કાકા-ભત્રીજા વચ્ચેની લડાઇ પહોંચી દિલ્હી, શરદ પવારની આજે નિર્ણાયક બેઠક
એનસીપી (NCP)માં ભાગલા પડ્યા બાદ પાર્ટીના નામ અને ઘડિયાળના નિશાન પર કબજો મેળવવાની લડાઈ હવે તેજ થઈ ગઈ છે. કાકા-ભત્રીજા વચ્ચેની પાવર ગેમ (Power Game)ની લડાઈ હવે મુંબઈ (Mumbai)થી દિલ્હી (Delhi) શિફ્ટ થઈ ગઈ છે. જ્યારે બંને જૂથોએ ચૂંટણી પંચમાં...
એનસીપી (NCP)માં ભાગલા પડ્યા બાદ પાર્ટીના નામ અને ઘડિયાળના નિશાન પર કબજો મેળવવાની લડાઈ હવે તેજ થઈ ગઈ છે. કાકા-ભત્રીજા વચ્ચેની પાવર ગેમ (Power Game)ની લડાઈ હવે મુંબઈ (Mumbai)થી દિલ્હી (Delhi) શિફ્ટ થઈ ગઈ છે. જ્યારે બંને જૂથોએ ચૂંટણી પંચમાં પોતપોતાના દાવા કર્યા છે. આજે શરદ પવાર (Sharad Pawar) જૂથે દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પણ બોલાવી છે. આ બેઠકમાં શરદ પવાર મોટી કાર્યવાહી કરી શકે છે. બેઠકમાં અજિત પવાર (Ajit pawar) વિરુદ્ધ ઠરાવ લાવી શકાય છે.
અજિત પવારને હાંકી કાઢવામાં આવી શકે
આ બેઠકમાં હાજરી આપવા માટે શરદ પવાર પુત્રી સુપ્રિયા સુલે સાથે દિલ્હી પહોંચ્યા છે. બીજી તરફ ગઈ કાલે મુંબઈમાં બેઠક દરમિયાન ભત્રીજા અજિત પવારે (Ajit pawar) પોતાને પાર્ટીના અધ્યક્ષ જાહેર કર્યા હતા. આજે દિલ્હીમાં શરદ પવાર(Sharad Pawar)ના ઘરે બપોરે 3:00 વાગ્યે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે જેમાં ઘણા નિર્ણયો લેવામાં આવી શકે છે. સૂત્રો જણાવી રહ્યા છે કે આ બેઠકમાં બળવાખોર ભત્રીજા અજિત પવાર વિરુદ્ધ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. અજિત પવારે જે રીતે કાકા શરદ પવારને પાર્ટી અધ્યક્ષ પદેથી હટાવ્યા છે, તે જ રીતે અજિત પવારને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં બહારનો રસ્તો બતાવી શકાય છે. આજની દિલ્હીની બેઠકમાં જે પણ થશે, તેની પૃષ્ઠભૂમિ બુધવારે મુંબઈમાં યોજાયેલી અજિત પવાર અને શરદ પવાર જૂથોની બેઠકોમાં તૈયાર કરવામાં આવી હતી, જ્યાં બંને પક્ષોએ એકબીજા પર પ્રહારો કર્યા હતા.
કાકા-ભત્રીજાના જૂથો ચૂંટણી પંચ સુધી પહોંચ્યા
હવે બંને કાકા-ભત્રીજાના જૂથો પણ ચૂંટણી પંચ સુધી પહોંચ્યા છે. બળવા પછી અજિત પવારે આખી પાર્ટી પર દાવો કર્યો છે. અજિત પવાર જૂથ દ્વારા ચૂંટણી પંચને મોકલવામાં આવેલા પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 30 જૂનના રોજ એનસીપીના કાર્યકારી અધ્યક્ષ તરીકે પ્રફુલ્લ પટેલે પાર્ટીની કાર્યકારિણીની બેઠક બોલાવી હતી, જેમાં અજિતને સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા હતા. શરદ પવારના સ્થાને પવાર એનસીપીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. ચૂંટણી પંચને મોકલવામાં આવેલા પત્રમાં અજિત પવારના સમર્થનમાં NCPના 53માંથી 40 ધારાસભ્યોની સહી છે.
શરદ પવાર જૂથે પણ ચૂંટણી પંચને અપીલ કરી હતી
કહેવાય છે કે પાર્ટીમાં અજિત પવારનું જૂથ વારંવાર શરદ પવાર પાસે પાર્ટીની કમાન અજિત પવારને સોંપવાની માંગ કરી રહ્યું હતું, પરંતુ શરદ પવાર ઝૂકવા તૈયાર નહોતા અને હવે જ અજિત પવારે ચૂંટણી પંચમાં પક્ષ તરીકે દાવો કર્યો છે. શરદ પવાર જૂથે પણ ચૂંટણી પંચને પત્ર મોકલ્યો છે. આ પત્રમાં અપીલ કરવામાં આવી છે કે NCPના ચૂંટણી ચિન્હ પર કોઈ નિર્ણય લેતા પહેલા તેમનો પક્ષ પણ સાંભળવો જોઈએ. હવે ચૂંટણી પંચે બંને પક્ષોને તેમના સંબંધિત દાવાઓના સમર્થનમાં વહેલી તકે દસ્તાવેજો સબમિટ કરવા કહ્યું છે. આ જ કારણ છે કે મુંબઈમાં બેઠક પહેલા બંને પક્ષોએ ધારાસભ્યો, સાંસદો અને પાર્ટીના અધિકારીઓ પાસેથી એફિડેવિટ લીધા હતા.
અજિત અને શરદ પવાર પાસે સંખ્યાત્મક તાકાત નથી
સંખ્યાત્મક તાકાતની વાત કરીએ તો, હાલમાં 32 ધારાસભ્યો અજિત પવાર સાથે જોવા મળે છે. શરદ પવાર સાથે માત્ર 15 ધારાસભ્યો છે. જ્યારે 6 ધારાસભ્યો એવા છે જેમણે હજુ સુધી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું નથી. 5 એમએલસી અજિત પવાર સાથે અને શરદ પવાર સાથે 4 છે. એનસીપીના લોકસભા અને રાજ્યસભામાં કુલ 9 સાંસદો છે. જેમાંથી અજીત પાસે 2 સાંસદ છે. જ્યારે શરદ પવાર સાથે 7 સાંસદો જોવા મળી રહ્યા છે.
આખી રમતમાં અજિત પવારનું પલ્લુ ભારે
ધારાસભ્યોના મામલામાં અત્યારે અજિત પવારનો જ હાથ ઉપર હોય તેવું લાગે છે. આ જ કારણ છે કે 83 વર્ષના શરદ પવાર પર વધુ દબાણ છે. બુધવારે અજિત પવારે શરદ પવારને તેમની ઉંમરને ટાંકીને પાર્ટીની ગાદી છોડવાની અપીલ કરી હતી. . જો આજની બેઠકમાં પણ આવી જ સ્થિતિ રહી તો અજિત પવાર પાર્ટીનું નામ અને ઘડિયાળનું નિશાન મેળવી શકે છે.
Advertisement