ટે પણ અલગ ટેકનિકનો ઉપયોગ કરીને ચંદ્ર ક્ષેત્રમાં સલ્ફરની હાજરીની પુષ્ટિ કરી છે. ઈસરોએ સુરક્ષિત માર્ગની શોધમાં આગળ વધી રહેલા રોવરનો વીડિયો પણ જાહેર કર્યો છે. આ પરિભ્રમણ પ્રક્રિયાનો વીડિયો લેન્ડર ઈમેજર કેમેરા દ્વારા બનાવવામાં આવ્યો હતો. આજે લોકોની નજર તેના દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ પર કેન્દ્રિત હતી.
Next Article