Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kota : વર-વધુ ફેરા લે તે પહેલાં જ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો મંડપ, કોટાની આ ઘટના હૃદય કંપાવી દેશે!

કોટા (Kota)માં ચાલી રહેલા એક લગ્નમાં વરરાજાનું ઇલેક્ટ્રિક શોક લાગવાથી મોત થતાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. હલ્દીની વિધિ ચાલી રહી હતી અને વરરાજા, સ્વિમિંગ પૂલ પર સ્નાન કરવા જતા હતા, ત્યારે ઈલેક્ટ્રીક પોલને અડતા તેને વીજ કરંટ લાગ્યો અને...
kota   વર વધુ ફેરા લે તે પહેલાં જ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો મંડપ  કોટાની આ ઘટના હૃદય કંપાવી દેશે

કોટા (Kota)માં ચાલી રહેલા એક લગ્નમાં વરરાજાનું ઇલેક્ટ્રિક શોક લાગવાથી મોત થતાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. હલ્દીની વિધિ ચાલી રહી હતી અને વરરાજા, સ્વિમિંગ પૂલ પર સ્નાન કરવા જતા હતા, ત્યારે ઈલેક્ટ્રીક પોલને અડતા તેને વીજ કરંટ લાગ્યો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. જોકે, પરિવારના સભ્યો અને સંબંધીઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ડોકટરોએ વરરાજાને મૃત જાહેર કર્યો. હવે હોટલ પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે જેના આધારે પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

કોટા (Kota)ના મેનાલ રિસોર્ટમાં અકસ્માત થયો હતો...

ડીએસપી રાજેશ સોનીએ જણાવ્યું કે, કેશવપુરા વિસ્તારના રહેવાસી સૂરજ સક્સેના (29)ના લગ્નની વિધિ બુંદી રોડ પર સ્થિત એક ખાનગી હોટલમાં ચાલી રહી હતી. હલ્દી વિધિ બપોરે 2 વાગ્યે થઈ હતી. પરિવારજનો અને સગા-સંબંધીઓ ધાર્મિક વિધિઓ કરી રહ્યા હતા. હળદર લગાવ્યા બાદ વરરાજાને નહાવા માટે સ્વિમિંગ પુલમાં લઈ જવામાં આવી રહ્યો હતો. સ્વિમિંગ પૂલ પાસે ડેકોરેશન માટે પાઇપ લગાવવામાં આવી હતી. વરરાજાએ પાઈપ પકડી અને વીજ કરંટ લાગ્યો. વીજ શોક લાગવાથી વરરાજા બેભાન થઈ ગયો હતો. પરિવાર તેને તાત્કાલિક એમબીએસ હોસ્પિટલ લઈ ગયો, પરંતુ તેનું મોત થયું. મૃતદેહને એમબીએસ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે.

Advertisement

વરરાજા ગુડગાંવમાં કામ કરતો હતો...

સૂરજ ગુડગાંવ સ્થિત એક કંપનીમાં કામ કરતો હતો. તે બે બહેનોનો એકમાત્ર ભાઈ હતો. માતા-પિતા નિવૃત્ત છે. લગ્ન માટે થોડા દિવસ પહેલા ગુડગાંવથી કોટા (Kota) આવ્યો હતો. મંગળવારે રાત્રે મહિલા સંગીતનો કાર્યક્રમ હતો. આજે રાત્રે હલ્દી પછી લગ્ન થવાના હતા. ડીએસપી રાજેશ સોનીએ કહ્યું- સૂરજના લગ્ન બિહારની રહેવાસી યુવતી સાથે થવાના હતા. યુવતીનો પરિવાર કોટા (Kota) આવી ગયો છે. પરિવારજનોની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. નંતા પોલીસ સ્ટેશનના એસએચઓ નવલ કિશોરે કહ્યું કે જો કાર્યક્રમમાં કરંટ હોય તો મેનેજમેન્ટમાં કોઈક ઉણપ હોવી જોઈએ. અમે આ મામલે કેસ નોંધીને તપાસ કરીશું. તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : PM મોદીએ છત્તીસગઢની રેલીમાં પોતાનો ફોટો લહેરાવતી છોકરીને કહ્યું- તમે થાકી જશો… Video

Advertisement

આ પણ વાંચો : MP Marriage : દીકરીના લગ્નના ત્રણ દિવસ પહેલા પિતાનું થયું મોત, આશીર્વાદ આપવા ધારણ કર્યું આ સ્વરૂપ !

આ પણ વાંચો : Delhi NCR માં પડ્યો વરસાદ, લોકોને મળી ગરમીથી રાહત… Video

Tags :
Advertisement

.