Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લૂંટ કેસમાં PI એ ફરિયાદ લેવાની ના પાડી, પોલીસ કંટ્રોલ રૂમનો આદેશ થતાં Zero FIR નોંધાઈ

Zero FIR : ગુજરાત રાજ્યમાં ચાર મોટા શહેરો અને તમામ જિલ્લાઓમાં ભોગ બનનારની મદદ માટે પોલીસ કંટ્રોલ રૂમ (Police Control Room) આવેલા છે. પોલીસની મદદ માટે Dial 100 નંબર જાણીતો છે. ખેડા જિલ્લાના ચકલાસી ગામે થયેલી 1.10 લાખના લૂંટ કેસનો...
લૂંટ કેસમાં pi એ ફરિયાદ લેવાની ના પાડી  પોલીસ કંટ્રોલ રૂમનો આદેશ થતાં zero fir નોંધાઈ
Advertisement

Zero FIR : ગુજરાત રાજ્યમાં ચાર મોટા શહેરો અને તમામ જિલ્લાઓમાં ભોગ બનનારની મદદ માટે પોલીસ કંટ્રોલ રૂમ (Police Control Room) આવેલા છે. પોલીસની મદદ માટે Dial 100 નંબર જાણીતો છે. ખેડા જિલ્લાના ચકલાસી ગામે થયેલી 1.10 લાખના લૂંટ કેસનો મામલો અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) પાસે આવ્યો. પાડોશી જિલ્લામાં બનેલી લૂંટની ઘટનામાં અમદાવાદના મણીનગર પોલીસ સ્ટેશન (Maninagar Police Station) ના પીઆઈએ ઝીરો નંબરથી ફરિયાદ (Zero FIR) નોંધવાની ના પાડતા મામલો અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચ્યો. કેવી રીતે ભોગ બનનારે Zero FIR નોંધાવી તેની માહિતી જાણવા વાંચો આ અહેવાલ...

સસ્તા ડૉલર લેવા જતાં સાળો-બનેવી લૂંટાયા

અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતા રિતેશ પટેલ અને મુંબઈ ખાતે રહેતા સાળા શશીકાંત સોની અજાણ્યા શખ્સે ફોન કરીને વાત કરતા સસ્તા ડૉલરની લાલચમાં આવી ગયા. અમેરિકન ડૉલર (US Dollar) ના અગિયાર બંડલ છે તેના 50 થી 60 ટકા રકમ મને આપજો, તેમ કહીને એક ગઠીયાએ સાળા-બનેવીને ફસાવ્યા. ફોન પર વાતચીત બાદ 11 માર્ચના રોજ રિતેશ પટેલ અને શશીકાંત સોની ખેડા જિલ્લાના ચકલાસી ગામે (Chaklasi Kheda) પહોંચ્યા હતા. ફોન પર મહેન્દ્ર પટેલ નામ આપનારા શખ્સનું નામ નરેન્દ્ર રાજપૂત હોવાનું સાળા-બનેવીને જાણવા મળ્યું હતું. લાખો રૂપિયાની લાલચમાં આવી ગયેલા સાળા-બનેવીને નરેન્દ્ર રાજપૂતે ગામમાં મંદિરનું રિનોવેશન કરાવવા 1.11 લાખ રોકડા માગ્યા હતા. લાલચમાં આવી ગયેલા સાળા-બનેવી રોકડાની વ્યવસ્થા કરવાનો સમય લઈને અમદાવાદ પરત આવ્યા હતા અને ખાનગી કંપનીની મોબાઈલ એપ્લિકેશન થકી 1.70 લાખની લૉન કરાવી હતી. 21 માર્ચના રોજ રિતેશ પટેલ અને શશીકાંત સોની ચકલાસી ગામે પહોંચી ATM માંથી 1.10 લાખ રોકડા કાઢી નરેન્દ્ર રાજપૂત ઉર્ફે મહેન્દ્ર પટેલના ઘરે પહોંચ્યા હતા. મંદિરમાં પૂજાના નામે 1100 રૂપિયા રોકડા મેળવી લઈને નરેન્દ્ર રાજપૂત નીકળી ગયો હતો. નરેન્દ્રએ તેના ભાઈ વિજયને ફોન કરી ઘરે બેસેલા રિતેશ અને શશીકાંતને મંદિરે લઈ આવવાનું કહેતા ત્રણેય જણા મંદિરે પહોંચ્યા હતા. પૈસાની લેવડદેવડ માતાજીની હાજરીમાં કરવાની છે તેમ કહી પૂજા વિધી બાદ બધા નરેન્દ્ર રાજપૂતના ઘરે જતા સમયે એક લથડીયા ખાતો શખ્સ રસ્તામાં મળ્યો. આ શખ્સે બહારના માણસોને બોલાવી ડૉલરનો વહીવટ કરો છો, મારો પણ ભાગ છે તેમ કહી રાજપૂત બંધુઓ સાથે ઝઘડો કર્યો હતો. બોલાચાલી દરમિયાન નરેન્દ્ર રાજપૂતે ચપ્પુ કાઢીને તેના કાકાને મારવા જતા બૂમાબૂમ થઈ હતી. આ દરમિયાન નરેન્દ્રએ ચપ્પુ બતાવીને શશીકાંત સોની પાસેથી 1.10 લાખ રોકડા ખેંચી લીધા. ભયભીત થઈ ગયેલા સાળા-બનેવી કારમાં સ્થળ પરથી નાસી છૂટ્યા તે વખતે 100 નંબર પર ફોન કરી પોલીસ કંટ્રોલ રૂમ (Police Control Room) માં ઘટનાની જાણ કરી હતી.

Advertisement

આ  પણ  વાંચો -IPS Ravindra Patel ના પત્ની, પૂર્વ આઈપીએસ પિતા સહિતના સંબંધીઓ કેમ ચઢ્યાં SEBI ના ચોપડે ?

Advertisement

તું આજે આવીશ કે પછી, તારી Zero FIR નહીં થાય : પીઆઈ ઉનડકટ

વકીલની સલાહ લઈને 23 માર્ચના રોજ રિતેશ પટેલ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ઝીરો નંબરથી ફરિયાદ કરવા ગયા હતા. પોલીસ સ્ટેશનમાં હાજર કર્મચારીએ ફરિયાદની હક્કિત પીઆઈ સાહેબને કહેવાનું જણાવતા રિતેશ પટેલે Police Control Room માંથી નંબર મેળવી પીઆઈ ડી. પી. ઉનડકટ (PI D P Unadkat) ને સંપર્ક કરતા તેમણે બહાર હોવાનું તેમજ આઠેક વાગે આવીશ તેવું જણાવ્યું હતું. 23 તારીખની રાતે ફોન પર પીઆઈ ઉનડકટ આવ્યાની ખરાઈ કરીને રિતેશ પટેલ Maninagar Police Station ખાતે પહોંચ્યા હતા. પીઆઈ ઉનડકટે અત્યારે ફટાફટ બોલ મારે 10 વાગે ઘરે જવાનું છે તેમ કહેતા રિતેશ પટેલે તમારી પાસે સમય ના હોય તો હું કાલે આવીશ તેમ કહ્યું હતું. તું આજે આવીશ કે કાલે કે બે દિવસ પછી તો પણ તારી જીરો એફઆઈઆર (Zero FIR) નહીં થાય, જીરો એફઆઈઆર સ્ત્રીના બનાવમાં જ થાય છે તેમ PI D P Unadkat એ જણાવ્યું હતું. ઉનડકટે વધુમાં કહ્યું કે, હાલ તમે ચકલાસી પોલીસ સ્ટેશન (Chaklasi Police Station) માં જાવ હજી બનાવના 30 કલાક થયા છે, તમારી ફરિયાદ લઈ લેશે.

આ  પણ  વાંચો -2 કરોડના લૂંટ કેસમાં પૂરવ પટેલ DCP Ravindra Patel ના સંપર્કમાં આવ્યો, શેરબજારની લાલચ ભારે પડી

ભોગ બનનારે કંટ્રોલ રૂમમાં ફોન કરતા ફરિયાદ નોંધાઈ

રિતેશ પટેલે PI D P Unadkat ની વાત સાંભળ્યા બાદ ખરાઈ કરવા અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ (Ahmedabad Police Control Room) માં ફોન કર્યો. કંટ્રોલ રૂમમાં ફરજ પરના હાજર અધિકારી સાથે વાતચીત દરમિયાન રિતેશ પટેલને જાણવા મળ્યું કે, કોઈ પણ પોલીસ સ્ટેશનમાં Zero FIR દાખલ થઈ શકે છે. જેથી રિતેશ પટેલે મણીનગર પીઆઈ (Maninagar PI) ફરિયાદ નહીં લેતા નથી તેમ જણાવતા તેમને ડીસીપી ઝોન-6 કચેરી ખાતે સમગ્ર ઘટના રજૂ કરવા કહેવામાં આવ્યું હતું. 23 માર્ચના રોજ ડીસીપી ઝોન-6 રવિ મોહન સૈની (Dr Ravi Mohan Saini) ની કચેરી ખાતે રિતેશ પટેલ પહોંચ્યા હતા અને ત્યાં રવિવારના દિવસે હાજર એક વ્યક્તિએ પીએસઆઈ પરમાર અને કુલદીપભાઈનો સંપર્ક કરાવતા નરેન્દ્ર અને વિજય રાજપૂત સામે બળજબરીથી રૂપિયા પડાવવાનો અને ખોટી ઓળખ આપી વિશ્વાસઘાત કરવાનો ગુનો નોંધી તપાસ માટે ફરિયાદ ચકલાસી પોલીસને મોકલી આપી છે.

Tags :
Advertisement

.

×