ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Supreme : "કોવિડ વેક્સિનની આડઅસરની અરજી માત્ર સનસનાટી ફેલાવા.."

સુપ્રીમ કોર્ટે કોવિડ વેક્સિનની આડઅસર સંબંધિત અરજીને ફગાવી દીધી ખંડપીઠે કહ્યું કે આ અરજી માત્ર સનસનાટી ફેલાવવાનો પ્રયાસ જસ્ટિસે અરજદારને પૂછ્યું કે શું તેણે રસી લીધી છે? તમારી સાથે કંઈક થયું છે અરજદારના વકીલે રસી લેવાનું કબૂલ્યું હતું પરંતુ...
03:37 PM Oct 14, 2024 IST | Vipul Pandya
Supreme Court on Covid Vaccine pc google

Supreme Court on Covid Vaccine : સુપ્રીમ કોર્ટે કોવિડ વેક્સિન (Supreme Court on Covid Vaccine)ની આડઅસર સંબંધિત અરજીને ફગાવી દીધી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોવિડ વેક્સીનના ઉપયોગ પછી આડ અસરો (બ્લડ ગંઠાઈ જવું, હાર્ટ એટેક) મનુષ્યોમાં જોવા મળે છે, જેના સંદર્ભમાં યુકેની કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે પીઆઈએલ ફગાવી દેતી વખતે કહ્યું કે તે માત્ર સનસનાટી ફેલાવવા માટે છે. આપણે પરિસ્થિતિ વિશે પણ વિચારવું જોઈએ કે જો રસી ન લેવામાં આવી હોત તો તેની આડઅસર શું હોત

ખંડપીઠે કહ્યું કે આ અરજી માત્ર સનસનાટી ફેલાવવાનો પ્રયાસ

જસ્ટિસે અરજદારને પૂછ્યું કે શું તેણે રસી લીધી છે? તમારી સાથે કંઈક થયું છે, જેના પર અરજદારના વકીલે રસી લેવાનું કબૂલ્યું હતું પરંતુ કોઈ આડઅસર નકારી કાઢી હતી. તેના પર ખંડપીઠે કહ્યું કે આ અરજી માત્ર સનસનાટી ફેલાવવાનો પ્રયાસ હોય તેવું લાગે છે, તેથી અમે તેને ફગાવી રહ્યા છીએ.

આ પણ વાંચો---શાળાઓમાં બાળકોના યૌન ઉત્પીડન અંગે Supreme Court લાલધૂમ, જાણો શું કહ્યું...

કોવિડશિલ્ડ રસી અને તેની આડઅસરો અને જીવલેણ જોખમોની તપાસ કરવી જોઈએ

પ્રિયા મિશ્રા અને અન્ય અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં સુપ્રીમ કોર્ટમાં માંગ કરાઇ હતી કે તબીબી નિષ્ણાતોની સમિતિએ એસ્ટ્રાઝેનેકાની કોવિડશિલ્ડ રસી અને તેની આડઅસરો અને જીવલેણ જોખમોની તપાસ કરવી જોઈએ. આ અરજીમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી હતી કે આ સમિતિમાં દિલ્હી AIIMSના ડાયરેક્ટર અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજને સામેલ કરવા જોઈએ જેથી રસીના જોખમોનો અભ્યાસ કરી શકાય. આ ઉપરાંત પિટિશનમાં એવી પણ માગણી કરવામાં આવી હતી કે આ રસીને કારણે જે લોકોને નુકસાન થયું છે તેમના માટે વેક્સિન ડેમેજ પેમેન્ટ સિસ્ટમ ઉભી કરવામાં આવે, જેમાં વળતરની જોગવાઈ હોવી જોઈએ.

ભારતમાં આ રસીના 175 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા

હકીકતમાં, કોવિડ રસી બનાવતી બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકાએ એપ્રિલમાં કોર્ટમાં સ્વીકાર્યું હતું કે આ રસી માનવો માટે ખતરનાક આડઅસર કરી શકે છે. તેમણે સ્વીકાર્યું કે રસી લોહીના ગંઠાવાનું અને પ્લેટલેટની ઉણપનું કારણ બની શકે છે, જો કે શક્યતા ઘણી ઓછી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોવિડશિલ્ડ રસી પણ એસ્ટ્રાઝેનેકાના ફોર્મ્યુલા પર આધારિત હતી. ભારતમાં આ રસીના 175 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે અને કરોડો ડોઝ વિદેશમાં પણ મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો---Supreme : દબાણ કરીને બનેલા મંદિર કે મસ્જિદ કે દરગાહ હોય..તેને તોડવા જોઇએ

Tags :
AstraZeneca's CovidShield Vaccineattempt to spread sensationCoronacovid vaccineCovid-19CovidShield VaccinePetitionPILside effects of the Covid vaccineSupreme CourtSupreme Court on Covid Vaccine
Next Article