Lok Sabha Speaker: આખરે સરકાર અને વિપક્ષ વચ્ચે શું થઇ તકરાર...?
Lok Sabha Speaker : લોકસભાની ચૂંટણી બાદ હવે લોકસભા સ્પીકર ( Lok Sabha Speaker) ની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. લોકસભા સ્પીકર કોણ હશે તે વચ્ચે હવે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે જંગ ખેલાયો છે. ગઈકાલે રાત્રે ભાજપ વતી રાજનાથ સિંહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ફોન કર્યો હતો. મુદ્દો સ્પીકરની ચૂંટણીમાં સમર્થનનો હતો. સવારે એવું લાગતું હતું કે બધું સેટ થઈ ગયું છે. જેમ જેમ ઘડિયાળના કાંટા બપોરના 12ની નજીક આવી રહ્યા હતા તેમ તેમ વિપક્ષમાં એક વિચિત્ર બેચેની જોવા મળી હતી. ત્યારબાદ કોંગ્રેસના રાહુલ ગાંધી આગળ આવ્યા અને કહ્યું કે વિપક્ષ કોલની રાહ જોઈ રહ્યો છે. 12 વાગ્યાના થોડા સમય પછી ખબર પડી કે એનડીએ તરફથી ઓમ બિરલા અને વિપક્ષ તરફથી કે. સુરેશે સ્પીકરપદ માટે ઉમેદવારી નોંધાવી દીધી છે. દેશમાં આ પ્રથમ વખત સ્પીકરની ચૂંટણી થઈ રહી છે. આવી સ્થિતિમાં એ સમજવું રસપ્રદ છે કે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે કેવી રીતે બબાલ થઈ?
26મી જૂને સવારે 11 વાગ્યે લોકસભા અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન થશે
હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આવતીકાલે એટલે કે 26મી જૂને સવારે 11 વાગ્યે લોકસભા અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન થશે. એનડીએએ સતત બીજી વખત ઓમ બિરલાને આગળ કર્યા છે જ્યારે વિપક્ષે વરિષ્ઠ નેતા કે. સુરેશને મેદાનમાં ઉતાર્યા છે. સુરેશ એ જ નેતા છે જેમને વિપક્ષ ડેપ્યુટી સ્પીકર બનાવવાની માંગ કરી રહ્યા હતા.
શું કહ્યું રાહુલ ગાંધીએ
રાહુલ ગાંધીએ આજે સવારે 11 વાગે સંસદ સંકુલમાં મીડિયાને જણાવ્યું કે મલ્લિકાર્જુન ખડગેને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહનો ફોન આવ્યો હતો. રાજનાથ સિંહજીએ તેમની સ્પીકરશિપ માટે ખડગેજી પાસેથી સમર્થન માંગ્યું. વિપક્ષે સ્પષ્ટ કહ્યું છે કે અમે સ્પીકરને સમર્થન આપીશું પરંતુ વિપક્ષને ડેપ્યુટી સ્પીકર મળવો જોઈએ. રાજનાથ સિંહે ગઈકાલે સાંજે કહ્યું હતું કે તેઓ ખડગે જીને ફોન પરત કરશે પણ ખડગેજીને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. પીએમ મોદી કહી રહ્યા છે કે રચનાત્મક સહયોગ હોવો જોઈએ અને પછી અમારા નેતાનું અપમાન થઈ રહ્યું છે. તેમનો ઈરાદો સ્પષ્ટ નથી. નરેન્દ્ર મોદીજી કોઈ રચનાત્મક સહયોગ ઈચ્છતા નથી. પરંપરા એવી છે કે ડેપ્યુટી સ્પીકર વિપક્ષમાંથી હોવો જોઈએ. વિપક્ષે કહ્યું છે કે જો પરંપરા જળવાઈ રહેશે તો સંપૂર્ણ સમર્થન આપીશું.
સરકારે કહ્યું કે શરતો ના મુકો
જો કે રાજનાથસિંહે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે સાથે ત્રણ વાર વાત થઇ હતી. જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના કે.સી. વેણુગોપાલ રાજનાથસિંહની ઓફીસમાં પણ ગયા હતા. વિપક્ષ માનતો હતો કે ખાતરી અપાય કે ડેપ્યુટી સ્પીકર પદ તેમને આપવામાં આવે પણ સરકારે કહ્યું કે શરતો ના મુકો. ત્યારબાદ મામલો બગડ્યો હતો.
આ પણ વાંચો----- અંતિમ ઘડીએ NDA-વિપક્ષ વચ્ચે સહમતિ તૂટી, હવે વિપક્ષ લોકસભા સ્પીકર માટે ઉમેદવાર ઉતારશે