Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat News : રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટીવિટી મામલે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટાની શકયતા છે જેમાં 17 એપ્રિલથી 20 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે
gujarat news   રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટીવિટી મામલે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Advertisement
  • ગુજરાતમાં આગામી સમયમાં ગરમીમાં થશે ઘટાડો
  • આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટાની શકયતા
  • 17 એપ્રિલથી 20 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે

Gujarat News : ગુજરાતમાં આગામી સમયમાં ગરમીમાં ઘટાડો થશે. આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટાની શકયતા છે. જેમાં 17 એપ્રિલથી 20 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે. બનાસકાંઠા, કચ્છ, મહેસાણામાં પવન સાથે વરસાદી છાંટા પડશે. દાહોદ, લીમખેડા, વડોદરા, આણંદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રના હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદી છાંટા પડશે.

મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં 40-41 ડિગ્રી તાપમાન રહેશે

મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં 40-41 ડિગ્રી તાપમાન રહેશે. તથા ઉત્તર, પૂર્વ, દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાન 40-41 ડિગ્રી રહેશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 26 એપ્રિલથી ગરમીમાં ફરી એકવાર વધારો થશે. રાજ્યમાં 10 મે બાદ પ્રિ-મોન્સૂન એક્ટીવિટી શરૂ થશે. 8 જૂનથી દરિયામાં પવન બદલાશે અને દરિયાકિનારે પવન ફૂંકાશે.

Advertisement

હાલ રાજ્યના અનેક જિલ્લામાં ગરમીમાં આંશિક રાહત મળી છે

હાલ રાજ્યના અનેક જિલ્લામાં ગરમીમાં આંશિક રાહત મળી છે. ત્યારે અમદાવાદમાં 43.3 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 42.08 ડિગ્રી, વડોદરામાં 40.08 ડિગ્રી, ભાવનગરમાં 39.2 ડિગ્રી, ભૂજમાં 40.2 ડિગ્રી તથા દાહોદમાં 39.1 ડિગ્રી સાથે દમણમાં 35.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડાંગમાં 39.0 ડિગ્રી અને ડીસામાં 41.8 ડિગ્રી તથા દીવમાં 33.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Advertisement

તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘર બહાર ન નીકળવા અપીલ કરાઇ

દ્વારકામાં 31.0 ડિગ્રી તથા ગાંધીનગરમાં 43.2 ડિગ્રી, જામનગરમાં 34.5 ડિગ્રી અને કંડલામાં 39.9 ડિગ્રી તથા નલિયામાં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેમાં ઓખામાં 32.4 ડિગ્રી તથા પોરબંદરમાં 37.2 ડિગ્રી, રાજકોટમાં 43.0 ડિગ્રી, સુરતમાં 34.4 ડિગ્રી, સુરત ગ્રામ્યમાં 33.6 ડિગ્રી તથા વેરાવળમાં 34.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે કચ્છમાં ભીષણ ગરમીને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં ભુજમાં 66 વર્ષીય બચુભા જાડેજાનું સારવાર દરમિયાન મોત થયુ છે. તેમજ મમુઆરા ગામે 38 વર્ષીય સિરાજઉદીન રહેમાનનું પણ ગરમીને કારણે લુ લાગતા મોત નિપજયુ છે. તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘર બહાર ન નીકળવા અપીલ કરાઇ છે.

આ પણ વાંચો: Surat : હર્ષ સંઘવીના ઘરની સામેના લક્ઝુરિયસ ફ્લેટમાં આગ, વેસુ વિસ્તારમાં અફરાતફરી

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Rain in Gujarat: 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં મેઘ વરસ્યો, જાણો સૌથી વધુ ક્યા પડ્યો વરસાદ

featured-img
Top News

VADODARA : મચ્છરોનો ઉપદ્રવ ડામવા પહેલી વખત ડ્રોનથી દવાનો છંટકાવ કરાશે

featured-img
Top News

VADODARA : ખેડૂતે 4 વીઘા જમીનમાં તૈયાર બાજરીનો પાક ગૌ માતા-નંદીજી માટે ખુલ્લો મુક્યો

featured-img
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ઈરાન પર હુમલા બાદ હવે ત્રીજા વિશ્વયુદ્ધની ચિંતા ઊભી થઇ! મુસ્લિમ દેશો આવ્યા એકસાથે

featured-img
Top News

Gujarati Top News : આજે 23 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
આંતરરાષ્ટ્રીય

Israel-Iran War ના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો, જાણો ભારતની શું છે તૈયારીઓ

Trending News

.

×