Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Prime Minister: કાલુપુર રેલવે સ્ટેશનને તોડી નવું બનાવવામાં આવશે, કરોડોનો થશે ખર્ચ

Prime Minister: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં જ ગુજરાતનો પ્રવાસ કરીને ગયા છે, ત્યારે આજે વડાપ્રધાનના હસ્તે 41 હજાર કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી રેલવેના 41 હજાર કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું છે. અમદાવાદના કાલુપુર...
prime minister  કાલુપુર રેલવે સ્ટેશનને તોડી નવું બનાવવામાં આવશે  કરોડોનો થશે ખર્ચ

Prime Minister: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં જ ગુજરાતનો પ્રવાસ કરીને ગયા છે, ત્યારે આજે વડાપ્રધાનના હસ્તે 41 હજાર કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી રેલવેના 41 હજાર કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું નવીનિકરણ કરવા માટે હજારો કરોડનો ખર્ચ કરવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશનને તોડી નવું બનાવવામાં આવશે. 19 હજાર કરોડથી વધારાના ખર્ચે 553 રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે. આ સાથે સાથે જમીનથી 10 મીટર ઉપર રસ્તો પણ બનાવાશે જેથી લોકોને સગવડતા મળી રહેશે.

Advertisement

2026ને ધ્યાનમાં રાખીના આ પ્રોજેક્ટ વિચારવામાં આવ્યો

ઉલ્લેખની છે કે, 19 હજારના ખર્ચે ફરી રેલવે સ્ટેશનનો વિકાર કરવામાં આવશે. આ સાથે કાલુપુર બ્રિજ અને સાળંગપુર બ્રિજનો જોડતો એક રસ્તો પણ બનાવવામાં આવશે. 2026ને ધ્યાનમાં રાખીના આ પ્રોજેક્ટ વિચારવામાં આવ્યો છે. કાલુપુર રેલ્વે સ્ટેશનને મોઢેરાના સૂર્યમંદિરની થીમ પર બનાવવામાં આવશે. આ રેલ્વે સ્ટેશન એરપોર્ટ કરતા પણ ખૂબ જ અદ્યતન રીતે બનાવાશે. આ સાથે આ સમગ્ર પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવા માટે 36 મહિનાનું લક્ષ રાખવામાં આવ્યું છે. કાલુપુર રેલવે સ્ટેશન ખાતે શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહ્યા હતાં.

Advertisement

પીએમ મોદીએ વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું

કાલુપુરના રેલ્વે સ્ટેશનને હવે અત્યાધુનિક બનાવાનો પ્રોજેક્ટ તૈયાર કરી દેવમાં આવ્યો છે. 41 હજાર કરોડ ના પ્રોજેકટનું વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભૂમી પૂજન અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદ રેલવે સ્ટેશનનું ડિમોલિશન કરીને તેને નવું બનાવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, 19 હજાર કરોડથી વધારાના ખર્ચે 553 રેલવે સ્ટેશનના પુનઃવિકાસ કરવા માટે પ્લાન બનાવ તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Bharat Tax 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ‘ભારત ટેક્સ 2024’નું ઉદ્ઘાટન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.