Pahalgam Attack બાદ જળ રોકતા કટોકટીમાં પાકિસ્તાન, ICJ માંથી ખાલી હાથ ફરવું પડશે
- પાકિસ્તાને પાણી મેળવવા માટે મરણિયા પ્રયાસો શરૂ કર્યા
- આંતરરાષ્ટ્રીય ફોરમ પર પણ પાકિસ્તાનને હાથ કંઇ નહીં લાગે
- આતંકી હુમલા બાદ ભારતે દુશ્મન દેશને ચોતરફથી ઘેર્યો
Pahalgam Terror Attack : પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધી છે. જેથી પાકિસ્તાને જળ કટોકટીનો સામનો કરવો પડશે. ભારતના એક પછી એક વ્યુહાત્મક પગલાંથી પાકિસ્તાન ચારે બાજુથી ઘેરાયું છે. બીજી તરફ પાકિસ્તાને ભારતના નિર્ણય સામે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ (ICJ) અને વર્લ્ડ બેંક (WORLD BANK) નો સંપર્ક કરવાની તૈયારી કરી છે. પણ પાકિસ્તાને અહીંયાથી પણ ખાલી હાથે જ પાછું આવવું પડશે. જેનું કારણ આંતરરાષ્ટ્રીય અદાલત અને વિશ્વ બેંકને સંધિ વિવાદોમાં દખલ કરવાનો અધિકાર નથી, હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
પાકિસ્તા શું તૈયારીઓ કરી રહ્યું છે ?
પહલગામ હુમલા બાદ ભારતે વર્ષ 1960 ની સિંધુ જળ સંધિ અટકાવી દીધી. ભારતના આ પગલાથી પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. પાકિસ્તાન પહેલાથી જ દુષ્કાળના સંકટનો સામનો કરી રહ્યું છે. ત્યારે હવે ભારતને પાણી બંધ કરી દેતા કટોકટી વધુ વકરી શકે છે. આવી સ્થિતિમાંથી બહાર આવવા માટે પાકિસ્તાન ધમપછાડા કરી રહ્યું છે. પાકિસ્તાનના કાયદા અને ન્યાયમંત્રી અકીલ મલિકનું કહેવું છે કે, અમે ત્રણ અલગ અલગ કાનૂની વિકલ્પો પર કામ કરી રહ્યા છે. આ કેસને આંતરરાષ્ટ્રીય અદાલત અને વિશ્વ બેંકમાં લઈ જવા અંગે વિચારણા ચાલી રહી છે.
તમામ વિકલ્પો હાલ વિચારણા હેઠળ
મલિકે ઉમેર્યું કે, કાનૂની વ્યૂહરચના અંગેનું મનોમંથન પૂર્ણ થઈ ગયું છે. કયા મામલે વધુ કાર્યવાહી કરવી તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. કદાચ એક કરતા વધારે મુદ્દાને આવરીને આગળ કાર્યવાહી કરવામાં આવી શકે છે. સાથે જ પાકિસ્તાન આ મામલો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, તમામ વિકલ્પો હાલ વિચારણા હેઠળ છે. અમે યોગ્ય અને સક્ષમ ફોરમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મલિકે સિંધુ જળ સંધિને રોકવા માટે ભારતને દોષી ઠેરવતા કહ્યું કે, આ સંધિ એકપક્ષીય રીતે સમાપ્ત કરી શકાતી નથી. સંધિમાં આવી કોઈ જોગવાઈ નથી.
આંતરરાષ્ટ્રીય ન્યાયાલય મધ્યસ્થી કરી શકતું નથી
સુત્રોએ જણાવ્યું કે, સિંધુ જળ સંધિ રોકવાના કેસમાં પાકિસ્તાનની અપીલ પર ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ (ICJ) મધ્યસ્થી કરી શકતી નથી. કારણ કે, ICJ નું અધિકારક્ષેત્ર રાષ્ટ્રની સંમતિ પર આધારિત છે. વર્ષ 2019 માં ભારતે કોર્ટના અધિકારક્ષેત્રને ફરજિયાત તરીકે સ્વીકારતી ઘોષણામાં 13 અપવાદો રજુ કર્યા હતા. જે અંતર્ગત, ICJ નો ભારત પર અધિકારક્ષેત્ર રહેશે નહીં.
ભારતને ICJ માં લઈ જઈ શકે નહીં
ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકરનું કહેવું છે કે, ICJ પાસે એવા રાષ્ટ્રની સરકાર સાથેના વિવાદો પર અધિકારક્ષેત્ર નથી, જે કોમનવેલ્થ ઓફ નેશન્સનો સભ્ય હોય અથવા રહી ચૂક્યો છે. પાકિસ્તાન એક કોમનવેલ્થ દેશ છે. જેથી તે ભારતને ICJ માં લઈ જઈ શકે નહીં.
આ પણ વાંચો --- Pakistan Force Exposed : દંભનો જુઠ્ઠો દેખાડો કરવા જતા હાસ્યાસ્પદ સ્થિતીમાં મુકાઇ એરફોર્સ