Vadodara ના હરણી તળાવમાં બોટ પલટી જતાં 09 લોકોના મોત, ઘટનાનું સૌથી મોટું કારણ આવ્યું સામે...!
Vadodara : વડોદરામાંથી (Vadodara) એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. વડોદરાના હરણી તળાવમાં (Harani Lake) વિદ્યાર્થીઓથી ભરેલી એક બોટ અચાનક ડૂબી હતી. આથી બોટમાં સવાર તમામ વિદ્યાર્થીઓ તળાવમાં ગરકાવ થયા છે. આ દુર્ઘટના અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી છે અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી છે. માહિતી મુજબ, 5થી વધુ વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે.
લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યાનો ખુલાસો
આપને જણાવીએ કે, બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો સવાર હતાાં. જેમાંથી 13 વિધાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. જ્યારે 10 લોકો તળાવમાં ડૂબ્યા છે, આ તમામ ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતાં. આ સમગ્ર ઘટનાને પગલે કલેક્ટર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યાનો પણ ખુલાસો થયો છે. જો કે, ફાયર વિભાગની ટીમ વિદ્યાર્થીઓની શોધખોળ કરી રહી છે.
Vadodara બોટ દુર્ઘટના: 16ની કેપિસિટી છતાં 25ની સવારી કેમ? @CMOGuj @Vadcitypolice @sanghaviharsh @VMCVadodara #Gujarat #Vadodara #HariniLake #Students #BreakingNews #GujaratFirst pic.twitter.com/C09PTHD0Qg
— Gujarat First (@GujaratFirst) January 18, 2024
વિપક્ષ નેતાનું આવ્યું નિવેદન
વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યું કે, સેફ્ટી પહેરાવી હોય તો પાણીમાં ડૂબે નહી. આનાથી ખરાબ દિવસ વડોદરા માટે નહીં હોય. માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે. આ પહેલા સુરસાગરમાં વર્ષો પહેલાં એક દુર્ઘટના ઘટી હતી. એના પરથી શીખ લઈને ચર્ચા કરીને નક્કી કરવામાં આવ્યું હતું કે, સેફ્ટીના તમામ સાધનો અહીં ઉપલબ્ધ રાખવામાં આવશે, પણ અહીં કેપેસિટી કરતા વધુ બાળકોને બેસાડ્યા હોવાનું સામે આવ્યું છે.
Vadodara માં પાણીમાં ડૂબેલા વિદ્યાર્થીની માતાનો કલ્પાંત #Gujarat #Vadodara #HariniLake #Students #BreakingNews #GujaratFirst @Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh @Vadcitypolice @VMCVadodara @mpvadodara @INCGujarat @BJP4Gujarat pic.twitter.com/yg0oWGZF8M
— Gujarat First (@GujaratFirst) January 18, 2024
સળગતા સવાલ ?
- કોની બેદરકારીને લઈ બાળકોની બોટ પલટી છે?
- કેમ પ્રશાસન ધ્યાન નથી આપતી?
- શું બોટમાં ખામીને લઈ દુર્ઘટના સર્જાઈ છે?
- માત્ર પૈસા કમાવવા પ્રશાસનને બોટ સેવા શરૂ કરી છે?
- શું કોન્ટ્રકટરો કાયદાની ઉપર છે?
- લોકોના જીવનો કોઈ મૂલ્ય નથી?
- હરણી તળાવ કાંડમાં જવાબદાર કોણ?
- શું સુરક્ષા વગર વિદ્યાર્થીઓ બોટમાં સવારી કરતા હતા?
- લાઈફ જેકેટ વગર બોટમાં જવા કોણે પરવાનગી આપી?
આ પણ વાંચો : Vadodara : હરણી તળાવમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી, 9 માસૂમના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ