Parliament : સંસદમાં જોવા મળી ચૂંટણી પરિણામોની અસર, PM MODI નું ભવ્ય સ્વાગત
સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થઈ ગયું છે. સંસદનું આ સત્ર એટલા માટે પણ ખાસ છે કારણ કે તે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોના બીજા જ દિવસે શરૂ થયું હતું. તમને જણાવી દઈએ કે તેલંગાણા સિવાય બીજેપીને અન્ય તમામ રાજ્યોની ચૂંટણીઓમાં જંગી જીત મળી છે. હવે આ જીત બાદ પીએમ મોદીનું સંસદભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.
બાર બાર મોદી સરકાર
ગઈકાલે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોની અસર સંસદના શિયાળુ સત્રમાં પણ જોવા મળી હતી. ચૂંટણીમાં ભાજપનું નેતૃત્વ કરનાર વડાપ્રધાન મોદી સંસદભવનમાં પ્રવેશતા જ ભાજપના નેતાઓએ તેમના માટે નારા લગાવ્યા હતા. ભાજપના નેતાઓ ઉભા થઈને બાર બાર.. મોદી સરકાર અને ત્રીજી વખત મોદી સરકારના નારા લગાવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી પણ ખુશ દેખાયા હતા.
સરકાર સામે કોઈ લહેર નથી- PM મોદી
સત્રની શરૂઆત પહેલા પીએમ મોદીએ કહ્યું કે દેશમાં સરકાર વિરુદ્ધ કોઈ લહેર નથી. જનહિતના કામો હોય તો એન્ટી ઈન્કમ્બન્સી હોતી નથી. તેમણે કહ્યું કે ખૂબ જ પ્રોત્સાહક પરિણામો આવ્યા છે. દરેક જાતિ, દરેક સમાજ, ભાજપને તમામ વર્ગોનું સમર્થન મળ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે દેશે નકારાત્મકતાને ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે ગૃહમાં જે પણ બિલ રજૂ કરવામાં આવે છે, તેના પર સારી ચર્ચા થવી જોઈએ. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ચર્ચા દરમિયાન તમામ સાંસદો તેમના વિચારો રજૂ કરશે.
આ પણ વાંચો---PARLIAMENT : સંસદમાં હારનો ગુસ્સો ના કાઢતા, PM એ વિપક્ષને આપી સલાહ