Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chandrayaan 3 : અભિનેતા પ્રકાશ રાજે કરી કંઇક એવી હરકત કે યુઝર્સે કહ્યું- આ આંધળો વિરોધ...

પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પર એક વાસણમાંથી બીજા વાસણમાં ચા રેડતા કાર્ટૂન પાત્રની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કર્યા બાદથી જ ટ્રોલર્સ તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. યૂઝર્સ તેમના પર ચંદ્રયાન-3 મિશનની મજાક ઉડાવવાનો...
chandrayaan 3   અભિનેતા પ્રકાશ રાજે કરી કંઇક એવી હરકત કે યુઝર્સે કહ્યું  આ આંધળો વિરોધ

પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પર એક વાસણમાંથી બીજા વાસણમાં ચા રેડતા કાર્ટૂન પાત્રની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કર્યા બાદથી જ ટ્રોલર્સ તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. યૂઝર્સ તેમના પર ચંદ્રયાન-3 મિશનની મજાક ઉડાવવાનો આરોપ લગાવી રહ્યા છે.

Advertisement

વાસ્તવમાં, પ્રકાશ રાજે સોશિયલ મીડિયા વેબસાઇટ X (Twitter) પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં લુંગી અને શર્ટ પહેરેલો એક કાર્ટૂન પાત્ર બે જગમાં ઉપર-નીચે ચા રેડતો જોવા મળે છે. તેણે આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે વિક્રમલેન્ડરે ચંદ્ર પરથી પહેલી તસવીર મોકલી છે. તેણે આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ યુઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા.

પ્રકાશ રાજનો આ ફોટો જોયા બાદ યુઝર્સે તેને આંધળો વિરોધ ગણાવ્યો હતો. એક યુઝરે કહ્યું કે આવી તસવીર શેર કરીને તમે અમારા વૈજ્ઞાનિકોની મજાક ઉડાવી રહ્યા છો. ચાર્લી નામના હેન્ડલે લખ્યું છે કે ચંદ્રયાન મિશન બીજેપીનું નથી, પરંતુ ઈસરોનું છે. જો આમાં સફળતા મળશે તો તે કોઈ પક્ષની નહીં પણ ભારતની સફળતા હશે. તમે શા માટે આ મિશન નિષ્ફળ જવા માંગો છો. ભાજપ માત્ર સત્તાધારી પક્ષ છે. એક દિવસ તે નીકળી જશે. ઈસરો ઘણા વર્ષો સુધી રહેશે અને આપણને ગર્વ કરાવતું રહેશે.

Advertisement

અન્ય એક યુઝર પલ્લવી સીટીએ લખ્યું, 'શું તમે મોદીજીનો વિરોધ કરવામાં એટલા આંધળા થઈ ગયા છો કે તમે ઈસરોના વૈજ્ઞાનિકોની મહેનતની મજાક ઉડાવી રહ્યા છો. તમે વિક્રમ લેન્ડરની પણ નિંદા કરી રહ્યા છો, જેનું નામ અમારા સ્પેસ પ્રોગ્રામના પિતા વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. નીતુ ખંડેલવાલ નામના યુઝરે લખ્યું કે ચંદ્રયાન-3 મિશન ભારત માટે છે. એક ભારતીય હોવાને કારણે તમારે અહીંની તકનીકી પ્રગતિ પર ગર્વ હોવો જોઈએ. જણાવી દઈએ કે આ પહેલા પણ પ્રકાશ રાજ આવા વાંધાજનક નિવેદન આપી ચુક્યા છે.

Advertisement

પત્રકાર ગૌરી લંકેશની હત્યાને લઈને પીએમ મોદી પર નિશાન સાધતા પ્રકાશ રાજે કહ્યું હતું કે લોકો સોશિયલ મીડિયા પર ગૌરી લંકેશની હત્યાની ખુલ્લેઆમ ઉજવણી કરી રહ્યા છે. ઉજવણી કરનારા લોકો પણ એવા છે જેમને પીએમ મોદી સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. પ્રકાશ રાજે પીએમ મોદીને પોતાના કરતા પણ મોટા અભિનેતા ગણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે મને કોઈ એવોર્ડ નથી જોઈતો. મને કહેશો નહીં કે સારા દિવસો આવશે. હું જાણીતો અભિનેતા છું, જ્યારે તમે અભિનય કરો છો, ત્યારે હું ઓળખું છું.

આ પણ વાંચો : બોલિવુડ અભિનેતા પંકજ ત્રિપાઠીના પિતાનું 98 વર્ષની વયે નિધન

Tags :
Advertisement

.