Amit Shah Interview : જનાદેશ ન મળ્યો તો શું કરશે ભાજપ, શાહે જણાવ્યો પ્લાન બી
Amit Shah Interview : લોકસભા ચૂંટણી 2024 વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) નો મોટો ઈન્ટરવ્યુ સામે આવ્યો છે. આ ઈન્ટરવ્યુમાં અમિત શાહે ભાજપ (BJP) ને 400+ બેઠકો મળશે તે વિશે કહ્યું છે.તેમણે આ દરમિયાન વિપક્ષના દાવાઓને પણ ફગાવી દીધા છે. વળી દેશના બંધારણ (Constitution) ને ભાજપ બદલી દેશે તેવા વિપક્ષના આરોપ પર પણ અમિત શાહે (Amit Shah) વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ પાસે છેલ્લા એક દાયકાથી બંધારણમાં ફેરફાર કરવાનો જનાદેશ હતો પરંતુ તેણે આવું ક્યારેય કર્યું નથી. ANI સાથેની મુલાકાતમાં શાહે કહ્યું કે 400થી વધુ બેઠકો મેળવવાનો પક્ષનો ઉદ્દેશ્ય દેશના રાજકીય માહોલમાં સ્થિરતા લાવવાનો છે.
ભાજપને બહુમતી નહીં મળે તો પ્લાન બી શું?
જેમ જેમ લોકસભા ચૂંટણી 2024માં મતદાન પ્રક્રિયા તબક્કાવાર રીતે આગળ વધી રહી છે. રાજકીય પક્ષોના દાવાઓ મજબૂત બની રહ્યા છે. ભાજપ જ્યા 400ને પાર કરવાનો આંકડો કહી રહી છે ત્યારે વિપક્ષે પણ એવું કહેવાનું શરૂ કરી દીધું છે કે ચાર તબક્કા પછી તેમની સરકાર બનશે તે નિશ્ચિત છે. જો કે તેનો નિર્ણય 4 જૂને જ જાહેર થશે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણીમાં ભાજપની સ્થિતિને લઈને સ્પષ્ટપણે પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં ઘણા મુદ્દાઓ પર સ્પષ્ટ જવાબો આપ્યા છે. ખાસ કરીને તેમણે આ સવાલનો જવાબ પણ આપ્યો કે, જો ચૂંટણીમાં ભાજપને બહુમતી નહીં મળે તો પ્લાન બી શું હશે? આ સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું કે પ્લાન B એવી સ્થિતિમાં બનાવવામાં આવે છે જ્યારે તમને લાગે કે તમારો પ્લાન A સફળ થવાની માત્ર 60 ટકા શક્યતા છે. પણ અમારી સ્થિતિ એવી નથી. મને ખાતરી છે કે વડાપ્રધાન મોદી પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવશે.
'Does BJP have a plan B in case it doesn't reach the majority mark?' HM Amit Shah answers in an interview to ANI.
"Plan B needs to be made only when there is less than 60% chance for Plan A (to succeed). I am certain that PM Modi will come to power with a thumping majority..." pic.twitter.com/TOBikuX7gm
— ANI (@ANI) May 17, 2024
દેશમાં રાજનીતિમાં સ્થિરતા લાવવા માંગીએ છીએ : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું છે કે, અમારી પાસે 10 વર્ષથી બંધારણ બદલવા માટે બહુમતી છે. અમે ક્યારેય આનો પ્રયાસ કર્યો નથી. મારી પાર્ટીનો બહુમતીના દુરુપયોગનો ઇતિહાસ નથી. ઈન્દિરા ગાંધીના સમયમાં કોંગ્રેસ દ્વારા બહુમતીનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, અમને 400 સીટોની જરૂર છે કારણ કે અમે દેશમાં રાજનીતિમાં સ્થિરતા લાવવા માંગીએ છીએ કારણ કે દેશની સરહદો સુરક્ષિત રાખવાની હોય છે. અમિત શાહે કહ્યું કે 10 વર્ષમાં અમે અમારી સીટોનો ઉપયોગ કેવી રીતે કર્યો? કલમ 370 નાબૂદ, ટ્રિપલ તલાક નાબૂદ, રામ મંદિરનું નિર્માણ, UCC લાવ્યા.
"We've had the majority to change Constitution for last 10 yrs. Never did it...Bahumat ka durupayog ka itihas meri party ka nahi hai. Bahumat ke durupayog ka itihas Indira Gandhi ke samay Congress ne kiya: HM to ANI on BJP's "400 paar" & speculations of change in Constitution pic.twitter.com/DX7twvcUA9
— ANI (@ANI) May 17, 2024
અરવિંદ કેજરીવાલ પર શાબ્દિક પ્રહાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ચૂંટણી પ્રચાર અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ANIને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, એક મતદાર તરીકે હું માનું છું કે તેઓ જ્યાં પણ જશે ત્યાં લોકો દારૂના કૌભાંડને યાદ કરશે. ઘણા લોકો મોટી બોટલને યાદ કરશે. અરવિંદ કેજરીવાલની ટિપ્પણી "જો તમે મને મત આપો છો, તો મારે જેલમાં જવું પડશે નહીં" પર તેમણે કહ્યું કે જો તેમણે આવું કહ્યું છે તો આનાથી મોટી સુપ્રીમ કોર્ટની અવમાનના ન હોઈ શકે.
#WATCH | On out-on-interim bail Delhi CM Arvind Kejriwal campaigning for elections, Union Home Minister Amit Shah says, "As a voter, I believe that wherever he will go people will remember liquor scam...Kayi logon ko toh badi bottle dikhai padegi." pic.twitter.com/JIsMNFvFQC
— ANI (@ANI) May 17, 2024
ભાજપ દક્ષિણ ભારતમાં સૌથી મોટી પાર્ટી બનશે : શાહ
ઉત્તર-દક્ષિણ વિભાજન અંગે વાત કરતા ગૃહમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ ઉત્તર-દક્ષિણ વિભાજનની વાત કરી હતી. પણ જો કોઈ કહે કે આ દેશ અલગ છે તો એવું નથી. આ દેશ ફરી ક્યારેય અલગ નહીં થઈ શકે. દક્ષિણ ભારતના પાંચ રાજ્યો કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે.
#WATCH | On the so-called 'North-South divide', Union Home Minister Amit Shah says, "...Combining the 5 states of Kerala, Tamil Nadu, Andhra Pradesh, Telangana and Karnataka, BJP is going to emerge as the single largest party in these elections..."
"If someone says that this is… pic.twitter.com/E8iQGbUl7Z
— ANI (@ANI) May 17, 2024
ઈન્દિરા ગાંધીએ બંધારણમાં ફેરફાર કર્યો : શાહ
ઇન્દિરા ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા શાહે કહ્યું, જુઓ, મારી પાર્ટીનો બહુમતીના દુરુપયોગનો ઇતિહાસ નથી, પરંતુ કોંગ્રેસે ઇન્દિરા ગાંધીના સમયમાં બહુમતનો દુરુપયોગ કર્યો હતો. તેમણે અનુચ્છેદ બદલ્યો હતો. લોકસભાનું વિસ્તરણ કરવામાં આવ્યું, કટોકટી લાદવામાં આવી અને 1.5 લાખ લોકોને કોઈપણ કારણ વગર 19 મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યા. અમે ક્યારેય તેનો દુરુપયોગ કર્યો નથી અને રાહુલ બાબાને કોઈ ગંભીરતાથી લેતું નથી.
Rise in voter turnout shows success of abrogation of Article 370: Amit Shah
Read @ANI Story | https://t.co/aQzqIRkhES#AmitShah #Article370 #JammuandKashmir pic.twitter.com/T3qJmvolE9
— ANI Digital (@ani_digital) May 17, 2024
કલમ 370 પર સવાલ ઉઠાવનારાઓને અમિત શાહનો વળતો જવાબ
કહેવાતા 'ઉત્તર-દક્ષિણ ભારતના ભાગલા' પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જો કોઈ કહે છે કે તે એક અલગ દેશ છે, તો તે ખૂબ જ વાંધાજનક છે. આ દેશ ફરી ક્યારેય વિભાજિત નહીં થઈ શકે. અમિત શાહે એમ પણ કહ્યું કે કલમ 370 પર સવાલ ઉઠાવનારાઓને હું કહેવા માંગુ છું કે ત્યાં વોટિંગ 40 ટકાને વટાવી ગયું છે. અનુચ્છેદ 370 હટાવવાથી મોટી સફળતા ન હોઈ શકે.
આ પણ વાંચો - UP : 10 વર્ષ પહેલા જે અશક્ય હતું તે હવે શક્ય બન્યું, SP એ પછાત વર્ગો સાથે છેતરપિંડી કરી છે – PM મોદી
આ પણ વાંચો - UP : PM મોદીએ ભદોહીમાં SP પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- પહેલા માફિયા રાજ ચાલતું હતું પરંતુ હવે…