Ahmedabad : પ્રથમ નોરતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, જાણો દિવસભરનાં કાર્યક્રમો
- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે (Ahmedabad)
- અમદાવાદ અને ગાંધીનગરને આપશે વિવિધ વિકાસભેટ
- AMC દ્વારા નવનિર્મિત આધુનિક શાકમાર્કેટનું કરશે લોકાર્પણ
Ahmedabad : આજથી નવરાત્રિનાં પવિત્ર તહેવારની (Navratri 2024) શરૂઆત થઈ છે. ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) આજથી બે દિવસનાં ગુજરાતનાં પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરને (Gandhinagar) કરોડો રૂપિયાનાં વિકાસકામોની ભેટ આપશે. ગૃહમંત્રી અમિત શાહ આ પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસન મંત્રી મુળુ બેરા સહિત વિવિધ નેતાઓ, અગ્રણીઓ ઉપસ્થિતિ રહેશે.
આ પણ વાંચો - પરોઢ સુધી ગરબાનું આયોજન કરતા પહેલા આ નિયમોનું પાલન કરવું આવશ્યક
અમદાવાદ અને ગાંધીનગરને આપશે કરોડોની ભેટ
પ્રથમ નોરતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે (Amit Shah Gujarat Visit) છે. આ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં કરોડો રૂપિયાનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન AMC દ્વારા નવનિર્મિત આધુનિક શાકમાર્કેટનું લોકાર્પણ કરશે. સાથે જ ભાડજ (Bhadaj) પ્રાથમિક શાળાનું પણ લોકાર્પણ કરશે. ઉપરાંત, આજથી શરૂ થતાં નવરાત્રિ પર્વ નિમિત્તે GMDC ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) નવરાત્રી મહોત્સવનું ઉદઘાટન કરશે.
આ પણ વાંચો - Sabarkantha : વિવિધ નવરાત્રિ મંડળઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો
માણસામાં કુળદેવી બહુચર માતાનાં મંદિરે પૂજા-અર્ચના કરશે
ગુજરાત પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) માણસા સ્થિત કુળદેવી બહુચર માતાનાં મંદિરે જઈને પૂજા-અર્ચના કરશે અને માતાજીનાં આશીર્વાદ મેળવશે. અડાલજ (Adalaj) ખાતે હીરામણી આરોગ્યધામ-ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ પણ કરશે. ગાંધીનગર મનપાનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. રાતે 10.25 કલાકે પ્રહલાદનગરનાં ઓર્ચિડ વ્હાઇટફિલ્ડ ખાતે નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજિત રાસ-ગરબા મહોત્સવમાં હાજરી આપશે.