Ebrahim Raisi ના નિધનને લઈને ભારતે લીધો આ મોટો નિર્ણય, જાણો શું કહ્યું...
ભારત સરકારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસી (Ebrahim Raisi)ના માનમાં 21 મેના રોજ રાજ્ય શોકની જાહેરાત કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં રાષ્ટ્રધ્વજ અડધી માસ્ટ પર લહેરાશે અને રાજ્યના શોક દરમિયાન કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો થશે નહીં. ગૃહ મંત્રાલયે સોમવારે કહ્યું કે, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસી (Ebrahim Raisi) અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. મૃતક મહાનુભાવોના સન્માનમાં, ભારત સરકારે નિર્ણય લીધો છે કે 21 મેના રોજ સમગ્ર ભારતમાં એક દિવસનો રાજ્ય શોક રહેશે.
ભારતમાં એક દિવસનો રાજ્ય શોક જાહેર...
મંત્રાલયે જણાવ્યું હતું કે શોકના દિવસે, ભારતભરમાં જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિતપણે લહેરાતો હોય ત્યાં તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવવામાં આવશે અને તે દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો થશે નહીં.
PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું...
PM નરેન્દ્ર મોદીએ સોમવારે ઇબ્રાહિમ રઇસીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ભારત-ઇરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમણે X પરની એક પોસ્ટમાં કહ્યું, 'ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. સૈયદ ઈબ્રાહિમ રઇસી (Ebrahim Raisi)ના દુઃખદ અવસાનથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છું. ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના. ભારત દુખની આ ઘડીમાં ઈરાનની સાથે છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે શોક વ્યક્ત કર્યો...
વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ઈબ્રાહિમ રઇસી (Ebrahim Raisi) અને વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલૈયાના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે ભારત શોકની આ ઘડીમાં ઈરાનના લોકોની સાથે છે.
આ પણ વાંચો : IRAN : EBRAHIM RAISI બાદ હવે MOHAMMAD MOKHBER બની શકે છે ઈરાનના PRESIDENT, જાણો તેમના વિશે સંપૂર્ણ માહિતી
આ પણ વાંચો : હેલિકોપ્ટર ક્રેશમાં IRAN PRESIDENT EBRAHIM RAISI નું મોત, ઈરાની મીડિયાનો દાવો