Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખેડૂતોની વ્હારે આવી કોંગ્રેસ સરકાર, આ રાજ્યમાં 2 લાખ સુધીના દેવા કરશે માફ

તેલંગાણાની કોંગ્રેસ સરકારે (The Congress government of Telangana) ખેડૂતો (Farmers) માટે એક મોટો નિર્ણય લીધો છે. તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવન્ત રેડ્ડી (Telangana Chief Minister A Revanth Reddy) એ શુક્રવારે કહ્યું હતું કે, ખેડૂતો (Farmers) માટે 2 લાખ રૂપિયાની લોન માફી...
01:13 PM Jun 22, 2024 IST | Hardik Shah
Farmers in Telangana Congress government

તેલંગાણાની કોંગ્રેસ સરકારે (The Congress government of Telangana) ખેડૂતો (Farmers) માટે એક મોટો નિર્ણય લીધો છે. તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવન્ત રેડ્ડી (Telangana Chief Minister A Revanth Reddy) એ શુક્રવારે કહ્યું હતું કે, ખેડૂતો (Farmers) માટે 2 લાખ રૂપિયાની લોન માફી ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. આ પહેલા વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસે ખેડૂતોની લોન માફીનું વચન આપ્યું હતું.

સરકાર પર 31,000 કરોડ રૂપિયાનો બોજ પડશે

રાજ્ય કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા રેડ્ડીએ જણાવ્યું હતું કે જે ખેડૂતોએ 12 ડિસેમ્બર, 2018 અને 9 ડિસેમ્બર, 2023 વચ્ચે 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી છે, તેમની સંપૂર્ણ લોન માફ કરવામાં આવશે. ગયા અઠવાડિયે જ ઝારખંડમાં સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના બિલ માફ કરવાની જાહેરાત કરી હતી. રેડ્ડીએ કહ્યું કે, લોન માફીથી રાજ્યની તિજોરી પર આશરે રૂ. 31,000 કરોડનો બોજ પડશે. બીજી તરફ તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉની BRS સરકારે 1 લાખ રૂપિયાની લોન માફીના વચનને પ્રમાણિકપણે અમલમાં ન મૂકીને ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા હતા. રેડ્ડીએ કહ્યું કે, તેમની સરકાર 2 લાખ રૂપિયાની કૃષિ લોન માફીનું ચૂંટણી વચન પૂરું કરી રહી છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, અગાઉની સરકારે તેના 10 વર્ષના શાસનમાં માત્ર રૂ. 28,000 કરોડની કૃષિ લોન જ માફ કરી હતી. જ્યારે અમે 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાના છીએ.

ઝારખંડમાં લોન માફી સાથે મફત વીજળી

ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને કહ્યું હતું કે, તેમની ગઠબંધન સરકાર ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરશે. આ સાથે મફત વીજળીનો ક્વોટા વધારીને 200 યુનિટ કરવામાં આવશે. આ માટે તેમણે ઘણી બેંકોને દરખાસ્તો રજૂ કરવા કહ્યું હતું. સોરેનના જણાવ્યા અનુસાર, 31 માર્ચ, 2020 સુધી, ખેડૂતોની 50 હજાર રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોન વન ટાઇમ સેટલમેન્ટ દ્વારા માફ કરવામાં આવશે.

આ પણ વાંચો - મોદી કેબિનેટની બેઠકમાં મોટા નિર્ણયોને મંજૂરી, ખેડૂતો માટે 14 પાક પર MSP લાગુ…

આ પણ વાંચો - ચૂંટણી પહેલા હરિયાણામાં ખેડૂત સંગઠનો સક્રિય, રાજ્યમાં યાત્રા કાઢી ભાજપને ચિંતામાં મુકવાની તૈયારી

Tags :
A revanth reddyAgricultural loansDebt cancellationEconomic burdenFarm loan waiverFarmersfarmers loansFarmers' debt reliefFree electricity for farmersGujarat FirstHardik ShahJharkhandJharkhand loan waiverLoan forgivenessloan waiverRevanth ReddyTelanganaTelangana Chief Minister A Revanth ReddyTelangana Congress governmentThe Congress government of Telangana
Next Article