બોટાદના કૃષ્ણસાગર તળાવમાં પાંચ યુવાનો ડૂબ્યા, ફાયર વિભાગે મૃતકોને બહાર કાઢ્યા
બોટાદમાંથી એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. કૃષ્ણાનગર તળાવમાં પાંચ યુવાનના ડૂબી જવાથી મોત થયા છે. તમામ મૃતકો બોટાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગે દોઢ કલાકની જહેમત બાદ ડેડ બોડી બહાર કાઢી છે. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને...
બોટાદમાંથી એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. કૃષ્ણાનગર તળાવમાં પાંચ યુવાનના ડૂબી જવાથી મોત થયા છે. તમામ મૃતકો બોટાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગે દોઢ કલાકની જહેમત બાદ ડેડ બોડી બહાર કાઢી છે.
Advertisement
આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પાપ્ત વિગતો મુજબ ન્હાવા પડેલા બે વ્યક્તિઓ ડૂબવા લાગ્યા હતાં ત્યારે તેમને બચાવવા માટે અન્ય ત્રણ વ્યક્તિઓ પણ તળાવમાં છલાંગ લગાવી હતી પરંતુ તેમને પાણીમાં તરતા ન આવડતું હોવાથી તે પણ ડૂબ્યા હતા. આમ પાંચ વ્યક્તિઓનું ડૂબવાથી મોત થયું છે.
Advertisement
આ પણ વાંચો : આરોપીએ ઘડ્યો એવો પ્લાન કે પોલીસ પણ ચકરાવે ચડી, જાણો શું છે સમગ્ર ઘટના
Advertisement