WTC Latest Updates: WTCની ફાઈનલ નહી રમી શકે ભારત? હારથી બદલાયા સમીકરણ
- ટીમ ઈન્ડિયાની બીજી ટેસ્ટ શરમજનક હાર
- ન્યુઝીલેન્ડની ટીમનું શાનદાર પ્રદર્શન કર્યું
- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર
- પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમનું વર્ચસ્વ પણ જોખમમાં
WTC Latest Updates:ટીમ ઈન્ડિયાને પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડના હાથે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. કિવી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતીય ધરતી પર પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતી. બેંગલુરુ બાદ પુણેમાં પણ ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન ચાલુ રહ્યું. સતત બીજી ટેસ્ટ મેચમાં હાર સાથે ટીમ ઈન્ડિયાનો WTC ફાઇનલ(WTC Latest Updates)માં પહોંચવાનો રસ્તો પણ મુશ્કેલ બની ગયો છે. ભારતીય ટીમની જીતની ટકાવારી 68.06 થી ઘટીને 62.82 થઈ ગઈ છે.આ સાથે જ ન્યુઝીલેન્ડની ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં જોરદાર છલાંગ લગાવી છે.
હારને કારણે મોટું નુકસાન
બેંગલુરુ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 68.06 રહી. જોકે સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં હાર બાદ રોહિતની પલટન હવે WTC ટેબલમાં ખરાબ રીતે પતી ગઈ છે. ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી હવે 62.82 થઈ ગઈ છે. હવે ટેબલમાં ભારતીય ટીમનું વર્ચસ્વ પણ જોખમમાં છે. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જેની જીતની ટકાવારી 62.5 છે. એટલે કે જો ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં જીતી શકતી નથી તો રોહિતની સેનાને નંબર વનનું સ્થાન ગુમાવવું પડી શકે છે.આ સાથે જ ન્યુઝીલેન્ડને સતત બે ટેસ્ટ મેચ જીતવાનો મોટો ફાયદો મળ્યો છે. કીવી ટીમે જોરદાર છલાંગ લગાવીને ચોથું સ્થાન કબજે કર્યું છે. ન્યુઝીલેન્ડની જીતની ટકાવારી 50 પર પહોંચી ગઈ છે. ત્રીજા નંબરે રહેલી શ્રીલંકાની જીતની ટકાવારી 55.56 છે.
આ પણ વાંચો -Team india નાં વિજય રથને લાગી રોક! 12 વર્ષ પછી કારમી હાર!
ટીમ ઈન્ડિયાને શરમજનક હારનો સામનો કરવો પડ્યો
પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પણ ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન જારી રહ્યું હતું. પ્રથમ દાવમાં માત્ર 156 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારતીય બેટ્સમેનો 359 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે બીજી ઇનિંગમાં માત્ર 245 રન બનાવીને પડી ભાંગ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા માત્ર 8 રન બનાવીને વિદાય થયો, જ્યારે વિરાટ કોહલીનું બેટ ફરી એકવાર શાંત રહ્યું અને તે માત્ર 17 રન જ બનાવી શક્યો. શુભમન ગિલ પણ બેટથી ફ્લોપ રહ્યો હતો અને 23 રન બનાવીને વોકઆઉટ થયો હતો. રિષભ પંત પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો, સરફરાઝ ખાને પણ તેના પ્રદર્શનથી નિરાશ કર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ છેવટ સુધી લડત આપી, પરંતુ તે ટીમની હાર રોકી શક્યો નહીં.
આ પણ વાંચો -IND vs SA:દક્ષિણ આફ્રિકા સામે T20 માટે ભારતની ટીમની જાહેરાત
ન્યુઝીલેન્ડે પ્રથમ વખત સિરીઝ જીતી
ન્યુઝીલેન્ડે ભારતની ધરતી પર પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતી છે. બેંગલુરુમાં 36 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા સામે ટેસ્ટ મેચ જીતનાર કીવી ટીમે પુણેમાં પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ સાથે ભારતીય ટીમ 12 વર્ષ બાદ તેની ધરતી પર ટેસ્ટ સિરીઝ હારી છે. આ પહેલા વર્ષ 2012માં ઈંગ્લેન્ડે ભારતને ઘરઆંગણે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ છેલ્લી 19 ટેસ્ટ સિરીઝમાંથી 18માં જીતનો સ્વાદ ચાખ્યો હતો, પરંતુ રોહિતની સેના 20મી સિરીઝમાં આ રેકોર્ડ જાળવી શકી ન હતી.
WTC પોઈન્ટના સમીકરણ
- વિજય માટે 12 પોઈન્ટ.
- જો મેચ ટાઈ થાય તો 6 પોઈન્ટ.
- જો મેચ ડ્રો થાય તો 4 પોઈન્ટ.
- જીતેલી પોઈન્ટની ટકાવારીના આધારે ટીમોને ક્રમ આપવામાં આવે છે.
- ટોપ બે ટીમો 2025માં લોર્ડ્સમાં યોજાનારી ફાઇનલમાં પહોંચશે.
- જો સ્લોઓવર દર હોય તો પોઈન્ટ કાપવામાં આવે છે.