Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

South Koreaમાં માર્શલ લૉ ના રાષ્ટ્રપતિના આદેશને સંસદે પલટાવ્યો

રાષ્ટ્રપતિ યુન સુક-યોલે સૌપ્રથમ માર્શલ લૉ લાદવાની જાહેરાત કરી 300 માંથી 190 સાંસદોએ સર્વસંમતિથી માર્શલ લોને નકારવા માટે મતદાન કર્યું જેના પછી રાષ્ટ્રપતિને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી રાષ્ટ્રપતિના નિર્ણયનો ભારે વિરોધ થયો હતો South Korea Martial law...
south koreaમાં માર્શલ લૉ ના રાષ્ટ્રપતિના આદેશને સંસદે પલટાવ્યો
Advertisement
  • રાષ્ટ્રપતિ યુન સુક-યોલે સૌપ્રથમ માર્શલ લૉ લાદવાની જાહેરાત કરી
  • 300 માંથી 190 સાંસદોએ સર્વસંમતિથી માર્શલ લોને નકારવા માટે મતદાન કર્યું
  • જેના પછી રાષ્ટ્રપતિને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી
  • રાષ્ટ્રપતિના નિર્ણયનો ભારે વિરોધ થયો હતો

South Korea Martial law : મંગળવારે સાઉથ કોરિયાના રાજકારણ (South Korea Martial law)માં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. રાષ્ટ્રપતિ યુન સુક-યોલે સૌપ્રથમ માર્શલ લૉ લાદવાની જાહેરાત કરી, માત્ર તેના થોડા કલાકો પછી સંસદ દ્વારા તેમના નિર્ણયને ઉથલાવી દેવામાં આવ્યો. આ કારણે માર્શલ લૉ હટાવવો પડ્યો છે. રાષ્ટ્રપતિ યુન સુક-યોલે મંગળવારે મોડી રાત્રે દેશમાંથી માર્શલ લૉ હટાવવાની જાહેરાત કરી હતી, તેમણે રાષ્ટ્રને સંબોધિત કરતા આ અંગેની માહિતી આપી હતી.

Advertisement

300 માંથી 190 સાંસદોએ સર્વસંમતિથી માર્શલ લોને નકારવા માટે મતદાન કર્યું

સાઉથ કોરિયાની સંસદમાં માર્શલ લોના વિરોધમાં મતદાન થયું. આમાં 300 માંથી 190 સાંસદોએ સર્વસંમતિથી માર્શલ લોને નકારવા માટે મતદાન કર્યું હતું, જેના પછી રાષ્ટ્રપતિને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી હતી. તમને જણાવી દઈએ કે, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ વિપક્ષી પાર્ટીઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે સરકારને લકવાગ્રસ્ત કરવાનો, ઉત્તર કોરિયા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો અને બંધારણીય પ્રણાલીને નબળો પાડવાનો આરોપ લગાવીને ઈમરજન્સી માર્શલ લૉ લાગુ કરવાની જાહેરાત કરી હતી.

Advertisement

આ પણ વાંચો---Martial Law નો વિરોધ! સંસદમાં તણાવ, પોલીસ અને પ્રદર્શનકારીઓ આવ્યા આમને-સામને

સૈનિકો પાછા ફર્યા

યોનહાપ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે પુષ્ટિ કરી કે માર્શલ લૉ લાગુ કરવા માટે તૈનાત સૈનિકો તેમના બેઝ પર પાછા ફર્યા છે, જે સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાનો સંકેત આપે છે. રાષ્ટ્રપતિ યુને સમજાવ્યું કે કટોકટી લશ્કરી કાયદો દેશને તેની કામગીરી અને બંધારણીય વ્યવસ્થામાં વિક્ષેપ પાડવાના પ્રયાસો કરતા રાજ્ય વિરોધી દળોથી બચાવવા માટે જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, નેશનલ એસેમ્બલીએ તેને રદ્દ કરવાની માંગણી કર્યા પછી, તેમણે સૈનિકોને પાછા ખેંચી લીધા.

રાષ્ટ્રપતિના નિર્ણયનો ભારે વિરોધ થયો હતો

દક્ષિણ કોરિયામાં માર્શલ લૉ લાદવાના નિર્ણયનો વિરોધ પક્ષો દ્વારા જ નહીં, પરંતુ રાષ્ટ્રપતિ સિઓલના પોતાના પક્ષના રાજકારણીઓએ પણ વિરોધ વ્યક્ત કર્યો હતો, જેમાં યુનની પોતાની રૂઢિચુસ્ત પાર્ટીના નેતા હાન ડોંગ-હૂનનો પણ સમાવેશ થાય છે. છે. હૂને આ નિર્ણયને ખોટો ગણાવ્યો અને લોકો સાથે મળીને તેને રોકવાનો સંકલ્પ કર્યો. દરમિયાન, વિપક્ષી નેતા લી જે-મ્યુંગે યુનની જાહેરાતને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવી હતી.

આ પણ વાંચો---દક્ષિણ કોરિયામાં રાજકીય તણાવ વધ્યો! વિપક્ષ પર North Korea ને સપોર્ટ કરવાનો આક્ષેપ

Tags :
Advertisement

Trending News

.

×