ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Dhanush-Aishwarya એ 2 વર્ષના સેપરેશન પછી લગ્નજીવન લગાવ્યું પૂર્ણવિરામ

Dhanush-Aishwarya Rajinikanth Divorce : વર્ષ 2022 માં સેપરેશનની માહિતી શેર કરી હતી
09:34 PM Nov 27, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
Dhanush-Aishwarya Rajinikanth Divorce

Dhanush-Aishwarya Rajinikanth Divorce : સાઉથ સુપરસ્ટાર Dhanush અને તેની પત્ની એશ્વર્યા રજનીકાંતે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. તો Dhanush-Aishwarya Rajinikanth એ લગ્નના 20 વર્ષ પછી છૂટાછેડા લઈને પોતાના જીવનના રસ્તાઓ બદલવા માટે હામી ભરી છે. જોકે 2 વર્ષ પહેલા Dhanush-Aishwarya Rajinikanth એ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. ત્યારે કોર્ટ દ્વારા તેમને ફરી એકવાર વિચારવા માટે અમુક નિશ્ચિત સમય આપવામાં આવ્યો હતો. તો બે વર્ષ સુધી અલગ-અલગ રહીને આખરે Dhanush-Aishwarya Rajinikanth એ પોતાના લગ્નજીવન ઉપર પૂર્ણવિરામ લગાવ્યું છે.

છૂટાછેડાના મામલે આ પહેલા પણ 3 વાર સુનાવાણી થઈ

એક અહેવાલ અનુસાર, ચેન્નાઈમાં આવેલી પરિવાર કલ્યાણ કોર્ટમાં Dhanush-Aishwarya Rajinikanth એ છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. તો આજરોજ આ કોર્ટમાંથી બન્નેના છૂટાછેડા ઉપર મહોર લગાવવામાં આવી છે. જોકે પરિવાર કલ્યાણ કોર્ટમાં Dhanush-Aishwarya Rajinikanth ના છૂટાછેડાના મામલે આ પહેલા પણ 3 વાર સુનાવાણી થઈ હતી. પરંતુ Dhanush-Aishwarya Rajinikanth બંનેમાંથી એકપણ વ્યક્તિ ક્યારે પણ સુનાવણીમાં હાજર રહ્યા ન હતા.

આ પણ વાંચો: Divya Prabha નો MMS લીક થતા અભનિત્રીએ મૌન તોડીને કહ્યું....

વર્ષ 2022 માં સેપરેશનની માહિતી શેર કરી હતી

પરંતુ જ્યારે અંતિમ તબક્કામાં છૂટાછૂડા માટે નિર્ણય લેવાનો હતો, ત્યારે કોર્ટમાં એશ્વર્યા હાજર રહી હતી. તો Dhanush-Aishwarya Rajinikanth એ વર્ષ 2004 માં લગ્ન કર્યા હતા. તો દંપતીને બે પુત્રો છે. ત્યારે વર્ષ 2022 માં Dhanush-Aishwarya Rajinikanth એ સેપરેશનની માહિતી શેર કરી હતી. ત્યારે Dhanush એ એક્સ ઉપર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, આખરે 18 વર્ષ પછી એક દંપતીના ભાગરૂપે અમે અલગ થવાનો નિર્ણય લીધો છે. આજે અમે એ રસ્તા ઉપર ઉભા છીએ, જ્યાં અમારા રસ્તાઓ અલગ થવાના છે.

Dhanush એ નયનતારા પાસે 10 કરોડ રૂપિયા માગ્યા

જોકે આ પહેલા Dhanush સાઉથ અભિનેત્રી નયનતારા સાથેના વિવાદને કારણે ચર્ચામાં આવ્યા હતા. Dhanush એ જણાવ્યું છે કે, નયનતારાની વેડિંગ ડોક્યુમેન્ટ્રીમાં તેની વર્ષ 2015 માં બનેલી તમિલ ફિલ્મ નાનુમ રાઉડીની ઝલક દર્શાવવામાં આવી છે. આના માટે ડોક્યૂમેન્ટ્રી નિર્માતાઓ અને અભિનેત્રી નયનતારા દ્વારા પરવાનગી લેવામાં આવી ન હતી. ત્યારે Dhanush એ આ કૃત્ય માટે ભૂગતાનના સ્વરૂપે નયનતારા પાસે 10 કરોડ રૂપિયા માગ્યા છે.

આ પણ વાંચો: Keerthy Suresh એ પ્રેમ સંબંધની અફવાઓ પર તસવીર શેર કરી લગાવી મહોર

Tags :
Aishwarya RajinikanthAishwarya rajinikanth divorceDhanushDhanush Aishwarya divorceDhanush aishwarya Rajinikanth separationDhanush DivorceDhanush-Aishwarya Rajinikanth DivorceentertainmentEntertainment NewsGujarat FirstLATEST ENTERTAINMENT NEWSlatest newsTrending