Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસને અલવિદા કહ્યા બાદ હવે ભાજપમાં જોડાયા Gourav Vallabh

Gourav Vallabh News : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. આજે પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લભે તમામ પદો પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમના રાજીનામા બાદથી જ ચર્ચા હતી કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. તે ચર્ચાનો...
01:21 PM Apr 04, 2024 IST | Hardik Shah
gourav vallabh join bjp

Gourav Vallabh News : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. આજે પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લભે તમામ પદો પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમના રાજીનામા બાદથી જ ચર્ચા હતી કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. તે ચર્ચાનો આખરે અંત આવ્યો છે. જીહા, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રોફેસર ગૌરવ વલ્લભ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. લોકસભા ચૂંટણી પહેલા વલ્લભની રાજસ્થાનમાંથી હિજરતને કોંગ્રેસ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

ગૌરવ વલ્લભ જોડાયા ભાજપમાં

રાજીનામું આપતા ગૌરવ વલ્લભે કોંગ્રેસ પર દિશાવિહીન પાર્ટી હોવાનો આરોપ લગાવ્યો હતો. વલ્લભ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા હતા. વલ્લભની સાથે બિહાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અનિલ શર્માએ પણ ભાજપનું સભ્યપદ લીધું હતું. ખાસ વાત એ છે કે માત્ર બે દિવસમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસને ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. એક તરફ રાજસ્થાનથી આવેલા વલ્લભ અને બિહાર કોંગ્રેસના દિગ્ગજ નેતા શર્મા ભાજપમાં જોડાયા. વળી, પાર્ટી સાથેના તણાવ વચ્ચે મહારાષ્ટ્રના નેતા સંજય નિરુપમે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. ગૌરવ વલ્લભે કોંગ્રેસ પાર્ટી પર દિશાવિહીન હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ટ્વીટ કરતા લખ્યું, 'આજે પાર્ટી જે દિશાહીન રીતે આગળ વધી રહી છે તેનાથી હું સહજતા અનુભવી શકતો નથી. હું દરરોજ સવાર-સાંજ સનાતન વિરોધી સૂત્રોચ્ચાર કરી શકતો નથી કે દેશના સંપત્તિ સર્જકનો દુરુપયોગ કરી શકતો નથી. તેથી, હું કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી રહ્યો છું.

ચૂંટણી ટાણે કોંગ્રેસને મોટો ઝટકો

ઉલ્લેખનીય છે કે, કોંગ્રસના પ્રવક્તા ગૌરવ વલ્લભે આજે મોટો ઝટકો આપતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ગૌરવ વલ્લભે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સંબોધતા રાજીનામું આપ્યું છે, જે તેમણે ટ્વીટ પણ કર્યું છે. ગૌરવ વલ્લભે કહ્યું, 'કોંગ્રેસ પાર્ટી આજે જે દિશાવિહીન રીતે આગળ વધી રહી છે તેનાથી હું સહજતા અનુભવી શકતો નથી. હું સવાર-સાંજ સનાતન વિરોધી નારા લગાવી શકતો નથી કે દેશના સંપત્તિ સર્જકોનો દુરુપયોગ કરી શકતો નથી. તેથી, હું કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી રહ્યો છું. આ પહેલા બુધવારે જ બોક્સર વિજેન્દ્ર સિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમનું કહેવું છે કે કોંગ્રેસ કોઈપણ દિશા-નિર્દેશ વિના ચૂંટણીમાં આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં તેની સાથે રહેવાનો કોઈ અર્થ નથી.

આ પણ વાંચો - Congress : રાજીનામું સ્વીકાર્યા બાદ કોંગ્રેસે મને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો, સંજય નિરુપમે ખુલાસો કર્યો…

આ પણ વાંચો - Lok Sabha Election : કોંગ્રેસ નેતા ગૌરવ વલ્લભે આપ્યું રાજીનામું, કહ્યું- પાર્ટી ખોટી દિશામાં આગળ વધી રહી છે…

Tags :
BJPCongressGourav VallabhGourav Vallabh NewsLok Sabha Election 2024Lok Sabha Election UpdateLok Sabha ElectionsLok Sabha elections 2024Lok-Sabha-election
Next Article