Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનને મોટો ફટકો, ICC અને BCCI એ તેમની માંગ ફગાવી

ODI વર્લ્ડ કપ આ વર્ષના અંતમાં ભારતની યજમાનીમાં રમાવાનો છે. તેનું શેડ્યુલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તે માત્ર ભારત દ્વારા જ હોસ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. પાડોશી દેશ પાકિસ્તાન વારંવાર તેમાં અવરોધ ઉભો કરી રહ્યું છે. હવે...
10:41 PM Jun 21, 2023 IST | Dhruv Parmar

ODI વર્લ્ડ કપ આ વર્ષના અંતમાં ભારતની યજમાનીમાં રમાવાનો છે. તેનું શેડ્યુલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તે માત્ર ભારત દ્વારા જ હોસ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. પાડોશી દેશ પાકિસ્તાન વારંવાર તેમાં અવરોધ ઉભો કરી રહ્યું છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેને મોટો ઝટકો આપ્યો છે.

440 વોલ્ટનો આંચકો આપ્યો

ભારતમાં યોજાનારા ICC ODI વર્લ્ડ કપનું શેડ્યુલ (World Cup-2023 Schedule) હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. એવા સમાચાર છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ BCCI અને ICC પાસે તેમની ટીમની કેટલીક મેચોના સ્થળો બદલવાની માંગ કરી હતી. પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઇચ્છે છે કે તેની વર્લ્ડ કપ મેચોના સ્ટેડિયમ (CWC-2023 સ્ટેડિયમ) ભારતમાં બદલાય. જોકે, બીસીસીઆઈએ પીસીબીને 440 વોલ્ટનો આંચકો આપ્યો હતો.

ચેન્નાઈ અને બેંગ્લોરમાં મેચો યોજાશે

બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાન ક્રિકેટ ટીમે તેની વર્લ્ડ કપ મેચો ચેન્નાઈ અને બેંગ્લોરમાં રમવાની છે. પાકિસ્તાન મીડિયાના અહેવાલો અનુસાર, ટીમ તેની મેચ અફઘાનિસ્તાન સામે ચેન્નાઈમાં રમશે જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની મેચ બેંગલુરુમાં યોજાય તેવી શક્યતા છે. આ ડ્રાફ્ટ શેડ્યૂલમાંથી પાકિસ્તાને આ બે મેચના સ્થળ બદલવાની માંગ કરી હતી. જો કે, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે PCB ની આ માંગ પૂરી કરી શકાય નહીં, જેની માહિતી PCB ને 20 જૂને મળેલી બેઠકમાં આપવામાં આવી હતી.

'કોઈ દલીલ નથી'

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મંગળવાર, 20 જૂનના રોજ ICC અને વર્લ્ડ કપ હોસ્ટ (BCCI) ના અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંનેએ નક્કી કર્યું કે છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર કરી શકાય નહીં. આ અંગે પીસીબીને જાણ કરવામાં આવી છે. આઈસીસી અને બીસીસીઆઈએ પીસીબીને કહ્યું કે હાલ સ્થળ બદલવાનો કોઈ તર્ક નથી. મેદાનમાં સુરક્ષાની સમસ્યા હોય અથવા આંતરરાષ્ટ્રીય મેચ માટે મેદાન યોગ્ય ન હોય તો જ સ્થળમાં કોઈપણ ફેરફાર થઈ શકે છે. વર્ષ 2016 માં ટી20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચ સુરક્ષાના કારણોસર ધર્મશાલાથી કોલકાતા શિફ્ટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર DRI ની મોટી કાર્યવાહી, 32 કરોડનું બ્લેક કોકેઇન ઝડપાયું

Tags :
BCCICricketICCSportsTeam IndiaTeam PakistanWorld Cupworld cup 2023
Next Article