VADODARA : 'વડોદરામાં ઐતિહાસિક ગતિએ કામ થઇ રહ્યું છે', ગૃહમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો
VADODARA : રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT - HARSH BHAI SANGHAVI) આજે વડોદરાની મુલાકાતે (VADODARA VISIT) છે. સવારે તેઓ રેલ માર્ગે વડોદરા આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ સમા વિસ્તારમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ (VISHWAMITRI PROJECT) ની મુલાકાતે ગયા હતા. અને ત્યાર બાદ જિલ્લા અને શહેરના ટોચના અધિકારીઓ જોડે બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે કહ્યું કે, વિશ્વામિત્રી રિવાઇવલ સહિતના પ્રોજેક્ટની કામગીરી ઐતિહાસિક ઝડપે થઇ રહી છે. આ ગતિએ કામ કરનારું આ દેશનું પ્રથમ રાજ્ય હોવાનું તેમણએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
15 દિવસમાં કામના કલાકો વધારીને તેને પૂર્ણ કરવાનું પ્લાનીંગ કરાયું
હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું કે, વડોદા વહીવટી તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર, નગર પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ સ્ટેક હોલ્ડર્સ જોડે આજે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન દરમિયાન, પાલિકાને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અભિનંદન આપ્યા છે. ઝડપથી અને ધાર્યા કરતા વધારે ઝડપે આ કામગીરી ચાલી રહી છે. પાલિકા સિવાયનો 24 કિમીનો વિસ્તાર સિંચાઇ વિભાગમાં કામ કરવામાં આવી રહ્યું છે. તેમાં વરસાદ પહેલા આ કામગીરી પુર્ણ કરવાની તૈયારીઓ થઇ ગઇ છે. વિભાગ દ્વારા 32 ટકા કામગીરી કરવામાં આવી છે. આવનારા 15 દિવસમાં કામના કલાકો વધારીને તેને પૂર્ણ કરવાનું પ્લાનીંગ કરાયું છે. સિંચાઇ વિભાગ દ્વારા ચેકડેમ, હયાત ચેકડેમનું રીપેરીંગ, કાંસ અને પાલિકાની પ્રિમોન્સુન કામગીરીને લઇને પ્રેઝન્ટેશન થયું છે. જેમાં સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અધિકારીઓ જોડે ચર્ચા કરવામાં આવી છે. મને વિશ્વાસ છે કે, આ વર્ષે પ્રિમોન્સુનથી લઇને વિશ્વામિત્રી રિવાઇલનું કામ પૂર્ણ કરી શકીશું.
રોજ 1 ટકા કામગીરીનું ટાર્ગેટ હતું
તમામ વ્યવસ્થાઓ હોય તો જ પ્રોજેક્ટ ઝડપથી ચાલી શકે. મને વિશ્વાસ છે કે જે રીતે તૈયારી કરી છે, અને આવનાર દિવસોનું જે પ્લાનીંગ છે. તેમાં આવનાર સમયમાં આપણે ખુબ સારી રીતે પરિણામ પ્રાપ્ત કરીશું. 45 દિવસ થયા છે, રોજ 1 ટકા કામગીરીનું ટાર્ગેટ હતું, તેનાથી આગળ ચાલી રહ્યા છે. બધા સાથે મળીને નાગરિકોના હિતમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. મને 100 ટકા વિશ્વાસ છે, ટીમ વડોદરાને આમાં મોટી સફળતા મળશે.
પ્રોજેક્ટ પુરો થતા જ નદીની વહન ક્ષમતા મોટા પાયે વધશે
બોટને લઇને પણ અમારી વાત થઇ છે. પાલિકા કમિશનરે તરવૈયા તૈયાર કરવા માટે ગંભીરતા પૂર્વક તમામ સાથે કામ કરી રહ્યા છે. રાજ્ય સરકારે પણ કહ્યું છે કે, જે કોઇ બોટની જરૂર હોય તેને પહેલાથી જ એનડીઆરએફ, એસડીઆરએફ જે માંગશે, તે આપવામાં આવશે. સુએજના નવા પ્રોજેક્ટ માટે પ્લાનીંગ કરવામાં આવ્યા છે, અને તેની પણ ચર્ચા થઇ છે. આ પ્રોજેક્ટ પુરો થતા જ નદીની વહન ક્ષમતા મોટા પાયે વધશે, બાકી ગયા વખતે જે કહ્યું છે, તે તમામની કામગીરી શરૂ થઇ ગઇ છે. આ ઐતિસાહીક ઝડપે ચાલી રહી છે. જે મેં આજદિન સુધી આટલી ઝડપી કામગીરી કરી હોય તો સર્વપ્રથમ વડોદરા મહાનગર પાલિકામાં કરાઇ છે. ટેક્નિકલ અને લીગલ પાસાને ધ્યાને રાખવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટનું 50 ટકા કાર્ય પૂર્ણ, ગૃહમંત્રીએ કરી સમીક્ષા