Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BOLLYWOOD : એક્ટ્રેસ નુસરત ભરૂચાએ વડાપ્રધાન મોદીને કહ્યું, 'સર, હું બરોડાથી છું'

BOLLYWOOD : દિલ્હીમાં આયોજિત એક ખાનગી કાર્યક્રમમાં બંને ભેગા થયા હતા. જેમાં નુસરત ભરૂચાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો
bollywood   એક્ટ્રેસ નુસરત ભરૂચાએ વડાપ્રધાન મોદીને કહ્યું   સર  હું બરોડાથી છું
Advertisement

BOLLYWOOD : બોલીવુડ એક્ટ્રેસ નુસરત ભરૂચા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં ભેગા થઇ ગયા હતા. જ્યાં નુસરત ભરૂચા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વારંવાર આભાર વ્યક્ત કરી રહી હતી. તે દરમિયાન વડાપ્રધાન મોદીએ તેણીને પુછ્યું કે, શું તમે ગુજરાતી જાણો છો. જેથી હસતા મોંઢે નુસરત ભરૂચાએ કહ્યું કે, સર હુ બરોડાથી છું. ગુજરાતથી છું. અત્રે ઉલ્લેખનીય છે કે, નુસરત ભરૂચા મુંબઇમાં રહે છે, અને જાણીતી બોલીવુડ એક્ટ્રેસ છે. તેના બરોડા (વડોદરા), ગુજરાત કનેક્શન અંગે આ પહેલા કોઇ જાણતું ન્હતું. (Nushrratt Bharuccha Thanked PM Modi, share She is From Baroda, Gujarat)

તમે મને પાછી લાવ્યા, તે માટે હું તમને થેન્ક્યૂ કહેવા માંગું છું

બોલીવુડ એક્ટ્રેસ નુસરત ભરૂચા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દિલ્હીમાં આયોજિત એક ખાનગી કાર્યક્રમમાં ભેગા થયા હતા. જેમાં નુસરત ભરૂચાએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. અને તે વારંવાર થેન્ક્યૂ સર કહી રહી હતી. આ દરમિયાન તેમના ટૂંકા સંવાદની ક્લિપ સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવી છે. જેમાં નુસરત ભરૂચા કહે છે તે, તમે મને પાછી લાવ્યા, તે માટે હું તમને થેન્ક્યૂ કહેવા માંગું છું. વડાપ્રધાન મોદી કહે છે કે, તમે સંકટમાં હતા. સારૂ થયું તમે તેની જાણ કરી દીધી. તમે ગુજરાતી બોલો છે..! નુસરત ભરૂચા કહે છે કે, સર હુ બરોડાથી છું. ગુજરાતથી છું. વડાપ્રધાન મોદી કહે છે, હું જાણું છું. બાદમાં નુસરત ભરૂચા કહે છે, થેન્ક્યૂ સર થેન્ક્યૂ સર, આ એક સુખદ સાંજ છે.

Advertisement

સહીસલામત રીતે રેસ્ક્યૂ કરીને પરત ભારત લાવવામાં આવી

અત્રે ઉલ્લેખનીય છે કે, મે - 2024 માં ઇઝરાયલમાં ચાલતી પાર્ટી પર હમાસે હુમલો કરી દીધો હતો. તે સમયે નુસરત ભરૂચા તે પાર્ટીમાં હાજર હતી. કોઇક રીતે તેણીએ તે અંગેનો સંદેશ ભારત સરકાર સુધી પહોંચતો કરતા તેને સમયસર મદદ મળી રહી હતી. અને નુસરત ભરૂચાને થોડાક જ દિવસોમાં ત્યાંથી સહીસલામત રીતે રેસ્ક્યૂ કરીને પરત ભારત લાવવામાં આવી હતી. આ ઘટના બાદ તે ઘણા સદમામાં હોવાથી તેણીએ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. પરંતુ દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી જોડે મુલાકાત થતા તે વારંવાર તેમનો આભાર વ્યક્ત કરી રહી હતી.

Advertisement

આ પણ વાંચો --- Hera Pheri 3 : 'હેરા ફેરી 3' ક્યારે રિલીઝ થશે? પરેશ રાવલે આપ્યો સંકેત, ચાહકો ખુશ થયા

Tags :
Advertisement

.

×