Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttar Pradesh : સત્સંગમાં ભાગદોડથી 25થી વધુના મોત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ (Hathras) માં એક મોટી દુર્ઘટના થઇ છે. જ્યા સત્સંગમાં ભાગદોડ થવાના કારણે 25 થી વધુ લોકોના મોત થયા છે. આ ભાગદોડમાં ઘણી મહિલાઓ અને બાળકો ઈજાગ્રસ્ત (Women and Children Injured) થયા છે. મહિલા અને...
uttar pradesh   સત્સંગમાં ભાગદોડથી 25થી વધુના મોત
Advertisement

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ (Hathras) માં એક મોટી દુર્ઘટના થઇ છે. જ્યા સત્સંગમાં ભાગદોડ થવાના કારણે 25 થી વધુ લોકોના મોત થયા છે. આ ભાગદોડમાં ઘણી મહિલાઓ અને બાળકો ઈજાગ્રસ્ત (Women and Children Injured) થયા છે. મહિલા અને બાળકોને એટા મેડિકલ કોલેજ (Etah Medical College) માં દાખલ કરવામાં આવ્યા છે.

50 થી વધુ લોકોના મોતની આશંકા

ઉત્તર પ્રદેશના હાથરસના સિકંદરરાઉના મંડી પાસેના ફૂલરાઈ ગામમાં ભોલે બાબાના સત્સંગના સમાપન દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ નાસભાગમાં 25થી વધુ લોકોના મોત થયા છે. CMO એ કહ્યું કે તેમની હોસ્પિટલમાં 27 લોકોના મૃતદેહ આવ્યા છે, જેમાંથી 25 મહિલાઓ પણ છે. તેથી મૃત્યુઆંક પણ વધી શકે છે. ઘાયલોને એટા મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકો 50 થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસની ટીમો અને વહીવટીતંત્રના અધિકારીઓ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. ઘાયલ મહિલાઓ, બાળકો અને પુરૂષોને બેભાન અવસ્થામાં એટા, અલીગઢ, સિકંદરરાવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંડાલમાં ભારે ગરમી અને ભેજને કારણે નાસભાગ મચી ગઈ હતી.

Advertisement

  • સત્સંગમાં ભાગદોડથી 30થી વધુ મોત
  • ઉત્તર પ્રદેશના હાથરસમાં મોટી દુર્ઘટના
  • હાથરસના ફુલરઈ ગામમાં હતો સત્સંગ
  • ભોલે બાબાના સત્સંગ સમાપનમાં ઘટના
  • મૃતકોમાં સૌથી વધુ મહિલા અને બાળકો
  • કેટલાક એટા મેડિકલ કોલેજમાં દાખલ

Advertisement

ગામ છાવણીમાં ફેરવાયું

પોલીસ પ્રશાસન અને એમ્બ્યુલન્સ મોડી ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે લખનૌમાં કોઈ મોટા જવાબદાર અધિકારીએ હજુ સુધી કોઈ અપડેટ નથી આપ્યું, પરંતુ CMOએ કહ્યું છે કે 27 લોકોના મૃતદેહ હોસ્પિટલ પહોંચ્યા છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે. આખું ગામ છાવણીમાં ફેરવાઈ ગયું છે. હાથરસમાં બનેલી ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિક મુખ્ય સચિવ ગૃહ દીપક કુમાર પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. આ સાથે રાહત કાર્યને ઝડપી બનાવવા અને ઘાયલોની સારવાર વગેરેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પોલીસ પ્રશાસન સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર મોકલવા સૂચના આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપી હતી. ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી હતી. તેમજ ઈજાગ્રસ્તોના જલ્દી સાજા થવાની કામના પણ કરી હતી.

આ પણ વાંચો - Haryana : કરનાલમાં માલસામાનની ટ્રેન પાટા પરથી ઉતરી, રેલ વ્યવહાર ખોરવાયો…

આ પણ વાંચો - Assam માં Flood ને કારણે પરિસ્થિતિ વણસી, 6 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત, ભારે વરસાદની ચેતવણી…

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Pune : ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 30 લોકોના ડૂબી જવાની આશંકા, બે મૃતદેહ મળી આવ્યા

featured-img
Top News

Mathura News : મથુરામાં મોટી દુર્ઘટના, 6 ઘર ધરાશાયી, 12 લોકો દટાયા, બચાવ કામગીરી શરૂ

featured-img
રાષ્ટ્રીય

Manali Video : હિમાચલ પ્રદેશના મનાલીમાં પર્યટક સાથે દુર્ઘટના, 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી બાળકી

featured-img
ગુજરાત

Ahmedabad Plane Crash : સ્વ. વિજયભાઈ રૂપાણીની આવતીકાલે યોજાશે અંતિમયાત્રા, PC માં આપી માહિતી

featured-img
Top News

'વર્ષ 2029 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના ટ્રેક પર' : સર્બાનંદ સોનોવાલ

featured-img
ટેક & ઓટો

Elon Musk કંઈક એવું બતાવવા માંગે છે જેનું અસ્તિત્વ જ નથી! વાંદરાઓ પર ટ્રાયલ થઇ હવે માણસોનો વારો

×

Live Tv

Trending News

.

×