Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Post Mortem : હવસની આગ બુઝાવ્યા બાદ પીડિતાને....

કોલકાતાના મહિલા તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો બનાવ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્ફોટક ખુલાસો તેના શરીર પર ગંભીર ઈજાઓ હવસ બુઝાવ્યા બાદ દર્દનાક મોત આપ્યું Post Mortem : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા તાલીમાર્થી ડૉક્ટર પર...
post mortem   હવસની આગ બુઝાવ્યા બાદ પીડિતાને
  • કોલકાતાના મહિલા તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો બનાવ
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્ફોટક ખુલાસો
  • તેના શરીર પર ગંભીર ઈજાઓ
  • હવસ બુઝાવ્યા બાદ દર્દનાક મોત આપ્યું

Post Mortem : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા તાલીમાર્થી ડૉક્ટર પર દુષ્કર્મ કર્યા બાદ તેની ક્રૂર હત્યાથી સમગ્ર રાષ્ટ્ર દુઃખી છે. પીડિતાના દુષ્કર્મ અને હત્યાના પોસ્ટમોર્ટમ (Post Mortem) રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તેના શરીર પર ગંભીર ઈજાઓ હતી, જે તેના મૃત્યુ પહેલા તેને આપવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પીડિતાના માથા, બંને ગાલ, હોઠ, નાક, જમણા જડબા, ગરદન, ડાબા હાથ, ખભા, ઘૂંટણ અને પગની ઘૂંટી તેમજ તેના પ્રાઈવેટ પાર્ટની અંદર 14 થી વધુ ઈજાઓ મળી આવી હતી.

Advertisement

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દર્દનાક મોતનો ખુલાસો થયો

અહેવાલો મુજબ પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરોએ પીડિતાના મોતનું કારણ ગળું દબાવવાનું જાહેર કર્યું છે અને મોત આપવાની પદ્ધતિને કૃર ગણવામાં આવી છે. તાલીમાર્થી ડૉક્ટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, "તેના જનનાંગોમાં બળજબરીથી પ્રવેશ / દાખલ કરવાના ક્લિનિકલ પુરાવા મળ્યા હતા, જે જાતીય હુમલોની શક્યતા સૂચવે છે."

આ પણ વાંચો----Kolkata Doctor Murder Case પર પદ્મ પુરસ્કાર વિજેતાઓએ PM મોદીને લખ્યો પત્ર, કરી આ માંગ

Advertisement

પીડિતાના જનનેન્દ્રિયમાં "સફેદ, જાડા, સ્ટીકી પ્રવાહી" મળ્યું

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પીડિતાના જનનેન્દ્રિયમાં "સફેદ, જાડા, સ્ટીકી પ્રવાહી" મળ્યું છે જે વીર્ય હોઈ શકે છે. પીડિતાના લોહી અને શરીરના અન્ય પ્રવાહીના સેમ્પલ વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફેફસામાં રક્તસ્ત્રાવ અને શરીરમાં અન્ય જગ્યાએ લોહીના ગંઠાવાનું પણ બહાર આવ્યું છે. જો કે તેના શરીર પર ફ્રેક્ચરના કોઈ નિશાન જોવા મળ્યા ન હતા.

Advertisement

તાલીમાર્થી ડૉક્ટરની લાશ મળી હતી

પોલીસે જણાવ્યું હતું કે તાલીમાર્થી ડૉક્ટર 9 ઓગસ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. કોલકાતા પોલીસના નાગરિક સ્વયંસેવક સંજય રોયની ઘટનાના બીજા દિવસે ગુનાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં કલકત્તા હાઈકોર્ટે સીબીઆઈને તપાસ સોંપી હતી.

દેશભરમાં રોષ

આ ભયાનક અપરાધને કારણે સમગ્ર પશ્ચિમ બંગાળ અને ભારતના અન્ય ભાગોમાં ડૉક્ટરો અને નર્સો દ્વારા હડતાળ અને વિરોધ કરવામાં આવ્યો છે. લોકોના આક્રોશ વચ્ચે, આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારથી સીબીઆઈ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

સુપ્રિમ કોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન લીધું

આ ઘટનાના જવાબમાં, પશ્ચિમ બંગાળ સરકારે કાર્યસ્થળો, ખાસ કરીને સરકારી હોસ્પિટલોમાં મહિલાઓની સુરક્ષા વધારવા માટે ઘણા પગલાં જાહેર કર્યા છે. આ પગલાંઓમાં મહિલાઓ માટે, ખાસ કરીને રાત્રિ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે નિયુક્ત રિટાયરિંગ રૂમ અને CCTV-નિરીક્ષણવાળા 'સેફ ઝોન'ની સ્થાપનાનો પણ સમાવેશ થાય છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટે આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લીધી છે અને તેની સુનાવણી 20 ઓગસ્ટે કરવાની છે.

આ પણ વાંચો---- કોલકાતા રેપ-મર્ડર કેસ, Supreme Court એ સુઓમોટો લીધો, 20 ઓગસ્ટે થશે સુનાવણી

Tags :
Advertisement

.