Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajinikanth ને 3 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા મળી, આ રીતે સર્જરી કરાઈ...

Rajinikanth ને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હૃદય તરફ જતી મુખ્ય રક્વાહિનીમાં સમસ્યા આવી ચેન્નાઈની હોસ્પિટલ સામે જનમેદની ઉમટી હતી Rajinikanth discharged from Chennai hospital : તાજેતરમાં ભારતીય સિનેમા જગતના બે દિગ્ગજ કલાકારોને શારીરિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો....
rajinikanth ને 3 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા મળી  આ રીતે સર્જરી કરાઈ
  • Rajinikanth ને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
  • હૃદય તરફ જતી મુખ્ય રક્વાહિનીમાં સમસ્યા આવી
  • ચેન્નાઈની હોસ્પિટલ સામે જનમેદની ઉમટી હતી

Rajinikanth discharged from Chennai hospital : તાજેતરમાં ભારતીય સિનેમા જગતના બે દિગ્ગજ કલાકારોને શારીરિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેના સંદર્ભે તેમને તુરંત હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની ફરજ પડી હતી. ત્યારે સૌ પ્રથમ અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી હતી. જોકે જ્યારે તેઓ પોતાના નિવાસસ્થાને પોતાની પિસ્તોલની સફાઈ કરી રહ્યા હતાં. ત્યારે સંજોગોવશાત આ ગોળી તેમને વાગી હતી. જોકે આજરોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

Advertisement

Rajinikanth ને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

બીજી તરફ ભારતીય સિનેમા જગતના અને ખાસ કરીને દક્ષિણ ભારતના સિનેમાં ઉપરાંત સામાન્ય જીવનમાં ભગવાન તરીકે જેને માનવામાં આવે છે, તેવા મહાન અભિનેતા Rajinikanth ને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અભિનેતા Rajinikanth ને ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે Rajinikanth ની તાજેતરમાં અચાનક તબીયત ખરાબ થઈ, હોવાના સંદર્ભે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો: હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ Govinda ની પહેલી ઝલક, ભાવુક થઈને જણાવ્યું... Video

Advertisement

હૃદય તરફ જતી મુખ્ય રક્વાહિનીમાં સમસ્યા આવી

ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં Rajinikanth ની સારવાર શરું કરવામાં આવી હતી. ત્યારે Rajinikanth ને હૃદયની નાની સમસ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે અદ્યતન તકનીકોના આધારે Rajinikanth ની સર્જરી વિના હૃદયની સમસ્યા દૂર કરવામાં આવી હતી. Rajinikanth ના હૃદયને સંબંઘિત સારવાર સોમવારના સવારે શરું થઈ હતી. ત્યારે એપોલો હોસ્પિટલ ચેન્નાઈએ મંગળવારે Rajinikanth ના સ્વાસ્થ્ય અંગે મેડિકલ બુલેટિન બહાર પાડ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, Rajinikanth ના હૃદય તરફ જતી મુખ્ય રક્વાહિનીમાં સમસ્યા આવી હોવાનું માલૂમ પડ્યું હતું.

Advertisement

ચેન્નાઈની હોસ્પિટલ સામે જનમેદની ઉમટી હતી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફોન કરીને Rajinikanth ની તબિયત અંગે અપડેટ લીધી હતી. ત્યારે હાલમાં, Rajinikanth ને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલમાં, Rajinikanth પોતાના નિવાસસ્થાને છે. જોકે આ કપરી પરિસ્થિતમાં Rajinikanth ના ચાહકોએ તેમના સ્વાસ્થ્ય માટે મનોકામના કરી હતી. તે ઉપરાંત ચેન્નાઈની હોસ્પિટલ સામે હજારો ચાહકોનોની જનમેદની ઉમટી હતી. Rajinikanth ના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, 73 વર્ષના સુપરસ્ટાર હવે તમિલ ફિલ્મ 'વેટ્ટૈયાં'માં જોવા મળશે. 10 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં Rajinikanth 30 વર્ષ પછી બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પડદા પર જોવા મળશે.

આ પણ વાંચો: Film Border 2 માં વધુ એક સ્ટારકિડની થઈ એન્ટ્રી, જુઓ તે કોણ છે?

Tags :
Advertisement

.