Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મણિપુરની પરિસ્થિતિ સુધારવા રાહુલ ગાંધીની PM મોદીને વિનંતી

Manipur News : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Lok Sabha and Congress MP Rahul Gandhi) સોમવારે મણિપુર (Manipur) પહોંચ્યા હતા. તેમણે મણિપુરના જીરીબામ અને ચુરાચંદપુર જિલ્લા (Jiribam and Churachandpur districts) ની રાહત શિબિરોની મુલાકાત લીધી અને ત્યાં...
મણિપુરની પરિસ્થિતિ સુધારવા રાહુલ ગાંધીની pm મોદીને વિનંતી
Advertisement

Manipur News : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Lok Sabha and Congress MP Rahul Gandhi) સોમવારે મણિપુર (Manipur) પહોંચ્યા હતા. તેમણે મણિપુરના જીરીબામ અને ચુરાચંદપુર જિલ્લા (Jiribam and Churachandpur districts) ની રાહત શિબિરોની મુલાકાત લીધી અને ત્યાં રહેતા લોકોને મળ્યા હતા. આ મુલાકાત બાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ (Press Conference) યોજી અને તેમના વિચારો વ્યક્ત કર્યા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi) એ જણાવ્યું, 'સંકટ શરૂ થયું ત્યારથી હું ત્રીજી વખત મણિપુર (Manipur) આવ્યો છું. હું સુધાર થવાની આશા રાખતો હતો, પરંતુ દુઃખની વાત છે કે હજુ સુધી કોઈ સુધારો થયો નથી. હાલની પરિસ્થિતિમાં શાંતિ જ સૌથી અગત્યની જરૂરિયાત છે.'

Advertisement

રાહુલ ગાંધીએ PMને મણિપુર આવવાનો કર્યો આગ્રહ

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, 'મને લાગે છે કે વડાપ્રધાનને મણિપુર આવવું જોઈએ, મણિપુરના લોકોને સાંભળવું જોઈએ અને અહીં શું થઈ રહ્યું છે તે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. મણિપુર ભારતીય સંઘનું ગૌરવપૂર્ણ રાજ્ય છે. જો કોઈ દુર્ઘટના ન બની હોત તો પણ વડાપ્રધાને મણિપુર આવવું જોઈતું હતું. આ મોટી દુર્ઘટનામાં હું વડાપ્રધાનને વિનંતી કરું છું કે તેઓ તેમના સમયમાંથી 1-2 દિવસ કાઢે અને મણિપુરના લોકોની વાત સાંભળે. તેનાથી મણિપુરના લોકોને રાહત મળશે. અમે, કોંગ્રેસ પાર્ટી તરીકે, અહીંની સ્થિતિ સુધારવા માટે કંઈપણ સમર્થન કરવા તૈયાર છીએ. તેમણે આગળ કહ્યું કે, હજારો પરિવારોને નુકસાન થયું છે, લોકો માર્યા ગયા છે. મણિપુરમાં શું થઈ રહ્યું છે, મેં ભારતમાં ક્યાંય જોયું નથી. રાજ્ય બે ભાગમાં વહેંચાયેલું છે. મેં રાજ્યપાલ સાથે વાત કરી અને અમે તેમને કહ્યું કે અમે શાંતિ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવા માટે બનતું તમામ પ્રયાસ કરીશું. હું આ મુદ્દાનું રાજકારણ કરવા માંગતો નથી.

Advertisement

Advertisement

કુકી-મીતેઈ સમુદાયના પીડિતોની વેદના સાંભળવા પહોંચ્યા રાહુલ ગાંધી

રાહુલ ગાંધી બપોરે 3 વાગ્યાની આસપાસ મણિપુરમાં હિંસા પીડિતોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ચુરાચંદપુરમાં રાહત શિબિરની મુલાકાત લીધી અને ત્યાં રહેતા લોકો સાથે વાત કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કુકી અને મીતેઈ બંને સમુદાયના પીડિતો સાથે વાત કરી અને તેમની સ્થિતિ વિશે પૂછ્યું. રાહુલ ગાંધી બિષ્ણુપુર પહોંચ્યા હતા. ગયા વર્ષે મે મહિનામાં જાતિય હિંસા ફાટી નીકળ્યા બાદ રાહુલ ગાંધીની રાજ્યની આ ત્રીજી મુલાકાત છે. મણિપુરમાં જ્ઞાતિની હિંસા ફાટી નીકળ્યાના થોડા અઠવાડિયા પછી રાહુલે પ્રથમ વખત મણિપુરની મુલાકાત લીધી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કે. મેઘચંદ્રએ કહ્યું કે જીરીબામના લોકોએ ગાંધીને તેમના અનુભવો જણાવ્યા હતા. અત્યાર સુધી, ઉત્તર-પૂર્વીય રાજ્યમાં જાતિ હિંસાને કારણે વિસ્થાપિત થયેલા લોકો આ રાહત શિબિરોમાં રહે છે. મણિપુરમાં જાતિય હિંસામાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

પ્રિયંકા ગાંધીએ એક પોસ્ટ લખી

વાયનાડના સાંસદ ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રાએ x પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીની મણિપુર મુલાકાત વિશે માહિતી આપી હતી. તેણે X પરની પોસ્ટમાં લખ્યું, 'વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે મણિપુરમાં હિંસા પીડિતોને મળ્યા અને તેમને સાંત્વના અને હિંમત આપી. મણિપુર એક વર્ષથી વધુ સમયથી હિંસાથી પ્રભાવિત છે.

આ પણ વાંચો - Assam Floods : આસામમાં મોત બનીને આવ્યો વરસાદ! 78 લોકોએ જીવ ગુમાવ્યા…

આ પણ વાંચો - Jharkhand વિધાનસભામાં હેમંત સરકારે સાબિત કરી બહુમતી, 76 માંથી 45 મત, ભાજપે કર્યો બહિષ્કાર

Tags :
Advertisement

Trending News

.

×