Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : વ્યાજખોર મિત્રોના ત્રાસથી કંટાળી આધેડે ભર્યું એવું પગલું જાણી રૂવાંડા ઊભા થઈ જશે!

હાલ, પીડિતની હાલત ગંભીર છે અને ICU માં સારવાર હેઠળ છે.
surat   વ્યાજખોર મિત્રોના ત્રાસથી કંટાળી આધેડે ભર્યું એવું પગલું જાણી રૂવાંડા ઊભા થઈ જશે
Advertisement
  1. Surat માં વ્યાજખોરો ફરી સક્રિય થયા!
  2. બેગમપુરાનાં આધેડે વ્યાજખોરોનાં ત્રાસથી ઝેર પીધું
  3. બંને મિત્રોએ જ ત્રાસ આપતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો

સુરતમાં (Surat) વ્યાજખોરોનાં ત્રાસથી એક આધેડે ઝેરી દવા પી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની હતી. ઘટનાનાં 10 દિવસ બાદ પોલીસે FIR નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આરોપ છે કે, વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને સતત આપી રહેલા માનસિક ત્રાસથી કંટાળીને આખરે આધેડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ, પીડિતની હાલત ગંભીર છે અને ICU માં સારવાર હેઠળ છે.

Advertisement

 આ પણ વાંચો - Khyati Hospital નો વધુ એક 'કાંડ'! ઓપરેશન કર્યાનાં માત્ર 3 જ મહિનામાં 1 વ્યક્તિનું મોત

Advertisement

રૂપિયાની જરૂર હોવાથી મિત્રો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) બેગમપુરાના ગુલામ શેખે રૂપિયાની જરૂર હોવાથી મિત્ર શાબીર ગુલામ મુસ્તુફા શેખ પાસેથી માસિક 30 ટકા વ્યાજે રૂપિયા લીધા હતા. શાબીર દર મહિને ગુલામ શેખ પાસેથી રૂ. 30 હજાર વ્યાજ લેતો હતો. જો કે, વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ ચૂકવવા માટે પણ ગુલામ શેખ પાસે રૂપિયા ન હોવાથી તેમણે બીજા મિત્ર ઇબ્રાહિમ પાસેથી રૂપિયા લીધા હતા. ત્યાર બાદ બંને વ્યાજખોર મિત્ર રૂપિયા બાબતે ગુલામ શેખ સાથે ઝઘડો કરી ગાળાગાળી કરતા હતા.

Advertisement

 આ પણ વાંચો - Vadodara : BJP નાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે મોટા સમાચાર, 10 પોલીસકર્મી સામે આકરી કાર્યવાહી!

વ્યાજખોર મિત્રોનાં ત્રાસથી આધેડે ઝેરી દવા ગટગટાવી

બંને વ્યાજખોર મિત્ર ગુમાલ શેખને રૂપિયા બાબતે જાહેરમાં ગાળાગાળી કરી ધાક-ધમકી આપી સતત અપમાનિત કરતા હતા. આથી, તેમનાં ત્રાસથી કંટાળીને ગુમાલ શેખે ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ગુમાલ શેખની પત્નીએ ફરિયાદ કરતા મહિધરપુરા પોલીસે ઘટનાનાં 10 દિવસ બાદ વ્યાજખોરો સામે FIR નોંધી છે અને કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ગુલામ શેખની હાલત હાલ પણ ગંભીર અને તેઓ ICU માં સારવાર હેઠળ છે.

 આ પણ વાંચો - Ahmedabad : આજની લેવાયેલી પરીક્ષા રદ્દ નહીં થાય કે પુનઃ નહીં લેવાય : GUPEC

Tags :
Advertisement

Related News

featured-img
આઈપીએલ

IPL 2025: 2008 થી અત્યાર સુધી IPL નો હિસ્સો રહેલા દિગ્ગજ ખેલાડીઓ કોણ?

featured-img
ગુજરાત

BZ Finance Scam: CID ક્રાઇમે સાત આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી, 178 કરોડનું કૌભાંડ સામે આવ્યું

featured-img
ગુજરાત

VADODARA : AC માં શોર્ટ સર્કિટ બાદ ઘરમાં આગ પ્રસરી, માલિક ભડથું

featured-img
રાષ્ટ્રીય

Kurukshetra માં મહાયજ્ઞ દરમિયાન પથ્થરમારો અને ગોળીબાર... 3 લોકો ઘાયલ, એકની હાલત ગંભીર

featured-img
ગુજરાત

Sansnd Veeranjali 2.0 : વીરાંજલિમાં ભાગ લેવા શહીદ રાજગુરૂના વારસદારનું આગમન

featured-img
રાષ્ટ્રીય

Delhi : શાહીન બાગમાં આવેલા જૂતાના શોરૂમમાં લાગી ભયાનક આગ!

Trending News

.

×