Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Manish Sisodia એ પત્ની સાથે ફોટો શેર કર્યો, કહ્યું- 'આઝાદી પછીની પહેલી ચા...'

મનીષ સિસોદિયા 17 મહિના બાદ જેલમાંથી મુક્ત સિસોદિયાએ પત્ની સાથે પોસ્ટ શેર કરી ફોટામાં પતિ-પત્ની ચા પિતા જોવા મળ્યા દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયા (Manish Sisodia)ને 17 મહિના બાદ શુક્રવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. સિસોદિયાએ શનિવારે સવારે...
manish sisodia એ પત્ની સાથે ફોટો શેર કર્યો  કહ્યું   આઝાદી પછીની પહેલી ચા
Advertisement
  1. મનીષ સિસોદિયા 17 મહિના બાદ જેલમાંથી મુક્ત
  2. સિસોદિયાએ પત્ની સાથે પોસ્ટ શેર કરી
  3. ફોટામાં પતિ-પત્ની ચા પિતા જોવા મળ્યા

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયા (Manish Sisodia)ને 17 મહિના બાદ શુક્રવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. સિસોદિયાએ શનિવારે સવારે પત્ની સાથેની એક તસવીર શેર કરી હતી. ફોટામાં પતિ-પત્ની ચા પીતા જોવા મળે છે. સિસોદિયાએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, આઝાદીની સવારે પહેલી ચા… 17 મહિના પછી! બંધારણે આપણા બધા ભારતીયોને જીવનના અધિકારની ગેરંટી તરીકે જે સ્વતંત્રતા આપી છે. ભગવાને આપણને દરેક સાથે ખુલ્લી હવામાં શ્વાસ લેવાની જે સ્વતંત્રતા આપી છે.

મનીષ સિસોદિયા દોઢ વર્ષ પછી ઘરે પહોંચ્યા...

આ પહેલા દોઢ વર્ષની લાંબી રાહ જોયા બાદ મનીષ સિસોદિયા (Manish Sisodia) ફરી એકવાર તેમના ઘરે પહોંચ્યા અને તેમના પરિવારને મળ્યા. તિહાર જેલમાંથી મુક્ત થયા બાદ સિસોદિયાએ કહ્યું કે હું સર્વોચ્ચ અદાલતનો હૃદયપૂર્વક આભાર માનું છું જેણે બંધારણની શક્તિનો ઉપયોગ કરીને સરમુખત્યારશાહીને લપડાક મારી છે. બંધારણના કારણે આજે હું 17 મહિના પછી જેલમાંથી બહાર આવ્યો છું. બાબાસાહેબ આંબેડકરના બંધારણે સરમુખત્યારશાહી સામે લડનારાઓને રક્ષણ આપ્યું છે. મારું આખું જીવન બાબાસાહેબ અને તેમના દ્વારા લખાયેલા બંધારણનું ઋણી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Tea Party : પીએમ મોદી અને રાહુલ ગાંધીએ એવી તે શું વાત કરી...?

જેલમાંથી છૂટ્યા બાદ સિસોદિયા સીધા કેજરીવાલના ઘરે પહોંચ્યા...

તિહાર જેલમાંથી બહાર આવેલા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) સીધા મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસસ્થાને પહોંચ્યા. તેઓ CM અરવિંદ કેજરીવાલના ઘરે ગયા અને તેમની પત્ની સુનીતા કેજરીવાલ અને તેમના માતા-પિતા સાથે મુલાકાત કરી. આ દરમિયાન મનીષ સિસોદિયા (Manish Sisodia)ને મળ્યા બાદ સુનીતા કેજરીવાલ ભાવુક થઈ ગયા હતા. મનીષ સિસોદિયા (Manish Sisodia)એ CM અરવિંદ કેજરીવાલના માતા-પિતાના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા અને તેમની તબિયત વિશે પૂછપરછ કરી. આ દરમિયાન તેઓ દિલ્હી સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોને પણ મળ્યા હતા અને તેમની વચ્ચે અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અને અન્ય મુદ્દાઓ પર લાંબી ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો : Paris Olympic 2024 : PM મોદીએ સેહરાવતને અભિનંદન પાઠવ્યા, કહ્યું- 'કુસ્તીબાજોનો આભાર...'

Tags :
Advertisement

Related News

featured-img
Top News

દેશમાં અત્યારે ત્રણેય ઋતુ! ક્યાંક ઠંડી તો ક્યાંક વરસાદની સંભાવના, 9 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ

featured-img
આંતરરાષ્ટ્રીય

લો બોલો, હવે પાકિસ્તાનની ફ્લાઈટનું ટાયર હવામાં જ થઇ ગયું ચોરી!

featured-img
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના દાવા વચ્ચે BLA આતંકીઓએ ભર્યુ ભયાનક પગલું! 214 સૈનિક બંધકોને મારી નાખ્યા

featured-img
સ્પોર્ટ્સ

સચિનનો આ અવતાર તમે ક્યારેય નહીં જોયો હોય! જુઓ Video

featured-img
આંતરરાષ્ટ્રીય

Mark Carney: અમેરિકા સાથેના તણાવ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના 24માં PM તરીકે લીધા શપથ

featured-img
રાષ્ટ્રીય

Golden Temple માં બે જૂથો વચ્ચે મારામારી,પાંચને ઈજા, એકની હાલત ગંભીર

×

Live Tv

Trending News

.

×