Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અયોધ્યામાં રામ મંદિરના સુવર્ણ દરવાજાની પહેલી તસવીર આવી સામે

અયોધ્યા (Ayodhya) ના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બાંધકામની કામગીરી ઝડપી કરવામાં આવી છે. આ ક્રમમાં મંગળવારે ભગવાન શ્રી રામ મંદિરમાં પ્રથમ સોનાનો દરવાજો (Golden Gate) સ્થાપિત કરવામાં આવ્યો હતો. આવા 13...
07:11 PM Jan 09, 2024 IST | Hardik Shah

અયોધ્યા (Ayodhya) ના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બાંધકામની કામગીરી ઝડપી કરવામાં આવી છે. આ ક્રમમાં મંગળવારે ભગવાન શ્રી રામ મંદિરમાં પ્રથમ સોનાનો દરવાજો (Golden Gate) સ્થાપિત કરવામાં આવ્યો હતો. આવા 13 વધુ સુવર્ણ દરવાજા આગામી ત્રણ દિવસમાં સ્થાપિત કરવામાં આવશે.

દરવાજામાં શું છે ખાસ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર (Ram Temple) ના ભવ્ય ઉદ્ઘાટન પહેલા મંગળવારે મંદિરના સોના (Gold) થી સજ્જ દરવાજાઓની પ્રથમ તસવીર સામે આવી છે.  જણાવી દઇએ કે, સુવર્ણ દ્વારની ઊંચાઈ 8 ફૂટ અને પહોળાઈ 12 ફૂટ છે. 3 દિવસમાં સોનાના વધુ 13 દરવાજા લાગશે. તે પછી વધુ 42 દરવાજા પર 100 કિલો સોનાનું લેયર ચઢાવાશે. સમગ્ર મંદિરમાં કુલ 46 દરવાજા લગાવવામાં આવશે. જણાવી દઇએ કે, દરવાજો હૈદરાબાદ (Hyderabad) સ્થિત કારીગર દ્વારા બનાવવામાં આવ્યો છે. રામ મંદિરના પહેલા દરવાજાની જે તસવીર સામે આવી છે, તેમાં જોવામાં આવે છે કે દરવાજાની વચ્ચેની પેનલમાં બે હાથીઓની તસવીર છે. જે સ્વાગતના મુદ્રામાં છે. તેના ઉપરના ભાગમાં મહેલ જેવો આકાર છે જેમાં બે સેવક હાથ જોડીને ઉભા છે. દરવાજાની નીચે ચાર ચોરસમાં બનાવેલી સુંદર કલાકૃતિઓ છે જે મનમોહક છે.

જટાયુની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે

આ પહેલા રામ મંદિરમાં મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી રહી છે. જટાયુની મૂર્તિ સોમવારે અયોધ્યાથી આવી પહોંચી હતી. રામ મંદિર પરિસરમાં જટાયુની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. આ મૂર્તિ અયોધ્યા મંદિરમાં બનેલા કુબેર ટેકરા પર સ્થાપિત કરવામાં આવી છે. જટાયુની આ પ્રતિમા 20 ફૂટ પહોળી અને 8 ફૂટ ઊંચી છે. તેને બનાવવામાં લગભગ 3 મહિનાનો સમય લાગ્યો હતો.

શું છે રામ મંદિરની વિશેષતાઓ ?

આ પણ વાંચો - Ram Mandir ટ્રસ્ટના સભ્યની અપીલ – વેદ, પુરાણ અને રામાયણ જેવા ધાર્મિક ગ્રંથોમાંથી બાળકોના નામ પસંદ કરો…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ayodhyaayodhya newsfirst picture of the golden gategolden gateGujarat Firstram mandirRam templeUP
Next Article