Arvind Kejriwal : કેજરીવાની આ જાહેરાતથી રાજકારણમાં ભૂકંપ
- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી મોટી જાહેરાત
- કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત
- બે દિવસ પછી મુખ્યમંત્રી પદેથી આપીશ રાજીનામુંઃ કેજરીવાલ
- નવેમ્બરમાં ચૂંટણી કરવામાં આવશેઃ કેજરીવાલ
Arvind Kejriwal :દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal)બે દિવસ બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે મનીષ સિસોદિયા પણ દિલ્હીના મુખ્યમંત્રી નહીં બને. જો કે કેજરીવાલે કહ્યું કે ચૂંટણી સુધી પાર્ટીના અન્ય કોઈ નેતા મુખ્યમંત્રી બનશે. આમ આદમી પાર્ટીના સમર્થકો અને કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણી સુધી પાર્ટીના અન્ય કોઈ નેતા મુખ્યમંત્રી બનશે. કેજરીવાલે કહ્યું કે હું અને મનીષ સિસોદિયા જનતાની વચ્ચે જઈશું.
અરવિંદ કેજરીવાલે શું કહ્યું?
કાર્યકર્તાઓને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું, 'હું આજથી બે દિવસ પછી રાજીનામું આપવા જઈ રહ્યો છું. ત્યાં સુધી હું સીએમની ખુરશી પર નહીં બેસીશ, ત્યાં સુધી હું સીએમની ખુરશી પર નહીં બેઠો. કેજરીવાલ પ્રામાણિક છે એવો ચુકાદો જનતા ન આપે ત્યાં સુધી હું ખુરશી પર બેસીશ નહીં. કેજરીવાલે કહ્યું, 'કેટલાક લોકો કહી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો લગાવી છે, છેલ્લા 10 વર્ષમાં તેઓએ શરતો લાદવામાં કોઈ કસર છોડી નથી. કેન્દ્ર સરકારે કાયદો બનાવીને મારું કામ રોકવાનો પ્રયાસ કર્યો. આ પરિસ્થિતિઓ પણ જોઈ છે.
કેજરીવાલે કર્યું મોટું એલાન
કેજરીવાલે કહ્યું કે હું આગામી બે દિવસમાં રાજીનામું આપી દઈશ. હું તમારી અદાલતમાં આવ્યો છું. હવે તમે જ નિર્ણય કરો કોણ સાચુ હતું. કેજરીવાલે કહ્યું કે મનીષ સિસોદિયા પણ મુખ્યમંત્રી નહીં બને. દિલ્હીમાં આગામી નવેમ્બર સુધીમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવે. ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો કોઈપણ નેતા મુખ્યમંત્રી બની શકે છે. હું અને સિસોદિયા હવે જનતા વચ્ચે જઈશું અને અમે ગુનેગાર કે ઈમાનદાર એ પ્રજાને નક્કી કરવા દઈશું.
આ પણ વાંચો -Nitin Gadkari ને PM પદની ઓફર કોણે કરી? Sanjay Raut એ કહ્યું- બલિદાનથી જ આઝાદી મળશે
કેજરીવાલે કર્યો મોટો ખુલાસો
કેજરીવાલે કહ્યું કે અમારી એક નાનકડી પાર્ટીએ દેશનું રાજકારણ બદલી નાખ્યું છે. જેલમાં વિચારવાનો સમય મળ્યો. મેં જેલથી એક જ પત્ર લખ્યો હતો એ પણ ઉપરાજ્યપાલને. એ પત્ર મને પાછો મોકલી દેવાયો અને વોર્નિંગ આપવામાં આવી કે બીજી વખત પત્ર લખ્યો તો પરિવારને પણ મળવા નહીં દે. અમારી પાર્ટીને ખતમ કરવા માટે ભાજપે કાવતરું ઘડ્યું હતું જે ફેલ થઈ ગયું. ઉપરથી હું વધારે જુસ્સા સાથે હવે બહાર આવ્યો છું.
આ પણ વાંચો -Chandigarh બ્લાસ્ટના બીજા આરોપીની પણ ધરપકડ, પંજાબ પોલીસે આપી જાણકારી
શનિવારે હનુમાન મંદિર પહોંચ્યા હતા
શનિવારે (14મી સપ્ટેમ્બર) અરવિંદ કેજરીવાલ કનોટ પ્લેસના હનુમાન મંદિર પહોંચ્યા હતા અને પૂજા કરી હતી. આ પ્રસંગે તેમની સાથે તેમની પત્ની સુનીતા કેજરીવાલ, AAPના નેતા મનીષ સિસોદિયા, સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ હાજર હતા. તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે કહ્યું હતું કે, 'ભગવાન દરેક મુશ્કેલીમાં મારી પડખે છે કારણ કે મેં હંમેશા સત્યનો સાથ આપ્યો છે.'