Jaishankar : " રાજદૂતો અને હિન્દુઓની સુરક્ષા કરે બાંગ્લાદેશની એજન્સીઓ...!"
- બાંગ્લાદેશની સ્થિતી પર વિદેશ મંત્રી એસ.જયશંકરે રાજ્યસભામાં આપ્યો જવાબ
- " રાજદૂતો અને હિન્દુઓની સુરક્ષા કરે બાંગ્લાદેશની એજન્સીઓ...!"
- કેન્દ્ર સરકાર બાંગ્લાદેશની આર્મીના સંપર્કમાં
S.Jaishankar : બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના રાજીનામું આપીને દેશ છોડ્યાના થોડા સમય બાદ સોમવારે સાંજે 5:36 વાગ્યે દિલ્હી પહોંચ્યા હતા. થોડા કલાકો પછી, બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને જાન્યુઆરી 2024 માં ચૂંટણી પછી રચાયેલી સંસદને ભંગ કરવાની જાહેરાત કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશ કટોકટી પર સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજી હતી, જ્યારે શેખ હસીના ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર સલામત ગૃહમાં છે. દરમિયાન, બાંગ્લાદેશના અગ્રણી મીડિયા આઉટલેટ ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, આંદોલનના મુખ્ય આયોજકોએ નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વિડિયોમાં, આંદોલનના મુખ્ય સંયોજકોમાંના એક નાહીદ ઇસ્લામે કહ્યું કે તેઓ પ્રોફેસર યુનુસ સાથે પહેલાથી જ વાત કરી ચૂક્યા છે અને તેમણે દેશની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની સંમતિ આપી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે (S.Jaishankar) બાંગ્લાદેશમાં ઉભી થયેલી પરિસ્થિતિ પર રાજ્યસભાને સંબોધિત કરી હતી
મોટાભાગના હુમલા ત્યાં લઘુમતીઓ પર થયા છે જે ચિંતાનો વિષય
વિદેશ મંત્રી એસ. જયશંકરે બાંગ્લાદેશમાં ઉભી થયેલી પરિસ્થિતિ પર રાજ્યસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું, 'બાંગ્લાદેશ આપણી ખૂબ નજીક છે. જાન્યુઆરીથી ત્યાં તણાવ છે. બાંગ્લાદેશમાં જુન-જુલાઈમાં હિંસા શરૂ થઈ હતી. અમે ત્યાંના રાજકીય પક્ષોના સંપર્કમાં હતા. ક્વોટા સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ બાંગ્લાદેશમાં સ્થિતિ સુધરતી ન હતી અને શેખ હસીનાએ રાજીનામું આપવું પડ્યું હતું. 4 ઓગસ્ટે સ્થિતિ સૌથી વધુ ખરાબ થઈ હતી. મોટાભાગના હુમલા ત્યાં લઘુમતીઓ પર થયા છે જે ચિંતાનો વિષય છે.
આ પણ વાંચો---Plane : ...આજે અચાનક શેખ હસીનાનું વિમાન કઇ તરફ ઉડ્યું....?
#WATCH | Speaking in Rajya Sabha on the situation in Bangladesh, External Affairs Minister Dr S Jaishankar says, "...On 5th August, demonstrators converged in Dhaka despite the curfew. Our understanding is that after a meeting with leaders of the security establishment, Prime… https://t.co/Z9AfVaoYsJ
— ANI (@ANI) August 6, 2024
કેન્દ્ર સરકાર બાંગ્લાદેશ આર્મીના સંપર્કમાં
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે ટૂંકા અને લાંબા ગાળાની વ્યૂહરચના હોવી જોઈએ, બાંગ્લાદેશમાં ચૂંટણી ન થાય ત્યાં સુધી વચગાળાની સરકાર શાસન કરશે. વિદ્યાર્થી વિરોધીઓએ નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસને સરકારના મુખ્ય સલાહકાર બનાવવાની માંગ કરી છે. તેના પર જયશંકરે કહ્યું કે કેન્દ્ર સરકાર બાંગ્લાદેશ આર્મીના સંપર્કમાં છે. ત્યાંની પરિસ્થિતિ સતત બદલાતી રહે છે. જેમ જેમ વધુ ઘટનાઓ બનશે તેમ તેમ સરકાર તેમના વિશે માહિતી આપશે. બાંગ્લાદેશમાં ભારત વિરોધી ભાવના અંગે જયશંકરે કહ્યું, 'કેટલીક જગ્યાએ તે જોવા મળ્યું છે, પરંતુ જે પણ સરકાર આવશે તે ભારત સાથે મળીને કામ કરશે.'
બાંગ્લાદેશની સ્થિતિ એટલી ચિંતાજનક નથી કે હિંસાગ્રસ્ત દેશમાંથી 12,000-13,000 ભારતીયોને બહાર કાઢવાની જરૂર
સર્વપક્ષીય બેઠકને સંબોધિત કરતી વખતે, વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે કહ્યું હતું કે બાંગ્લાદેશની સ્થિતિ એટલી ચિંતાજનક નથી કે હિંસાગ્રસ્ત દેશમાંથી 12,000-13,000 ભારતીયોને બહાર કાઢવાની જરૂર છે. જયશંકર આજે રાજ્યસભા અને લોકસભામાં પણ આ મુદ્દે બોલવાના છે. તેમણે સર્વપક્ષીય બેઠકમાં જણાવ્યું હતું કે સરકાર વિરોધી દેખાવોના કારણે બાંગ્લાદેશમાં શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછીની સ્થિતિ પર સરકાર ચાંપતી નજર રાખી રહી છે જેમાં 300 થી વધુ લોકો માર્યા ગયા છે.
મનીષ તિવારીએ સંસદમાં બાંગ્લાદેશની તાજેતરની સ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો
મનીષ તિવારીએ સંસદમાં બાંગ્લાદેશની તાજેતરની સ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. લોકસભામાં શેખ હસીના સરકારને ઉથલાવી દેવાની વાત કરતા કોંગ્રેસના સાંસદે કહ્યું કે દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં અસ્થિરતા છે. દક્ષિણ સમુદ્રમાં ચીનની દખલગીરી વધી રહી છે. ભારત દક્ષિણ એશિયાનો સૌથી મહત્વપૂર્ણ દેશ છે. જો દક્ષિણ એશિયામાં અસ્થિરતા સર્જાશે તો તેની સૌથી વધુ અસર ભારતને થશે. તેમણે પૂછ્યું કે સરકારે દક્ષિણ એશિયાના દેશોમાં સ્થિરતા માટે શું પગલાં લીધાં છે, જ્યારે વિદેશ પ્રધાન જવાબ આપશે ત્યારે હું આ જાણવા માંગુ છું.
આ પણ વાંચો-----કોણ છે આ ત્રણ Students..? જેમણે બાંગ્લાદેશમાંથી હસીનાને ભગાડ્યા...