Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dahod માં યુવકના હાથપગ બાંધી ઘરમાં જ હત્યા....

દાહોદમાં 19 વર્ષના યુવકની તેના જ ઘરમાં બાંધીને હત્યા કરાઇ દાહોદના ઘાંચીવાડાના મદની વિસ્તારની ઘટનાથી ચકચાર બેડ પર હાથ પગ બાંધેલી હાલતમાં મળ્યો યુવકનો મૃતદેહ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી Dahod Murder : દાહોદમાં ચોંકાવનારો કિસ્સો બહાર...
dahod માં યુવકના હાથપગ બાંધી ઘરમાં જ હત્યા
  • દાહોદમાં 19 વર્ષના યુવકની તેના જ ઘરમાં બાંધીને હત્યા કરાઇ
  • દાહોદના ઘાંચીવાડાના મદની વિસ્તારની ઘટનાથી ચકચાર
  • બેડ પર હાથ પગ બાંધેલી હાલતમાં મળ્યો યુવકનો મૃતદેહ
  • પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી

Dahod Murder : દાહોદમાં ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. દાહોદમાં રહેતા પરપ્રાંતીય 19 વર્ષ ના યુવકની તેના જ ઘરમાં હાથપગ બાંધીને હત્યા કરેલો મૃતદેહ (Dahod Murder) મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં એસપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને હત્યારાની શોધખોળ શરુ કરી છે.

Advertisement

19 વર્ષીય પુત્ર મુસાબ અન્સારી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરે છે

મળેલી માહિતી મુજબ મુળ ઉત્તરપ્રદેશના અને હાલ દાહોદના ઘાંચીવાડા ના મદની વિસ્તારમાં રહેતા અને પીઓપીનું કામ કરતા પરિવારનો 19 વર્ષીય પુત્ર મુસાબ અન્સારી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરે છે. હાલ મુસાબના મમ્મી અને ભાઈ વતનમાં હતા અને પિતા કામ ઉપર થી સાંજે ઘરે આવ્યા ત્યારે પુત્ર એ દરવાજો ખોલ્યો ન હતો. પિતાએ પુત્રને વારંવાર ફોન કર્યો હતો પણ ફોન પણ કોઇએ રિસીવ કર્યો ન હતો.

Advertisement

આ પણ વાંચો----Dahod: પેટ્રોલપંપ શરૂ કરવો ભારે પડ્યો! ફરિયાદીએ 55.36 લાખ ગુમાવ્યા

બેડ ઉપર હાથ પગ બાંધેલી હાલતમાં મુસાબનો મૃતદેહ જોવા મળ્યો

પુત્રએ ફોન ના ઉપાડતા પિતા ગભરાઇ ગયા હતા. અને ઘરના દરવાજાની જાળી તોડી અંદરથી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરનું દ્રષ્ય જોઇને પિતાના પગ તળે થી જમીન સરકી ગઈ હતી. બેડ ઉપર હાથ પગ બાંધેલી હાલતમાં મુસાબનો મૃતદેહ જોવા મળ્યો હતો જેથી તેમણે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ ને જાણ કરતા પોલીસ પણ આવી પહોંચી હતી

Advertisement

પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો

બનાવની ગંભીરતા જોઈ પોલીસે મૃતદેહની તેમજ ઘર ની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. દાહોદ ના એસપી, ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. મોડી રાત્રે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી પોલીસ ન ટીમો ઘર તેમજ બનાવ વાળી જગ્યા નુ નિરીક્ષણ કરી હત્યારા સુધી પહોંચવા માટે તપાસમાં જોતરાઈ હતી . જો કે હત્યા કયા કારણોસર થઈ અને કોણે કરી તેવા અનેક સવાલો ઉભા થયા છે. હાલ બનાવ અંગે કોઈ સ્પષ્ટ કારણો સામે આવ્યા નથી.

આ પણ વાંચો---Dahod: ઈન્દોર અમદાવાદ હાઇવે ઉપરથી કાર ઝડપાઈ, મળી આવ્યો 417 કિલો અફીણના પોષડોડાનો જથ્થો

અહેવાલ--સાબિર ભાભોર, દાહોદ

Tags :
Advertisement

.