Swati Maliwal Case : બિભવ કુમારની આગોતરા જામીન અરજી ફગાવી, જાણો કોર્ટમાં શું થયું...
CM અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમારની દિલ્હી પોલીસે શનિવારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સાથે કથિત રીતે મારપીટ અને દુર્વ્યવહાર કરવા બદલ તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે. ધરપકડ બાદ બિભવ કુમારે તીસ હજારી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આ અરજી પર આજે જ સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે બિભવ કુમારની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. તે જ સમયે, દિલ્હીના DCP ઉત્તર કાર્યાલયમાં દિલ્હી પોલીસની ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે, જેમાં દિલ્હી પોલીસ કમિશનરના ઓએસડી મનીષી ચંદ્રા અને અન્ય અધિકારીઓ હાજર છે. અરવિંદ કેજરીવાલ થોડા સમયમાં પીસી કરવા જઈ રહ્યા છે.
કોર્ટમાં શું થયું, જાણો વિગત...
દિલ્હી પોલીસ આજે જ બિભવ કુમારને કોર્ટમાં રજૂ કરશે અને રિમાન્ડની માંગણી કરશે. તીસ હજારી કોર્ટમાં બિભવ કુમારની આગોતરા જામીન અરજી પર સુનાવણી શરૂ થઈ ગઈ છે. વરિષ્ઠ વકીલ એન હરિહરને બિભવ કુમાર વતી દલીલો રજૂ કરવાની શરૂઆત કરી હતી. બિભવ કુમાર વતી એડવોકેટ હરિહરન હાજર રહ્યા છે. વકીલે કહ્યું- શનિવારે અમે તમને પરેશાન કરવા પડ્યા કારણ કે આવી સ્થિતિ ઊભી થઈ. બિભવ પોલીસ સ્ટેશનમાં હાજર છે. તે 12 વાગ્યાથી ત્યાં છે અને ધરપકડની શક્યતા છે.
#WATCH | Lawyer and Delhi State President AAP Legal Cell, Adv Sanjeev Nasair says, "We had this apprehension that as soon as it feels that the court is convinced and it reserves the order, Delhi Police can play a game. Delhi Police is not doing this on its own, it is doing this… https://t.co/qUwvvPoltY pic.twitter.com/CRGXV6fQx3
— ANI (@ANI) May 18, 2024
IPC 308 અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એવી કોઈ કલમ નથી કે જેમાં સાત વર્ષથી વધુની સજા હોય.
- વકીલ - આ કેસમાં આરોપીઓને કોઈ નોટિસ આપવામાં આવી નથી.
- એડવોકેટ હરિહરને કહ્યું હતું કે કોઈ પણ આરોપો પર વિશ્વાસ કરી શકે નહીં.
- અમને અત્યારે બિભવની હાલત ખબર નથી, અમને ડર છે કે તેની ધરપકડ થઈ શકે છે.
- વકીલઃ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) જે આક્ષેપો કરી રહી છે તે સમજની બહાર છે. બિભવ આમ કેમ મારપીટ કરશે એ સમજની હાર છે!
- વકીલઃ માલીવાલે આક્ષેપ કર્યો છે તેમ મુખ્યમંત્રીના નિવાસસ્થાને કોઈ આવું કૃત્ય કેમ કરશે?
- એડવોકેટ હરિહરને કહ્યું કે, સ્વાતિ પર હુમલો કરવામાં આવ્યો હતો, જો તે ચીસો પાડતી હોત તો ત્યાં હાજર લોકોએ તે સાંભળ્યું હોત.
- એડવોકેટ હરિહરને કહ્યું કે જે જગ્યાએ ઘટના બની ત્યાં CCTV હાજર હતા. CM ને મળવા માટે પહેલા એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે, પરંતુ સ્વાતિ સીધા CM આવાસ પર પહોંચી ગયા, જે CM ની સુરક્ષામાં સીધો ભંગ છે.
- કોર્ટમાં 13 મેના CCTV બતાવવામાં આવ્યા હતા જેમાં સુરક્ષાકર્મીઓ સ્વાતિ માલવાલને મુખ્યમંત્રીના ઘરની બહાર લઈ જઈ રહ્યા હતા.
- જજને સ્વાતિ માલીવાલ (Swati Maliwal)નો CM આવાસની બહાર નીકળતા CCTV વીડિયો બતાવવામાં આવ્યો હતો.
- CCTV જોઈને જજે કહ્યું કે સ્વાતિ માલીવાલે (Swati Maliwal) કુર્તી પહેરી છે જેના પર બટન નથી, તેથી બટનો તોડવાનો કોઈ પ્રશ્ન જ નથી.
- સરકારી વકીલે કોર્ટમાં કહ્યું- એકતરફી તસવીર બતાવવામાં આવી રહી છે, ફરિયાદીના 164 નિવેદન લેવામાં આવ્યા છે. અદાલતે તપાસ અધિકારીના જવાબ વિના કોઈ રાહત આપવા અંગે કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં.
હું તપાસમાં સહકાર આપવા તૈયાર છું - બિભવ
તમને જણાવી દઈએ કે, કસ્ટડીમાં લેવાતા પહેલા બિભવ કુમારે દિલ્હી પોલીસને ઈમેલ મોકલ્યો હતો. જેમાં તેણે પોલીસને કહ્યું છે કે "તે તપાસમાં સહકાર આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બિભવે કહ્યું કે મને મીડિયા દ્વારા મારી સામે નોંધાયેલી FIR ની માહિતી મળી છે અને હું પૂછપરછ માટે તપાસમાં સહકાર આપીશ. તેણે આ પણ કહ્યું કે મેં 13 મેના રોજ બનેલી આ ઘટના અંગે પણ ફરિયાદ કરી છે, જેના પર દિલ્હી પોલીસે સંજ્ઞાન લેવું જોઈએ.
દિલ્હી પોલીસે બિભવની ધરપકડ કરી...
બિભવની ધરપકડ કર્યા બાદ દિલ્હી પોલીસ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ છે. સ્વાતિ માલીવાલ (Swati Maliwal) કેસમાં પોલીસે 10 ટીમો બનાવી હતી, જેમાંથી 4 ટીમો બિભવનું લોકેશન શોધી રહી હતી કારણ કે બિભવ શહેરમાં હાજર ન હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો : Haryana : PM મોદીએ અંબાલામાં જનસભાને સંબોધી, કહ્યું- કોંગ્રેસે સેનાઓ સાથે પણ કર્યો છે દગો…
આ પણ વાંચો : SWATI MALIWAL નો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, શરીર પર 4 જગ્યાએ ઈજાની થઈ પુષ્ટિ
આ પણ વાંચો : હવે એક ‘ગુંડા’ ના દબાણને વશ થઈ ગઈ છે AAP : સ્વાતિ માલીવાલ