ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

કોંગ્રેસના સજ્જન કુમારને આજીવન કેદની સજા, 1984નાં શીખ વિરોધી રમખાણોમાં હત્યાનો કેસ

દિલ્હીમાં 1984નાં શીખ વિરોધી રમખાણો કેસમાં મંગળવારે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ બપોરે 2 વાગ્યા પછી ચુકાદો સંભળાવ્યો. કોર્ટે 21 ફેબ્રુઆરીએ સજા પર નિર્ણય અનામત રાખ્યો હતો.
03:40 PM Feb 25, 2025 IST | PIYUSHSINH SOLANKI
featuredImage featuredImage

દિલ્હીમાં 1984નાં શીખ વિરોધી રમખાણો કેસમાં મંગળવારે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ બપોરે 2 વાગ્યા પછી ચુકાદો સંભળાવ્યો. કોર્ટે 21 ફેબ્રુઆરીએ સજા પર નિર્ણય અનામત રાખ્યો હતો.

પીડિત પક્ષે સજ્જન કુમાર માટે મૃત્યુદંડની માગ કરી હતી. સજ્જન કુમારને 12 ફેબ્રુઆરીએ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસ રમખાણો દરમિયાન સરસ્વતી વિહારમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યા સાથે સંબંધિત છે.

આ સમયગાળા દરમિયાન સજ્જન આઉટર દિલ્હી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ હતા. તે હાલમાં રમખાણો સંબંધિત બીજા કેસમાં તિહાર જેલમાં બંધ છે અને આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

પહેલા ત્રણ વખત મુલતવી રહ્યો છે નિર્ણય

31 જાન્યુઆરી, 2025એ થયેલી સુનાવણીમાં રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમાર પરનો ચુકાદો મુલતવી રાખ્યો હતો. અગાઉ, 8 જાન્યુઆરી અને 16 ડિસેમ્બર, 2024એ પણ નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. બંને વખત તિહારમાં બંધ સજ્જન કુમાર વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં હાજર થયા હતા.

ડિસેમ્બર 2021માં સજ્જન કુમારે કહ્યું હતું કે તેઓ આ કેસમાં નિર્દોષ છે અને ટ્રાયલનો સામનો કરશે. આ કેસમાં સજ્જન કુમારને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ પછી, તેમની સામે આરોપો ઘડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: UK Scholarship For Indians : ભારતીયોને મળી રહી છે લાખોની શિષ્યવૃત્તિ, જાણો શું છે શરતો

Tags :
1984 Sikh RiotsCongressJustice For Sikhslife imprisonmentSajjan Kumar