Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાવરકુંડલા : રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસિયાનું રોડ અકસ્માતમાં નિધન

સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસિયાનું રોડ અકસ્માતમાં દુ:ખદ નિધન થયું છે. સાવરકુંડલાના શેલાણા નજીક વેગન આર કાર અને જે.સી.બી.વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ તેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ વાતની જાણ ભાજપ...
10:04 PM May 18, 2023 IST | Dhruv Parmar

સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસિયાનું રોડ અકસ્માતમાં દુ:ખદ નિધન થયું છે. સાવરકુંડલાના શેલાણા નજીક વેગન આર કાર અને જે.સી.બી.વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ તેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ વાતની જાણ ભાજપ કાર્યકરોને થતાં તેઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા છે.

વી.વી. વઘાસિયા મંત્રી સિવાય અમરેલી ભાજપના જિલ્લા સંગઠનમાં મહત્વની કામગીરી કરેલી છે ઉપરાંત જૂનાગઢના પ્રભારી પણ તેઓ રહી ચુક્યા છે. સાવરકુંડલા નજીકના નાળ ગામ પાસે તેમની વાડી કામગીરી ચાલી રહી હતી જે પતાવીને તેઓ તેમના મિત્ર અશોકભાઈ રામજીભાઈ નારોલા સાથે પરત આવી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. તેમની સાથે આવી રહેલા અશોકભાઈને માથાના ભાગે ઈજા પહોંચી હતી. તેમના પરિવારમાં બે દિકરા અને એક દિકરી છે જેઓ સુરત રહે છે.

પૂર્વ પૂર્વી કૃષિમંત્રી વી.વી.વઘાસિયા ના નિધનના પગલે વિધાનસભાના ઉપદંડક કૈશિક વેકરીયા, ધારાસભ્ય મહશ કસવાળા અને ભાજપના નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા છે.

પરશોત્તમભાઈ રૂપાલાએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

વી.વી. વઘાસિયાના નિધન પર રાજ્યસભાના સાંસદ અને ભાજપના સિનિયર નેતા પરશોત્તમભાઈ રૂપાલાએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, સાવરકુંડલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી શ્રી વી.વી. વઘાસિયાના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. ઈશ્વર તેમની આત્માને શાંતિ અર્પે તેમજ પરિવારને દુઃખ સહન કરવાની હિંમત આપે તેવી પ્રાર્થના. ઓમ્ શાંતિ!

તમને જણાવી દઈએ કે, વર્ષ 2012માં ભાજપના ધારાસભ્ય કાળુભાઇ વિરાણીનું પત્તુ કપાતા પક્ષ દ્વારા વી.વી. વઘાસિયાને ટીકીટ ફાળવવામાં આવી હતી. ખેતીનો વ્યવસાય કરતા વઘાસિયાએ ચાર પાંખીયા જંગમાં વિજય મેળવ્યો હતો. જો કે કોંગ્રેસના ઉમેદવારે તેમને પરસેવો વાળી દે તેવી ટક્કર આપી હતી.

કોણ છે વી.વી.વઘાસીયા

સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય વલ્લભભાઇ વશરામભાઇ વઘાસિયાએ અમદાવાદની આંબેડકર ઓપન યુનિવર્સીટીમાંથી એફવાય, બી.એ. સુધી અભ્યાસ કર્યો છે. તેઓ લેઉવા પટેલ જ્ઞાતિમાંથી આવે છે અને સાવરકુંડલા-લીલીયા વિસ્તાર લેઉવા પટેલ સમાજની વધુ વસતીવાળો વિસ્તાર છે. તેમણે નાના પાયે કાર્યકર તરીકેની કારકિર્દી પણ આ વિસ્તારમાંથી જ શરૂ કરી હતી. ભારતીય જનતા પાર્ટીમાંથી જીલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચુંટાયા હતાં. જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ પણ બન્યા હતાં.

આ પણ વાંચો : પોલીસ ભરતીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન, આ મહિનામાં થશે પોલીસ ભરતીનું આયોજન

Tags :
AccidentGujaratMLASavarkundla
Next Article