Attack : 24થી 48 કલાકમાં ઇરાન-ઇઝરાયેલ બાખડશે...?
- ઈરાન સોમવારે ઈઝરાયેલ પર હુમલો કરી શકે
- ઈઝરાયેલ સંભવિત હુમલાને લઈને હાઈ એલર્ટ પર
- વરિષ્ઠ અમેરિકન કમાન્ડર મધ્ય પૂર્વ પહોંચ્યા
Attack : હમાસના રાજકીય બ્યુરો ચીફ ઈસ્માઈલ હાનિયાના મોતનો બદલો લેવા ઈરાન સોમવારે ઈઝરાયેલ પર હુમલો ( Attack)કરી શકે છે. ધ જેરુસલેમ પોસ્ટ અનુસાર, ત્રણ અમેરિકન અને ઈઝરાયેલ અધિકારીઓએ રવિવારે એક્સિયોસને આ માહિતી આપી હતી. ઈઝરાયેલ સંભવિત હુમલાને લઈને હાઈ એલર્ટ પર છે.
હિઝબુલ્લાએ સોમવારે વહેલી સવારે ઉત્તરી ઈઝરાયેલમાં હુમલો કર્યો
ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે હિઝબુલ્લાએ સોમવારે વહેલી સવારે ઉત્તરી ઈઝરાયેલમાં આયલેટ હશર નજીકના વિસ્તારમાં રોકેટ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક IDF અધિકારી અને સૈનિકને થોડી ઈજા થઈ હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.
ઈરાન 24 થી 48 કલાકમાં હુમલો કરશે
આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે વોશિંગ્ટનનું માનવું છે કે આગામી 24-48 કલાકમાં ઇઝરાયેલ પર ઈરાની હુમલો શરૂ થઈ શકે છે. તેમણે G7 દેશોના તેમના સમકક્ષોને આ વાત કહી. પ્રદેશમાં તણાવ ઘટાડવા અને વ્યાપક યુદ્ધ ફાટી નીકળતા અટકાવવાના યુએસ પ્રયાસો વચ્ચે બ્લિંકને તેમના સમકક્ષો સાથે વાત કરી.
આ પણ વાંચો---Hezbollah એ ઈઝરાયેલ પર કર્યો હુમલો, 50 થી વધુ રોકેટ છોડ્યા...Video
હુમલાનો ચોક્કસ સમય જાણી શકાયો નથી પરંતુ...
અમેરિકાનું માનવું છે કે ગયા અઠવાડિયે હિઝબુલ્લાહ અને હમાસના ટોચના અધિકારીઓની હત્યા બાદ ઈરાની હુમલો નિશ્ચિત છે. તેથી બ્લિંકને કૉલ પર અધિકારીઓને કહ્યું કે તેહરાનને તેના હુમલાઓને મર્યાદિત કરવા દબાણ કરવું એ પ્રાદેશિક યુદ્ધને ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
બ્લિંકને કહ્યું કે યુ.એસ.ને આયોજિત ઈરાની હુમલાનો ચોક્કસ સમય ખબર નથી, પરંતુ તે માને છે કે તે સોમવારથી જલ્દી શરૂ થઈ શકે છે,
વરિષ્ઠ અમેરિકન કમાન્ડર મધ્ય પૂર્વ પહોંચ્યા
ધ જેરુસલેમ પોસ્ટ અનુસાર, આ દરમિયાન, યુએસ સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર, માઈકલ એરિક કુરિલા, રવિવારે સવારે મધ્ય પૂર્વ પહોંચ્યા. તેમની મુલાકાતનો હેતુ ઈરાન અને હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયેલને આપવામાં આવી રહેલી ધમકીઓ વચ્ચે સુરક્ષા જોડાણ બનાવવાનો છે.
હુમલો યોગ્ય સમયે અને રીતે કરવામાં આવશે
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સે શનિવારે કહ્યું કે બદલો 'સખત અને યોગ્ય સમયે, સ્થળ અને રીતે' લેવામાં આવશે. IRGCએ હાનિયાના મૃત્યુ માટે 'આતંકવાદી ઝિઓનિસ્ટ શાસન'ને જવાબદાર ઠેરવ્યું હતું.
આ પણ વાંચો---Bangladesh : 'ભારતીય નાગરિકોએ બાંગ્લાદેશની મુસાફરી ન કરવી જોઈએ', ભારતે એડવાઈઝરી જાહેર કરી...