ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Prayagraj Maha Kumbh Mela 2025 : મહાકુંભનો શુભારંભ, શાહી સ્નાનનો મહિમા

વર્ષ 2025ના જાન્યુઆરીએ આયોજ થશે 13 જાન્યુઆરીએમહાપર્વનો શુભારંભ થશે સમાપન 26 ફેબ્રુઆરીના રોજ થશે. Prayagraj Maha Kumbh Mela 2025: આગામી વર્ષની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. કેમ કે વર્ષ 2025ના જાન્યુઆરી મહિનાથી મહાકુંભ મેળા(Kumbh Mela )નું આયોજન થનાર...
07:53 AM Dec 11, 2024 IST | Hiren Dave
Kumbh Mela 2025

Prayagraj Maha Kumbh Mela 2025: આગામી વર્ષની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. કેમ કે વર્ષ 2025ના જાન્યુઆરી મહિનાથી મહાકુંભ મેળા(Kumbh Mela )નું આયોજન થનાર છે. વર્ષ 2025માં કુંભ મેળા(Kumbh Mela 2025)નું આયોજન પ્રયાગરાજ(Prayagraj Maha Kumbh Mela 2025)માં કરવામાં આવશે. દર 12 વર્ષમાં એક વાર મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. નવ વર્ષે 13 જાન્યુઆરીના દિવસે આ ધાર્મિક મહાપર્વનો શુભારંભ થશે અને તેનું સમાપન 26 ફેબ્રુઆરીના રોજ થશે. પહેલું સ્નાન પોષ પૂર્ણિમાના દિવસે અને છેલ્લુ શાહી સ્નાન મહાશિવરાત્રીના દિવસે થશે. કુંભ મેળામાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ સંગમમાં ડુબકી લગાવવા આવે છે.

શ્રદ્ધાળુઓ મહા કુંભ મેળાની મુલાકાત લે છે

આ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો છે, જેને મહાપર્વ પણ કહેવામાં આવે છે. હરિદ્વાર, ઉજ્જૈન, પ્રયાગરાજ અને નાસિકમાં કુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જો તમે આ પવિત્ર તહેવારનો ભાગ બનવા માંગતા હોવ તો અહીં ચોક્કસ જવું જોઈએ. ગંગા અને યમુના નદીમાં ડૂબકી લગાવવાથી વ્યક્તિના તમામ પાપો ધોવાય છે અને મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. પ્રયાગરાજ પહોંચવા માટે તમામ મોટા શહેરોમાંથી ટ્રેનો અને ફ્લાઈટ્સ ઉપલબ્ધ છે. જો તમે અહીં પહોંચો છો, તો તમને વાજબી ભાવે તમારા રોકાણ માટે ઉપલબ્ધ શ્રેષ્ઠ હોટલ અને હોમસ્ટેની સુવિધાઓ મળશે. જો કે, લાખો શ્રદ્ધાળુઓ મહા કુંભ મેળાની મુલાકાત લે છે, તેથી તે વધુ સારું છે કે તમે તમારા હોટલ, સ્ટેહોમમાં રૂમ અગાઉથી બુક કરી લો. તમે ઓનલાઈન હોટલ પણ શોધી શકો છો.

આ પણ  વાંચો -Santana: કાચી માટી કા એક કુંભ બનાયા જી, માંહી પવનયંત્ર લગાયા જી

પ્રયાગરાજમાં ક્યાં રોકાવું?

પ્રયાગરાજમાં તમારા માટે રહેવાના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. ઓછા બજેટમાં પણ તમે તમારા માટે ઘણી હોટલમાંથી એક પસંદ કરી શકો છો. જો તમારે મહાકુંભ મહોત્સવમાં જવું હોય તો તમે ટેન્ટ સિટીમાં પણ રહી શકો છો. પ્રયાગરાજમાં રહેતા સ્થાનિક લોકો પણ કુંભ અને મહાકુંભ દરમિયાન તીર્થયાત્રીઓને તેમના ઘરોમાં રૂમ ભાડે આપે છે. શહેરમાં રહેવા માટે આ વધુ સસ્તો વિકલ્પ હોઈ શકે છે.

આ પણ  વાંચો -surya Gocha: શનિ ગોચર અને સૂર્ય ગ્રહણ, આ 4 રાશિઓને કરી દેશે માલામાલ

મેળાના વિસ્તારમાં પણ રહી શકો છો

પ્રયાગરાજ તમને મહાકુંભ મેળા દરમિયાન રહેવા માટે ઘણા વિકલ્પો આપે છે. તમે માત્ર હોટલમાં જ નહીં પણ અહીંના ટેન્ટ સિટીમાં પણ રહીને આ મહાપર્વને નજીકથી અનુભવી શકો છો. મહા કુંભ મેળામાં ટેન્ટ સિટી ત્રિવેણી સંગમ નજીક આરામદાયક આવાસ પૂરા પાડે છે. અહીં તમને બેઝિક ટેન્ટથી લઈને પ્રાઈવેટ સુવિધાઓ સુધી બધું જ મળશે. અહીં રહીને, તમને આ તહેવારની સાંસ્કૃતિક વિવિધતાનો અનુભવ કરવાની પૂરતી તક મળશે. તમે અહીં આયોજિત ધાર્મિક વિધિઓ, પવિત્ર સ્નાન અને આધ્યાત્મિક કાર્યક્રમોમાં પણ સરળતાથી પહોંચી શકો છો.

Tags :
2025Best Hotels in PrayagrajGujarat FirstHiren daveKumbh MelaKumbh Mela 2025 Visitors GuideMahakumbh Mela 2025Prayagrajપ્રયાગરાજમહાકુંભ
Next Article