Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું નિધન

ફોટો જર્નાલિસ્ટ અને પહ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષની વયે નિધન થયું છે. તેમણે અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. ઝવેરીલાલ દલપતરામ મહેતા પ્રખ્યાત ફોટો જર્નાલિસ્ટ હતા. અને સાહિત્ય અને શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી...
11:27 PM Nov 27, 2023 IST | Maitri makwana

ફોટો જર્નાલિસ્ટ અને પહ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષની વયે નિધન થયું છે. તેમણે અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. ઝવેરીલાલ દલપતરામ મહેતા પ્રખ્યાત ફોટો જર્નાલિસ્ટ હતા. અને સાહિત્ય અને શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું નિધન થયું 

ગુજરાત સહિત દેશભરમાં જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું આજે નિધન થયું છે. તેમની ઉંમર 97 વર્ષની હતી. ઝવેરીલાલ મહેતા હાલમાં તેમના દીકરીના ઘરે રહેતા હતા. તેમનું નિધન તેમની પુત્રી કાનન જોશીના ઘરે વય-સંબંધિત બીમારીને કારણે થયું હતું.

આવતીકાલે સવારે 11 વાગે તેઓની અંતિમયાત્રા નીકળશે

આવતીકાલે સવારે 11 વાગે અમદાવાદના શારદા મંદિર સ્થિત તેમના નિવાસસ્થાનેથી તેઓની અંતિમયાત્રા નીકળશે તેવું જાણવા મળી રહ્યું છે. જ્યાં મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજરી આપી તેમને શ્રદ્ધાંજલિ પાઠવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વ.ઝવેરીલાલ મહેતાને ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

 

નવી દિલ્હીમાં ફોટો જર્નાલિસ્ટ તરીકે નિયુક્તિ કરવામાં આવી 

સૂત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના વતની ઝવેરીલાલે 1970ના દાયકાથી ગુજરાત સમાચાર સાથે મુખ્ય ફોટો પત્રકાર તરીકે કામ કર્યું હતું. તેમની રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ફોટો જર્નાલિસ્ટ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ઝવેરીલાલને રાખડી બાંધતા હતા. કિશોર કુમાર જેવી સ્ટાઈલીંગ માટે જાણીતા, ઝવેરીલાલ માત્ર તેમના ફોટોગ્રાફ માટે જ નહીં, પણ ફોટો લાઈન્સ માટે પણ વખાણવામાં આવ્યા હતા, જેમાં તેઓ તસવીર પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હતા.

2018માં રાષ્ટ્રીય સન્માન પદ્મશ્રી મળ્યો

ઝવેરીલાલને રાજ્ય કક્ષાના અસંખ્ય પુરસ્કારો મળ્યા હતા અને 2018માં રાષ્ટ્રીય સન્માન પદ્મશ્રી પણ મળ્યો હતો. છેલ્લી સદીના ઉત્તરાર્ધના દાયકાઓમાં ઝવેરીલાલની લોકપ્રિયતા અને સેલિબ્રિટીના દરજ્જાને જોતા, કારકિર્દી તરીકે ફોટો જર્નાલિઝમના માર્ગે અસંખ્ય યુવા અંકુર જોડાયા હતા. ઝવેરીલાલના નિધનથી ગુજરાતી ફોટો જર્નાલિઝમના યુગનો અંત આવ્યો છે.

આ પણ વાંચો - જેટ્રોના પ્રેસિડેન્ટ સાથે CM ભૂપેન્દ્રભાઈ પટેલની યોજાઈ બેઠક

Tags :
GujaratGujarat Firstmaitri makwanaPadmaShripasses awayphotojournalistZaverilal Mehta
Next Article