Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NEET Paper Leak મામલે જો મારા વિરુદ્ધ પુરાવા હોય તો મારી ધરપકડ કરો : તેજસ્વી યાદવ

RJD નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી CM તેજસ્વી યાદવે (Tejashwi Yadav) શુક્રવારે નીતિશ કુમારની આગેવાની હેઠળની બિહાર સરકારની NEET Paper Leak કૌભાંડ માટે તેમને દોષી ઠેરવવાના પ્રયાસની ટીકા કરી હતી. યાદવે સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને પડકાર ફેંક્યો હતો કે...
09:58 PM Jul 05, 2024 IST | Hardik Shah
NEET Paper Leak and Tejashvi Yadav

RJD નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી CM તેજસ્વી યાદવે (Tejashwi Yadav) શુક્રવારે નીતિશ કુમારની આગેવાની હેઠળની બિહાર સરકારની NEET Paper Leak કૌભાંડ માટે તેમને દોષી ઠેરવવાના પ્રયાસની ટીકા કરી હતી. યાદવે સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને પડકાર ફેંક્યો હતો કે જો પુરાવા હોય તો તેમની 'ધરપકડ' કરે.

જો સરકાર પાસે મારી વિરુદ્ધ કોઈ પુરાવા છે, તો...

તેજસ્વી યાદવે RJD ની રચનાના 28 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી. સરકાર પર ભ્રષ્ટાચાર અને ગુનાખોરીને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું, “આ સરકાર ડબલ એન્જિન હોવાનો દાવો કરે છે. એક એન્જિન ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે, બીજું ગુનાખોરીને પ્રોત્સાહન આપે છે.” આગળ તેમણે કહ્યું કે, “રાજ્યના દરેક મુદ્દા માટે દોષ તેજસ્વી પર નાખવામાં આવે છે, પછી તે પેપર લીક હોય, પુલ તૂટી પડવાની ઘટના હોય કે હત્યા હોય. જો સરકાર પાસે મારી વિરુદ્ધ કોઈ પુરાવા છે, તો તેમણે મારા પર આરોપ લગાવવાને બદલે મારી ધરપકડ કરવી જોઈએ.'' જનતા દળ (યુનાઈટેડ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતાઓ, જે NDA નો ભાગ છે, તેમણે તેના પર ભાર આપ્યો છે કે પ્રશ્નપત્ર લીક કેસમાં એક શંકાસ્પદ કે યાદવના અંગત સહાયક સાથે નજીકના સંબંધો હતા. વિપક્ષી RJD એ અન્ય મુખ્ય શંકાસ્પદો સાથે રાજ્યના વરિષ્ઠ મંત્રીઓની તસવીરો જાહેર કરીને વળતો પ્રહાર કર્યો છે. ગયા મહિને પટના પોલીસે અનેક લોકોની ધરપકડ કર્યા બાદ પ્રશ્નપત્ર લીકનો ખુલાસો થયો હતો. આ કેસ હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવ્યો છે.

BJP પર તેજસ્વીના આકરા પ્રહાર

તેજસ્વી યાદવે ભાજપ પર અનામતની વિરુદ્ધ હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે મહાગઠબંધનની સરકાર હતી જેણે અનામત ક્વોટા વધારીને 75 ટકા કર્યો હતો. RJD નેતાએ કહ્યું, "જો કોઈએ અનામતનો ક્વોટા વધારીને 75 ટકા કર્યો છે, તો તે મહાગઠબંધનની સરકાર છે. ભાજપ અનામતની વિરુદ્ધ છે. બિહારમાં NDA-BJP ની સરકાર આવ્યા પછી, તેમણે અનામતમાં વધારો અટકાવ્યો હતો. તેથી જ અમે કહી રહ્યા છીએ કે ભાજપ માત્ર બિહારની જ નહીં પરંતુ અનામતની પણ વિરુદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે, રાષ્ટ્રીય જનતા દળ એકમાત્ર એવો પક્ષ છે જેણે ભાજપ સમક્ષ ન તો સમાધાન કર્યું છે કે ન તો સમર્પણ કર્યું છે. તેમણે કહ્યું, “સત્તાના લોભમાં જનતા દળ (યુ)ના લોકોએ તેમની વિચારધારા સાથે સમાધાન કર્યું અને રાષ્ટ્રીય જનતા દળ એક માત્ર એવી પાર્ટી છે જેણે ન તો ભાજપ સામે સમાધાન કર્યું અને ન તો આત્મસમર્પણ કર્યું અમારી લડાઈ એ લોકો માટે છે જેઓ નબળા અને વંચિત છે."

આ પણ વાંચો - Big Breaking! NEET PG પરીક્ષાની તારીખ જાહેર, આ દિવસે બે શિફ્ટમાં લેવાશે પરીક્ષા…

આ પણ વાંચો - CBI એ ધનબાદમાંથી મુખ્ય ષડયંત્રકારની ધરપકડ કરી, NEET-UG પેપર લીક મામલે મોટી સફળતા…

Tags :
BiharBJPbridges collapseGujarat FirstHardik ShahJDUNEET Paper LeakNEET paper leak Newsnitish kumarRJDRJD foundation DayTajashwi yadav NEET Paper LeakTejashwi YadavTejashwi Yadav RJD foundation Day
Next Article